SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આશાની મહત્વતા ૪૩ જ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) દાદાશ્રી : એ પાંચ આજ્ઞા એ જ ચાર્જ છે. કારણ એ અમારી આજ્ઞાપૂર્વક કરો છો. એ આજ્ઞા પાળો છો, કરો છો એટલે એટલું ચાર્જ છે પણ અમુક જ ચાર્જ છે. બીજું બધું ચાર્જ બંધ થઈ જાય. અને એટલાં પૂરતાં જ એક અવતાર, બે અવતાર કે ત્રણ અવતાર થાય. આજ્ઞાથી પ્રગતિ ઝડપી ! પ્રશ્નકર્તા : આપણે જ્ઞાન પામ્યા પછી જે આપણી પ્રગતિ થાય મહાત્માઓની, તે પ્રગતિની સ્પીડ શેના ઉપર આધાર રાખે છે ? શું કરે તો વહેલી ઝડપી પ્રગતિ થાય ? દાદાશ્રી : પાંચ આજ્ઞાઓ પાળે તો બધું ઝડપી ને પાંચ આજ્ઞા જ એનું એ કારણ છે. પાંચ આજ્ઞા પાળે એટલે આવરણ તૂટતું જાય. શક્તિઓ પ્રગટ થતી જાય. તે અવ્યક્ત શક્તિ છે, એ વ્યક્ત થતી જાય. પાંચ આજ્ઞા પાળવાથી ઐશ્વર્ય વ્યક્ત થાય. બધી જાત જાતની શક્તિઓ પ્રગટ થાય. આજ્ઞા પાળવા ઉપર આધાર છે. દાદાશ્રી : એટલે શુદ્ધાત્મા જોવું અને રિલેટિવ એનું ખોખું જોવું એ બે નિશ્ચય સ્વરૂપ છે. અને ત્રણ વ્યવહારિક છે ફક્ત. એ ત્રણ વ્યવહાર ને આ બે નિશ્ચય. વ્યવહાર-નિશ્ચય સાથેનો આપણો આ માર્ગ બધો. નિશ્ચયથી શુદ્ધાત્મા છે અને વ્યવહાર દ્રષ્ટિથી બકરી એકલી જ દેખાય. માટે એ બંને નિશ્ચયમાં જ જાય છે અને પેલાં ત્રણ વ્યવહારનાં છે અને વ્યવહાર-નિશ્ચય બંનેની સમતુલા રાખે. આ પાંચ આજ્ઞા ઠેઠ મોક્ષે લઈ જતાં સુધી કામ કર્યા કરે અને સરળ-સીધી, વાંકી નહીં, ચૂંકી નહીં. કશું છોડવા કરવાનું કશું કહેલું નથી. આજ્ઞાતા આધારે અવતાર ઓર એક ! તમને કર્મ બંધાય જ નહીં. એક અમારી આજ્ઞા પાળવા પૂરતું જ કર્મ બંધાય. તે એક અવતાર થાય. પ્રશ્નકર્તા : પાંચ આજ્ઞાઓ જ્ઞાની હયાત હોય ત્યાં સુધી જ પાળવાની કે પછી પણ ? દાદાશ્રી : પછી પણ. એ તો કાયમની પાળવાની. પ્રશ્નકર્તા : આવતાં બે કે ત્રણ ભવમાં આની લિંક રહે કે નહીં ? દાદાશ્રી : ગયા અવતારમાં જે બાકી રહી હતી, તે લીંક આ અવતારમાં પૂરી થાય છે અને જે આ અવતારની બાકી હશે, તે આવતા અવતારમાં પૂરી થશે. હવે તો તમારે ફક્ત એક અવતાર આમાં કાઢી નાખવાનો. બીજો અવતાર તો એની મેળે આજ્ઞા પાળ્યા બદલનો આવશે. બીજો અવતાર આજ્ઞાના આધાર ઉપર છે અને આશાના આધારવાળો અવતાર તો એવો ગજબનો અવતાર હોય ! ભવબીજનો આધાર શું છે ? આજ્ઞા. પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞારૂપી બીજનો આધાર છે. પ્રશ્નકર્તા : આપે કહ્યું કે મને હવે નવું કર્મ ચાર્જ થતું બંધ થઈ ગયું. હવે ફક્ત ડિસ્ચાર્જ જ રહ્યું. પણ આપે જે પાંચ આજ્ઞા આપી છે, એનું પાલન કરતાં કરતાં પણ ચાર્જ તો થાય છે, એમ પણ આપે કહ્યું. અમારી આજ્ઞાને સિન્સીયર રહેવું એ તો મોટામાં મોટો મુખ્ય ગુણ કહેવાય. અમારી આજ્ઞાથી જે અબુધ થયા તે અમારા જેવો જ થઈ જાયને ! પણ આજ્ઞા જ્યાં સુધી સેવે છે ત્યાં સુધી આજ્ઞામાં ફેરફાર પછી ના થવો જોઈએ. તો વાંધો ના આવે. જ્ઞાનથી આજ્ઞા પાળે એટલે બધે પરિણામ પામેલું હોય અને બુદ્ધિથી આજ્ઞા પાળે એટલે પરિણામ પામે નહીં કશું ! જ્ઞાતીતો રાજીપો મળે આજ્ઞા પાળે ! અમારી આજ્ઞા જેટલી પાળે છે તેટલો તેને અવશ્ય અમારો રાજીપો મળે છે. આપણી દ્રઢ ઇચ્છા છે કે જ્ઞાનીની આજ્ઞામાં જ રહેવું છે તો તેમની કૃપા થકી આજ્ઞામાં જ રહેવાય. આજ્ઞા પાળે ત્યારે આજ્ઞાની મસ્તી રહે. પ્રશ્નકર્તા : આપની કૃપા હોય તો આજ્ઞામાં રહી શકાય ને આજ્ઞામાં રહેવાથી કૃપા મળે. તો આ સાચું શું ?
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy