SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) લીંક, ભાવ અને પરમાણુની ! ૨૫૯ પ્રશ્નકર્તા : એટલે પરમાણુનું રમકડું એ શું ? દાદાશ્રી : આ પરમાણુથી આ બોડી ઊભું થઇ ગયું, એ ભાવથી થઇ ગયું ને ! આ બોડી થયું છે તે ભાવ પ્રમાણે થયું ને ! પ્રશ્નકર્તા : હા, પણ એ પરમાણુ આ સ્થૂળ છે કે સૂક્ષ્મ છે ? દાદાશ્રી : પરમાણુ સૂક્ષ્મ છે પણ આમ દેખાય છે સ્થૂળ. રૂપી ખરુંને, એનો જાડો જાડો ભાગ થાય એટલે સ્થૂળ થઈ જાય. મૂળ પરમાણુ હોય, તે સૂક્ષ્મ હોય. પ્રશ્નકર્તા : અને ભાવ સ્થળ કે સૂક્ષ્મ ? દાદાશ્રી : ભાવ એ સૂક્ષ્મ અને ભાવ પરમાણુ ખેંચે તેનેય સૂક્ષ્મ કહે છે. પરમાણુ પછી સ્થૂળ થઇ જાય. તે આખું શરીર રૂપકમાં દેખવામાં આવે. પ્રશ્નકર્તા : આ પરમાણુ સૂક્ષ્મ, ભાવ પણ સૂક્ષ્મ છે, બન્ને એટલા જ સૂક્ષ્મ છે, પણ બન્ને ભેગા મળીને સ્થૂળ થઇ જાય છે ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : તો ? દાદાશ્રી : ભાવથી પરમાણુ ખેંચાયા એ જ પરમાણુ સૂક્ષ્મ થાય, બીજા પરમાણુઓ પછી ભેગા થઇ જાય ને એટલે સ્થૂળ થઇ જાય, મૂર્તિ થઇ જાય. પ્રશ્નકર્તા : બીજા ક્યા પરમાણુ ભેગા મળે પાછા ? દાદાશ્રી : ઇચ્છા હોય, એ ભાવમાં જેવું હોય ને, એવું બધું સ્થૂળ બહાર ઘડાઇ જાય. મૂર્તિ ઘડાઇ જાય, ભાવ પ્રમાણે. પ્રશ્નકર્તા : આ શરીર એ પરમાણુઓનો સમૂહ છે ? દાદાશ્રી : પરમાણુઓનો સમૂહ છે અને આ શરીર રૂપી છે. ૨૬૦ આપ્તવાણી-૧૪ (ભાગ-૨) પ્રશ્નકર્તા : આ બધું જગતમાં જે છે, જે પરમાણુઓનો સમૂહ છે, એ રીતે આકાર થયા છે બધા ? દાદાશ્રી : હા, બધા આકાર થયા છે, બસ. પ્રશ્નકર્તા : પણ છૂટા પડીને બધા પરમાણુ જુદા થઇ જાય, પાછા ભેગા મળી જાય ? દાદાશ્રી : ભાંજગડ જ એની છે. પ્રશ્નકર્તા : દેહનો વિલય થાય તે પરમાણુ છૂટા પડી જવાના ને ? દાદાશ્રી : પરમાણુ પછી ઊડી જાય. આપણે બાળી મેલીએ કે ઊડી જાય એ રીતે અને હતા તેવા ને તેવા જ થઇ જાય પાછા. મૂળ તત્વ પાછું વધે-ઘટે નહીં. આપણે જાણીએ કે બધું આ કેટલું નુકસાન થયું પણ એને કશું નુકસાન થતું નથી. પછી કશું નહીં. પ્રશ્નકર્તા : આજ એક માણસ મરી ગયો, પછી એનો બીજો જન્મ થવાનો હોય, તો જે એના પરમાણુઓ હોય તો એ પરમાણુ જ શુદ્ધાત્મા સાથે જાય ને ? દાદાશ્રી : ના, સ્થૂળ દેહના પરમાણુ જોડે ના હોય. પ્રશ્નકર્તા : તો કેવી રીતે જાય તો એનો બીજો જન્મ થાય છે ? દાદાશ્રી : તે તો એ કોઝિઝ પરમાણુ જાય છે. પ્રશ્નકર્તા : હા એ કોઝિઝ, પણ કોઇપણ કોઝિઝ પરમાણુ તો ખરા જ ને ? દાદાશ્રી : એટલે રાગ-દ્વેષ કરેલાને એ પરમાણુ તો ખરા ને ! પ્રશ્નકર્તા : રાગ-દ્વેષના ભાવ કરેલા પરમાણુ, એ પરમાણુ ને ભાવ મિક્સ થઇને કારણ દેહે બીજા દેહમાં જાય ?
SR No.008841
Book TitleAptavani 14 Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2006
Total Pages243
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size135 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy