SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન - અજ્ઞાન ૨૧૫ ૨૧૬ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) દાદાશ્રી : એ ય પુરુષાર્થ જોય. એ તો એને ભાન જ નથી અજ્ઞાનમાં ભાગ્યે જ કોઈ માણસ સમજતો હોય કે આને પુરુષાર્થ કહેવાય. પ્રશ્નકર્તા : જો અજ્ઞાન દશામાં પુરુષાર્થ ન હોય તો ક્યા બળે આત્માને જ્ઞાન થાય ? અજ્ઞાનમાંથી જ્ઞાનમાં આવે ? દાદાશ્રી : પુણ્યના બળે. પુણ્યાનું બંધી પુણ્યથી જ્ઞાની પુરુષ ભેગા થાય. અને જ્ઞાની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થાય. પુરુષાર્થ જ્ઞાન થયા પછી જ થાય. પહેલાં હોય નહીં. પહેલાં ભ્રાંતિ જ હોય. પુરુષ થયા પછી પુરુષાર્થ થાય. પ્રકૃતિ ને પુરુષ બે જુદાં પડે. જ્ઞાન થાય એટલે પુરુષાર્થ શરૂ થાય અને ત્યાં સુધી પ્રકૃતિ ને પુરુષ બે એકાકાર છે. તન્મયાકાર છે ત્યાં સુધી ભ્રાંતિ છે. છે પણ સંજોગ કોને આધીન છે? પ્રશ્નકર્તા : આપણા કર્મને આધીન છે. દાદાશ્રી : તો કર્મ કોને આધીન ? પ્રશ્નકર્તા ઃ આપ સમજાવો, મને ખ્યાલ નથી આવતો. દાદાશ્રી : એવું છે કે, આપણે અત્યારે જે છીએ ને, તે વસ્તુમાં આપણે ખરેખર શું છીએ ? આ નામરૂપ નથી આપણે. વ્યવહારરૂપ નથી આપણે. તો ખરેખર શું છીએ આપણે ? ત્યારે કહે છે, જેટલું આપણું જ્ઞાન અને જેટલું આપણું અજ્ઞાન એટલું, એ જ આપણે. જ્ઞાન હોય એ પ્રમાણે સંજોગો બાઝે. અજ્ઞાન હોય તો તે પ્રમાણે સંજોગો બાઝે. જ્ઞાન-અજ્ઞાનનાં પ્રમાણે સંજોગો બાઝે છે. પ્રશ્નકર્તા અને એ જ્ઞાન-અજ્ઞાન પ્રમાણે કર્મ થાય ? દાદાશ્રી : હા. તે પ્રમાણે કર્મ થાય ને તેના હિસાબે આ બધા સંજોગ બાઝે. ઊંચો માણસ તે ઊંચી જાતના કર્મ બાંધે. એને જ્ઞાન ઊંચું એટલે. હલકો માણસ નીચી જાતના કર્મ બાંધે. એટલે જ્ઞાન અને અજ્ઞાનના હિસાબે એ બાંધે છે. ત્યારે કહે છે, એ એમના હાથમાં છે ? ત્યારે કહે, ના, એ પોતે જ છે એ. આ નામ એ પોતે નથી, અહંકાર એ પોતે નથી, ‘આ’ પોતે છે. પોતે' શું છે ? પ્રશ્નકર્તા : સિનેમા જોવા જાવું હોય તો જલ્દી જતાં રહેવાય પણ અહીં સત્સંગમાં આવવું હોય તો જલ્દી ન અવાય. દાદાશ્રી : એનું શું કારણ ? પ્રશ્નકર્તા ઃ એમાં નિર્માણ થયું હશે એવું ? દાદાશ્રી : સિનેમામાં મન સહકાર આપે. એટલે પછી એ સ્લીપ થાય છે તે નીચે અધોગતિમાં જાય છે. એ ગમે. હેલ્પ કરે નહીંને, એમ ને એમ જ સ્લીપ થયા કરે. પેલું ચઢવામાં મહેનત, ધ્યેયપુર્વક જવામાં મહેનત કરવી પડે. આ નીચે જવામાં સ્લીપ થયા કરે. ઉતરવાનું ય નહીં. સ્લીપ જ થાય, એની મેળે જ સ્લીપ થાય. તમને કોઈ દિવસ સ્લીપ કર્યું નહીં હોય, કરેલું પ્રશ્નકર્તા : “આ પોતે છે' એટલે શું દાદા ? દાદાશ્રી : જ્ઞાન કે અજ્ઞાન, તે જ પોતે. એ જ એનું ઉપાદાન. પણ એ સમજણ ના પડે એટલે એના પ્રતિનિધિ એટલે અહંકારનો આપણે સ્વીકાર કરીએ છીએ. આ બહુ ઊંડી વાત છે. સંતો ય જાણતા નથી. ક્રમિક માર્ગના જ્ઞાનીઓ ય જાણતા નથી. પ્રશ્નકર્તા : સંજોગોને આધીન ના અવાયું, એવું બને ને ! દાદાશ્રી : પણ એ સંજોગો કોને આધીન છે ? તમે કહીને છૂટી ગયા કે સંજોગોને આધીન અવાયું નહીં. વાતે ય સાચી છે, સો ટકા સાચી પ્રશ્નકર્તા ઃ હા, એ જરા જલદી સમજાય એવું નથી.
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy