SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ઘરમાં ક્લેશ ભગવાનનો વાસ નક્કી છે, એની તમને હું ‘ગેરન્ટી’ આપું છું. ક્લેશ થયો કે ભગવાન જતા રહે. અને ભગવાન જાય એટલે લોક આપણે શું કહેશે, ધંધામાં કંઈ બરકત નથી આવતી. અલ્યા, ભગવાન ગયા માટે બરકત નથી આવતી. ભગવાન જો હોયને ત્યાં સુધી ધંધામાં બરકત ને બધું આવે. તમને ગમે છે કકળાટ ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તોય થઈ જાય છે ને ? પ્રશ્નકર્તા : કો'ક વાર. દાદાશ્રી : તો એ તો દિવાળીય કો'ક દા'ડો જ આવે ને, કંઈ રોજ આવે છે એ ? ૨૫ પ્રશ્નકર્તા : પછી પંદર મિનિટમાં ઠંડું પડી જાય, કકળાટ બેસી જાય. દાદાશ્રી : આપણામાંથી ક્લેશ કાઢી નાખો. જેને ત્યાં ઘરમાં ક્લેશ ત્યાં માણસપણું જતું રહે પછી. તે આમ ઘણા પુણ્યથી માણસપણું આવે, તેય હિન્દુસ્તાનનું માણસપણું અને તે પાછા અહીં (અમેરિકામાં) તમને, એ ત્યાંના લોકો હિન્દુસ્તાનમાં તો ચોખ્ખું ઘી ખોળે છે તોય જડતું નથી અને તમને રોજ ચોખ્ખું જ મળે છે, મેલું ખોળો તોય જડે નહીં, કેટલા પુણ્યશાળી છો ! તે પુણ્ય પણ, ખોટું દુરુપયોગ થાય પછી તો. આપણા ઘરમાં ક્લેશરહિત જીવન જીવવું જોઈએ, એટલી તો આપણને આવડત આવડવી જોઈએ. બીજું કંઈ નહીં આવડે તો તેને આપણે સમજણ પાડવી કે, ‘ક્લેશ થશે તો આપણા ઘરમાંથી ભગવાન જતા રહેશે. માટે તું નક્કી કર કે અમારે ક્લેશ નથી કરવો !' ને આપણે નક્કી કરવું કે ક્લેશ નથી કરવો. નક્કી કર્યા પછી ક્લેશ થઈ જાય તો જાણવું કે આમાં આપણી સત્તા બહાર થયેલું છે. એટલે આપણે એ ક્લેશ કરતો હોય તોય ઓઢીને સૂઈ જવું. એય થોડી વાર પછી સૂઈ જશે. અને આપણે પણ સામું બોલવા લાગીએ તો? પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ક્લેશ ના થાય એવું નક્કી કરો ને ! ત્રણ દહાડા માટે તો નક્કી કરી જુઓ ને ! અખતરો કરવામાં શું વાંધો છે ? ત્રણ દિવસના ઉપવાસ કરે છેને તબિયત માટે ? તેમ આ પણ નક્કી તો કરી જુઓ. આપણે ઘરમાં બધા ભેગાં થઈને નક્કી કરો કે ‘દાદા વાત કરતા હતા, તે વાત મને ગમી છે. તો આપણે ક્લેશ આજથી ભાંગીએ !' પછી જુઓ. પ્રશ્નકર્તા : હિન્દુસ્તાનમાં બધા જોઈન્ટ ફેમિલીમાં રહે છે અને આજુબાજુ, આડોશી-પાડોશી, એ બધાને લીધે ધણી-બૈરીમાં કકળાટ ને ક્લેશ વધારે હોય છે. જ્યારે અમેરિકામાં તો બીજું કોઈ નહીં, ધણી-ધણીયાણી બે જ. એટલે એકબીજાની જોડે વધારે એટેચમેન્ટ રહે છે અને સારી રીતે રહે છે, હિન્દુસ્તાન કરતાં. દાદાશ્રી : ઘણું સારું કહેવાયને ! એ તો વખાણ કરવા જેવી વાત છે. એવું સારી રીતે રહેતા હોય તો ઘણું સારું કહેવાય. પ્રશ્નકર્તા : ભારતમાં એવું શા માટે ? દાદાશ્રી : ભારતમાં તો ત્યાં કકળાટ જ રહેવાનો છે. કકળાટ જવા માટે અમારી જોડે બહુ ટચમાં રહેવું પડે ત્યારે અમુક માણસો કકળાટથી રહિત થયા પણ એકદમ કકળાટ નહીં જાય ભારતનો તો. કારણ કે સાસુ હોય, વડસાસુ હોય, કાકીસાસુ હોય, પાછા કો'ક દહાડો આવીને કહેશે, ‘આ વહુ તો બોલાવતાંય નથી, હું તો માસીસાસુ થાઉં તારી... મારે તારું શું કામ છે વગર કામનું. હું મારા ધણીને પૈણી છું. તું શું કરવા અહીં આગળ. મારે મારા ધણીનું કામ છે કે તમારું કામ છે તે ? પણ ત્યાં પેસી જાય, માસીસાસુ ને ફોઈસાસુ, બધા કેટલી જાતનાં લફરાં ! માતી પત્ની પૈસાતો પાવર, ભીંત બતી માણ પ્રેમતો ‘શાવર’! પ્રશ્નકર્તા : અહીંયાં અમેરિકામાં બૈરાંઓ પણ નોકરી કરેને એટલે જરાક વધારે પાવર આવી જાય સ્ત્રીઓને, એટલે હસબન્ડ-વાઈફને વધારે કચકચ થાય.
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy