SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ | વિચાર આવે તો ખરા પણ તેને નિર્માલ્ય કરી નાખવા. પ્રતિક્રમણ કરી નાખવું. વિચાર નિર્જીવ છે. એના શુદ્ધાત્માને કેવી રીતે પહોંચે ? ‘દેહધારી નગીનભાઈ, નગીનભાઈની માયા, નગીનભાઈના મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી ભિન્ન એવા હે પ્રગટ શુદ્ધાત્મા ! આ તાર તમને પહોંચે. તમારા પ્રત્યે મારામાં આ વિચાર આવ્યો તે બદલ હું એની ક્ષમા માગું છું અને પ્રતિક્રમણ કરું છું. હવે ફરી નહીં કરું.' આંટી પડ્યા વગર વિચાર જ ના આવે. જેવો વિચાર આવે તેનું અવશ્ય પ્રતિક્રમણ કરવું. એટલે સામટાં પ્રતિક્રમણ કરવાં. આ દસ મિનિટમાં જે જે વિચાર આવ્યા હતા, એ બધાનું સામટું પ્રતિક્રમણ હું (૨૩) મન માંડે મોંકાણ ત્યારે ૩૭૫ આવો, પધારો. વિચાર આવ્યો તે અતિક્રમણ કહેવાય. એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. અંદરના ભાવ ના બગાડવા, બહારના ગમે તેવા હોય. પ્રશ્નકર્તા : અંદર ને બહાર બન્ને ઉત્તમ હોય તો ? દાદાશ્રી : તેના જેવું તો એકય નહીંને ! વખતે મહીં બગડ્યું હોય તો પ્રતિક્રમણ કરી નાખવું. સામટું પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્મના ફળનાં કરવાનાં કે સૂક્ષ્મનાં કરવાનાં ? દાદાશ્રી : સૂક્ષ્મનાં હોય. પ્રશ્નકર્તા : વિચારનાં કે ભાવનાં ? દાદાશ્રી : ભાવનાં. વિચારની પાછળ ભાવ હોય જ. અતિક્રમણ થયું તો પ્રતિક્રમણ કરવું જ જોઈએ. અતિક્રમણ તો મનમાં ખરાબ વિચાર આવે, આ બહેનને માટે ખરાબ વિચાર આવ્યો, એટલે ‘વિચાર સારો હોવો જોઈએ” એમ કહી એને ફેરવી નાખવું. મનમાં એમ લાગ્યું કે આ નાલાયક છે, તો એ વિચાર કેમ આવે ? આપણને એની લાયકી-નાલાયકી જોવાનો રાઈટ (અધિકાર) નથી. અને બાધભારે બોલવું હોય તો બોલવું કે, “બધા સારા છે.’ ‘સારા છે” કહેશો તો તો તમને કર્મનો દોષ નહીં બેસે, પણ જો નઠારો કહ્યો તો એ અતિક્રમણ કહેવાય. એટલે તેનું પ્રતિક્રમણ અવશ્ય કરવું પડે. એટલે ફરી આવો પાછો વિચાર આવે તો તે ભરેલો માલ છે, તેના વિચાર આવવાના. સ્ટોક તો જેવો હોય તેવો નીકળ્યા કરશે. અને એક માણસમાં કશી સમજણ નથી છતાં પણ મનમાં એમ લાગે કે હું બહુ ડાહ્યો છું. એ સ્ટોક થયેલું. એ કંઈ એને નુકસાન કરતો નથી. એટલે એને પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. એનું નામ સમભાવે નિકાલ પ્રશ્નકર્તા : ઘણા દોષો એવા થતા હોય છે જેમ કે કોઈ વ્યક્તિ આપણી સામે આવીને ઊભી રહે. તેને જોતાંની સાથે જ આપણને મનમાં એવો ભાવ થયો કે આ માણસ નકામો છે. તો પ્રતિક્રમણ ત્યાં જ કરવું જોઈએ ? પ્રતિક્રમણ કરવાનું કદાચ રહી જાય તો ? - દાદાશ્રી : રહી જાય તો વાંધો નહીં. રહી જાય તેનું બાર મહિને ભેગું કરીએ તોય ચાલે. ત્રણ મહિને, છ મહિને કરી નાખવું તોય ચાલે પણ એનો દુરુપયોગ ના કરશો, કે બાર મહિને થયા છે, તે ભેગા જ પછીથી કરીશું. પ્રતિક્રમણ કરવાનું ભૂલી ગયા હો તો પછીથી ભેગા કરીને થાય. કોઈ એવો ડફોળ માણસ સામો મળ્યો હોય, તો છેટેથી દેખતાંની સાથે એમ લાગેને, કે આ ફાઈલ આવી છે, તે સમભાવે નિકાલ કરવા જેવું છે. મહીં ચેતવે કે ભૂલી જાય ? પહેલેથી ચેતવે ? તને હઉ ચેતવે ? એટલે મોટામાં મોટો ધર્મ સમભાવે નિકાલ કરવો. અને આલોચનાપ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન. અને છતાંય મહીંથી કોઈને માટે ખરાબ પૌદ્ગલિક
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy