SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર ૨૮૩ ૨૮૪ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) એનો વિકાસ કરીએ તો જ પરમાત્મા પદની પ્રાપ્તિ થાયને ? દાદાશ્રી : એનો વિકાસ નહીં. એ તો સંપૂર્ણ છે. અનંત જ્ઞાનમય છે. વિકાસ એનો કરવાનો જ નથી. આ તો ક્રમિક માર્ગમાં એવું શીખવાડે છે. તે આ જ્ઞાન-દર્શન-ચારિત્ર એ તો વ્યવહાર છે, સાચી વસ્તુ જ નથી. આ વ્યવહાર ઉપરથી નિશ્ચયમાં જવાનું છે. વ્યવહારથી કંઈ સમકિત થઈ જાય, તો પછી એને આગળ નિશ્ચયનો સાંધો જડે. સમકિત થાય નહીં ત્યાં સુધી નિશ્ચયનો સાંધો જડે નહીં. વ્યવહાર ચાસ્ત્રિ ! તો એ જ્ઞાન, દર્શન, ચારિત્ર ને એ બધું ભેગું સ્વરૂપ એ જ આત્મા. પણ આ જુદા જુદા છે એટલે બધે રસ્તે ચડતો ચડતો આવતો હોયને, તે પહેલું દર્શન એને સમજાય. પછી જ્ઞાનને સમજે અને પછી ચારિત્ર. એટલે બધું જુદું જુદું સમજે. પણ છે મૂળ એકનું એક. પણ સમજાવવા માટે આ બધી વાત એ વિગતે કરેલી. સમજણ સામાને સમજાય કે દર્શન એ શું છે. ને એ બધું કારણ કે પોતે જ્ઞાતા-દ્રા રહે. જ્ઞાતા-દ્રા પોતે એટલે જ્ઞાન ને દર્શન પોતે. અને પરમાનંદ એ એનું ચારિત્ર. પ્રશ્નકર્તા : એ એનું પરિણામ છે ? દાદાશ્રી : એ પરિણામ, પણ એ જ ચારિત્ર. પ્રશ્નકર્તા : જ્ઞાન, દર્શન, ચારિત્રમાં શરૂઆત દર્શનથી ? દાદાશ્રી : એ તો આ સંસારની અપેક્ષાએ છે. બાકી એનામાં એ કશું જુદું જુદું છે જ નહીં ત્યાં આગળ. આ તો સંસારમાં પડેલો છે માટે. તેનું દુ:ખ છે. એ જે દર્શન ઊંધું છે તે છતું કરી આપવું પડે. દર્શન છતું કરી આપીએ, ત્યારે જ્ઞાન ઊંધું છે એ જ્ઞાન છતું થાય અને પછી ચારિત્ર ઊંધું છે તે ચારિત્ર છનું થાય. આ જ્ઞાન, દર્શન ને ચારિત્ર સંસારમાં જે છે, એ બધાં ચારિત્ર કહેવાય ખરાં પણ તે ઊંધા જ્ઞાન-દર્શન ચારિત્ર કહેવાય. છત્તાં જ્ઞાન, દર્શન, ચારિત્ર નથી એ. ઊંધા એટલે વિપરીત ને ચત્તાં એટલે સમ્ય. તથી કરવાનો વિકાસ આત્મગુણતો ! પ્રશ્નકર્તા: આત્માના ગુણોનો વિકાસ કરે એ જ જ્ઞાન અને બીજું બધું અજ્ઞાન કહેવાયને ?' દાદાશ્રી : આત્માના ગુણોનો વિકાસ કરવાનો જ નથી એ પોતે વિકસીત જ છે. આત્મા તો પરમાત્મા જ છે. એના ગુણોનો વિકાસ આપણે શું કરવાના ? પ્રશ્નકર્તા : જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ આત્માના ગુણો છે, તો હવે જ્ઞાન, દર્શન, ચારિત્ર, એક વ્યવહારમાં અને એક નિશ્ચયમાં, બે જુદા જુદા હોય. નિશ્ચયનું રિયલ હોય અને વ્યવહારનું રિલેટીવ હોય, વ્યવહારનું આ સાધુ-આચાર્યો બધાનું વ્યવહારનું ચારિત્ર કહેવાય. એ જો ભગવાનના કહ્યા પ્રમાણે ચાલે તો, નહીં તો વ્યવહારનું ય ચારિત્ર ન કહેવાય. હવે વ્યવહારનું ચારિત્ર એટલે શું ? લોકોને દુઃખ નહીં આપવું, અહિંસા ધર્મ પાળવો, જે ધર્મમાં અહિંસાનો ઉપદેશ લખાયેલો હોય, એ વ્યવહારિક જ્ઞાન કહેવાય. અહિંસા ઓછી હોય તો ઓછું જ્ઞાન, વધારે હોય તો વધારે જ્ઞાન, જેવું એ અહિંસાનું પ્રમાણ, દરેક ધર્મમાં અહિંસાનું તો કંઈક હોય જ, ક્રિશ્ચિયન ધર્મે ય માણસોને મારીને ખાવાનું ના પાડે પ્રશ્નકર્તા : છતાં એ લોકો માંસ બહુ ખાય છે. દાદાશ્રી : નહીં પણ, માણસ માણસને તો નથી ખાતા, એટલે કંઈકે ય ધર્મ છે ત્યાં, એ લોકો જાનવરને ખાય છે. પ્રશ્નકર્તા : જ્ઞાન એટલે સમજને ? દાદાશ્રી : જ્ઞાન એટલે હિતાહિતનું ભાન કરવું, હિતાહિતનું જ્ઞાન જાણવું, પોતાનું હિત શેમાં ને અહિત શેમાં એ જાણ્યું, એનું નામ જ્ઞાન.
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy