SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનીયકર્મ ૧પ૯ ૧૬૦ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) છે હું કહું છું એ પ્રમાણે ? જ્ઞાનાવરણ, દર્શનાવરણ કેવું પધ્ધતસર, સીડીબંધ કહ્યું છે. આનું કારણ શું ? બધાનું મૂળ કારણ, આઠેય કર્મનું મૂળ કારણ દર્શનાવરણ. તે આ મૂળ કારણ પહેલું છેદાય છે. એટલે દર્શનાવરણ તમારું આખું ફૂટી ગયું. પ્રશ્નકર્તા : દર્શન મોહનીય પહેલું તૂટ્યું કે દર્શનાવરણ પહેલા મારાથી ઘર છોડાય એવી પરિસ્થિતિ નથી.’ એટલે થયું ? એ બોલ્યો ને તેની સાથે દિક્ષા અંતરાય બાંધ્યો. જ્ઞાનાતંરાય, દર્શનાવરણ વધ્યું. એટલે આ બધું જોખમ છે. તૂટ્યું? દાદાશ્રી : એ મોહ ને એ આવરણ, બેઉ સાથે જ તૂટે. એટલે આઘુંપાછું નહીં, બન્ને સાથે ફ્રેકચર, એટ એ ટાઈમ બધું જ ફ્રેકચર, એક કલાકમાં. દર્શનાવરણ બધું તૂટી ગયેલું હોય, પણ હવે શું થાય ? બીજા પેલા કર્મો આવે છે ને, તે ગૂંચવે એને. આ દર્શનનો લાભ ના લેવા દે. નહીં તો મારી પેઠ તમેય જોઈને બોલો પણ એ લાભ ના લેવા દે, બધાં ગૂંચવે આ તો અક્રમ જ્ઞાનની બલિહારી છે કે કંઈક ઉદય આવ્યો છે. આવી અજાયબી સાંભળેલી જ ના હોય ! એક અંશ દર્શનાવરણ ઘટવું બહુ મુશ્કેલ છે. આ કાળમાં ઊલટું વધ્યા જ કરતું હોય, ત્યાં ઘટવાનું હોય ક્યાંથી ? બે ટકા ઘટે ને ચાલીસ ટકા ઉત્પન્ન થાય. અક્રમમાં ચાર્જકર્મ કેટલું? પ્રશ્નકર્તા એટલે દ્રવ્યકર્મ બંધાવવાનું મોટામાં મોટું કારણ મોહનીય? દાદાશ્રી : મોહનીય, બીજું શું ? દ્રવ્યકર્મ બાંધનારો એ મોહ તમારો ઊડી ગયો. હવે તમને મોહ કયો રહ્યો ? ડિસ્ચાર્જ મોહ. સાડીઓ પહેરો, મનમાં નથી ભાવ હવે. આ બધો ડિસ્ચાર્જ મોહ રહ્યો અને જગત આખાને નવો મોહ બંધાયા કરે, રૂટ કોઝ. તમારું રૂટ કોઝ તોડી નાખ્યું. હવે તમારે ડિસ્ચાર્જ મોહ રહ્યો, ચાર્જ મોહ ઊડી ગયો. ક્રમિક માર્ગમાં ચાર્જ મોહ અને ડિસ્ચાર્જ મોહ, બંને સાથે ચાલે. પ્રશ્નકર્તા : એટલે અમને હવે નવું દ્રવ્યકર્મ ઊભું ના થાય ? દાદાશ્રી : થાય તે પણ કેટલું ? અમારી આજ્ઞા પાળો એટલું, બીજું નહીં. એક-બે અવતાર થાય અને તે પુણ્યના. આ બધી મુશ્કેલી ના હોય. આજ્ઞા પાળવાથી તો જબરજસ્ત, ઊંચામાં ઊંચું પુણ્ય બંધાય. તે સીમંધર સ્વામી પાસે જ બેસી રહેવાનું મળે !!! પ્રશ્નકર્તા : આ માલ બહુ ભરેલો લાગે છે હજી. દાદાશ્રી : ભરેલો ને તે, એ શેના જેવું કે કોઈને જ્ઞાન આપ્યું હોય પછી એને કહ્યું હોય, તું જ્ઞાનમાં રહેશે. ત્યારે કહે, હા, કાલે જ્ઞાનમાં રહીશ. અને પછી બહારથી હજાર માણસોને કંઈનું કંઈ પૂછવા મોકલીએ તો પછી કેટલો જ્ઞાનમાં રહે ? આ બધાને મોકલ મોકલ કરીએ જાઓ, આમ પૂછી આવો, તેમ પૂછી આવો, ફલાણું પૂછી આવો પછી કેટલો વખત રહે ? એવું આ સંયોગો તમને ગૂંચવે બધાં અને અમને સંયોગો બહુ હોય નહીં અને અમારા સંયોગો બધા જોય સ્વરૂપે હોય. તે તમારે ય જોય સ્વરૂપે છે, પણ તમને શેય રહેવા જ ના દે ને, આ બધાં આવે વારાફરતી એટલે. કારણ કે અક્રમ છેને ! કમિક હોય તો તો દેખાય નહીં, ક્રમિક એટલે બધો માલ ખપાવેલો હોય. એ કરોડો-કરોડો અવતારે માલ ખપે નહીં, આનું ઠેકાણું પડે નહીં. ક્યારે માલ ખપે અહીં આગળ ? ક્યારે આ લોકો ઘર છોડે ને ત્યાં આગળ દીક્ષા લે ને ક્યારે મેળ પડે ? “ના, ના બાપજી, મારું કામ નહીં.
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy