SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચય - વ્યવહાર ખાઓ-પીઓ છો તો ય તમારો શુદ્ધ વ્યવહાર છે કે અશુદ્ધ ? શુદ્ધ વ્યવહા૨. કારણ કે તમારે ખાવાનું જ નહીંને ! આપણો વ્યવહાર શું કહે છે ? આહારી આહાર કરે છે. એટલે બહુ સુંદર વિજ્ઞાન છેને આપણું ? નહીં તો કલાકેય સમાધિ કેવી રહે ? જ્ઞાન વગર તો કોઈનો ય મોક્ષ થાય નહીં. આ બહાર છે એ શુભાશુભનો વ્યવહાર કહેવાય, એ જ્ઞાનેય ના કહેવાય. ૩૮૯ શુદ્ધ વ્યવહાર એટલે આત્મા કંઈ પણ ડખો ના કરે. આત્મા જાણ્યા કરે ને વ્યવહાર ચાલ્યા કરે, એનું નામ શુદ્ધ વ્યવહાર. પછી એ ગમે તે હોય, ડૉક્ટરનું દવાખાનું ચલાવતા હોય કે ખેતી કરતો હોય કે વ્યાપાર હોય એ જોવાનું નથી. આત્મા કયાં વર્તે છે એટલું જ જોવાનું છે. બીજી હિંસા ખરી રીતે તો રિયલી સ્પિકિંગ છે જ નહીં. કોઈ જીવ મરતોય નથી ને જન્મ પામતોય નથી. આ તો બધાં પુદ્ગલનાં પૂતળાં ઊભાં થાય છે ને સ્પંદનો વાગે છે. તે એ સામાં બીજા સ્પંદનો મારે છે. પણ એમાં પેલાને એવી ભ્રાંતિ છે કે ‘આ હું છું' એટલે જ પોતાને એનો દોષ બેસે છે ! શુદ્ધ વ્યવહાર કોનું નામ કહેવાય કે વ્યવહારમાં મમતા નહીં, એનું નામ શુદ્ધ વ્યવહાર. પછી ગમે તેવો હોય, એની સાથે આપણે જરૂર નથી. જો વ્યવહારમાં મમતા હોય ત્યાં કષાય હોય અને તે શુદ્ધ વ્યવહાર કહેવાય નહીં. તથી શુદ્ધ વ્યવહાર આત્મજ્ઞાત વિતા ! પ્રશ્નકર્તા : પણ જો આત્માની પ્રતીતિ બરોબર બેસે, તો જ શુદ્ધ વ્યવહાર થઈ શકે. દાદાશ્રી : હા, અને નહીં તો વ્યવહાર શુદ્ધ થઈ શકે જ નહીં. શુદ્ધ વ્યવહાર ક્યારે કહેવાય એ કહું તમને ? ગધેડામાં આત્મા દેખાય, કૂતરામાં આત્મા દેખાય, બિલાડીમાં આત્મા દેખાય, ઝાડમાં આત્મા દેખાય, એવું બધાને આત્મારૂપે જુએ ત્યારે એ શુદ્ધ વ્યવહાર છે. શુભતો કર્તા, તે સર્વ્યવહાર ! પ્રશ્નકર્તા : લૌકિક વ્યવહારમાં, સદ્વિચાર ને સદાચારની વાત જે થાય છે, એ પાંચ આજ્ઞામાં રહીએ તો એ નિરંતર હોય જ ને ? આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) દાદાશ્રી : પાંચ આજ્ઞા નિરંતર પાળતો હોય તો સદાચારમાં એ પોતે ના ય હોય, સર્વ્યવહારે ના હોય પણ શુદ્ધ વ્યવહાર તો હોય જ. પાંચ આજ્ઞા પાળીએ એટલે વ્યવહાર શુદ્ધ જ હોય. સદાચાર એ શુભ વ્યવહાર છે. સદાચાર અને સર્વ્યવહાર, એ બેઉ અહંકારના આધીન છે અને શુદ્ધ વ્યવહાર નિર્અહંકારના આધીન છે. શુદ્ધ વ્યવહારમાં શું શું બને કે ચંદુલાલ છોકરાને ટૈડકાવે, પણ તમે પોતે અંદર કહો કે ‘ચંદુલાલ, આ શું કરો છો ?” હવે અહીં તમારો શુદ્ધ વ્યવહાર છે. પ્રશ્નકર્તા : એટલે શુદ્ધ વ્યવહારમાં શું શું કરવાનું હશે ? દાદાશ્રી : ક૨વાનું કશું હોતું જ નથી. કર્તાભાવ એ ભયંકર બ્રાંતિ છે. અને જે કર્તાવાળા છે, શુભના કર્તા છે એ સર્વ્યવહાર અને અશુભના કર્તા છે એ અસવ્યવહાર. અને તમે કોઈ ચીજના કર્તા નથી, તે આ તમારો શુદ્ધ વ્યવહાર છે. કોઈ કર્મના કર્તા નથી એવું તમને ભાન રહે છેને ? એ ભાન રહ્યું એટલે શુદ્ધ વ્યવહાર થયો. વ્યવહાર શુદ્ધ થયો એટલે નિશ્ચય શુદ્ધ થયો. ૩૯૦ એટલે આપણે આ પાંચ આજ્ઞા પાળે એ શુદ્ધ વ્યવહાર છે, બિલકુલ શુદ્ધ વ્યવહાર. સર્વ્યવહાર તો એથી નીચેનો સ્તર કહેવાય, ઘણો નીચેનો. જગતે શુદ્ધ વ્યવહાર જોયો જ નથી. સદ્યવહાર સુધી આવેલું જગત. સર્વ્યવહારતી ઊંડી સમજ ! પ્રશ્નકર્તા : સર્વ્યવહારની વ્યાખ્યા શું ? દાદાશ્રી : જેમાં પોતાના કષાયો સામાને નુકસાન ના કરતા હોય, પોતાનાં કષાયો પોતાને એકલાને નુકસાન કરે, પણ બીજા કોઈને નુકસાન ન કરે એ સર્વ્યવહાર. અને બીજાને કષાયો નુકસાન કરે, એ શુભાશુભ વ્યવહાર. ઘડીમાં કષાયો ફાયદોય કરે ને ઘડીમાં નુકસાન કરે તે શુભાશુભ વ્યવહાર. આ શુભાશુભ વ્યવહાર એ તો વ્યવહારેય નથી. વ્યવહાર સર્વ્યવહાર જોઈએ. શુદ્ધ વ્યવહાર તો જાણે કે જ્ઞાની પુરુષની પાસે એમની આજ્ઞા પાળવાથી થાય, પણ સંસારમાં સર્વ્યવહાર જોઈએ. હવે
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy