SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અંતમાં પરમ પૂજ્ય દાદાશ્રી પતિ-પત્નીને કહે છે, “તમને ઠીક લાગતું હોય તો આ પ્રમાણે કરજો, નહિ તો તમને જે ગમતું હોય તે કરજો. મારે કંઈ દબાણ નથી આ. પહેલો વ્યવહાર શીખવાનો છે. વ્યવહારની સમજણ વગર તો લોક જાત જાતના માર ખાય.” કેટલાય લોકો દાદાશ્રીને હંમેશા કહેતા, ‘અધ્યાત્મમાં તો આપની વાત માટે કંઈ કહેવાનું જ નથી, પણ વ્યવહારમાંય આપની વાત ટોપની વાત છે. ત્યારે દાદાશ્રી કહેતાં, ‘વ્યવહારમાં ટોપનું સમજ્યા સિવાય કોઈ મોક્ષ ગયેલો નહીં. ગમે તેટલું બાર લાખનું આત્મજ્ઞાન હોય, પણ વ્યવહાર સમજ્યા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહિ. કારણ કે વ્યવહાર છોડનાર છે ને ? એ ના છોડે તો તમે શું કરો ? તમે શુદ્ધાત્મા તો છો જ પણ વ્યવહાર છોડે તો ને ?” - ડૉ. નીરુબહેન અમીત
SR No.008866
Book TitlePati Patni No Divya Vyavahar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2007
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy