SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) કે આ સત્સંગ છેને ! કુસંગ ક્યારે કૈડી ખાય એ કહેવાય નહીં. એકાદ અવળો વિચાર મહીં પેસી ગયો તો એ વીસ વર્ષ ના નીકળે. મહીં ઊગવા માંડ્યો તો ઝાડ થાય મોટું. એ કુસંગની વાતો બધી મીઠી હોય, એકદમ પેસી જાય એવી. સત્સંગનું માહાત્મય ! ૩૬૫ છે, છૂટું જ લાગે છે. દાદાશ્રી : હા, પણ હજુ આ જગતનો ભો ખરોને, કુસંગ તમને મળી આવે તો. નવું કુસંગનું જ વાતાવરણ છે. એટલે કુસંગમાં જો કદી તરબોળ થઈ જાય, તો થોડો માર ખઈ જાય. પ્રશ્નકર્તા: પણ હવે જોઈએ જ નહીંને, કુસંગ જ ના જોઈએ હવે. દાદાશ્રી : એ ના જોઈએ પણ અહીં કોઈ માણસ એવા ઝંપલાઈ જાય ને તો પડી જાય, માટે કુસંગથી છેટા રહેવું, એવું અમારું કહેવાનો ભાવાર્થ છે. બાકી કોઈ આમાં નામ ના દે એવું આ જગત છે. અત્યારે આ જે ગોઠવણી કરે ને, તેમાં એટલું આ ચેતવું. બીજું બધું વ્યવસ્થિતમાં છે, જ્યાં ચિંતા કરવાની જગ્યા નથી. તું મુંબઈમાં ઓબેરોય હોટલમાં જઈને એક વાર ચા પી આવ. જોકે, કેટલી બધી મન ઉપર ખરાબ અસર થઈ જશે ?! અને એ લોક બધાં ભેગા થાય એ નહીં, પણ પરમાણુ બધાની અસર તો રહે. પ્રશ્નકર્તા : ખાલી એક ચાની આટલી અસર થતી હોય, તો... દાદાશ્રી : એકલી ચાની અસર નહીં, ત્યાં જઉં, પગથિયાં ચઢ્યો ત્યાંથી જ અસર થયા કરે. આટલી લસણની કળી ઘીમાં નાખે ને, તો બહાર શું થાય ? કુસંગમાંથી સત્સંગમાં ખેચે પય ! કુસંગ થઈ જાય તો પછી ભાંજગડ પડી જાય કોઈ ફેરો. તેય થોડો ટાઈમ માટે સત્સંગની વધારે પષ્ટિ મળે તો પેલું ઊડી ય જાય. તે કોક ફેરો જોખમ છે. હંમેશાં અપવાદ તો હોયને ! માટે કુસંગથી છેટા રહેવું. પ્રશ્નકર્તા : કુસંગ તો જોઈએ જ નહીં હવે. પ્રશ્નકર્તા : કુસંગમાંથી સત્સંગમાં જવું એ પ્રજ્ઞાનો પુરુષાર્થ કહેવાય ? દાદાશ્રી : પણ તોય જેમ બને તેમ, વધારે સત્સંગીઓમાં પડી રહેવું. ભલે ગાળો દે તોય એની જોડે પડી રહેલા સારા. ગાળો દે તોય વાંધો નહીં, સત્સંગીઓને ત્યાં. ત રખાય વિશ્વાસ વિષીલા સર્પતો ! પ્રશ્નકર્તા: પણ કુસંગ, કુસંગ તરીકે અસર ના થતો હોય તો એ કુસંગ કહેવાય નહીંને ? દાદાશ્રી : તોય એ વિશ્વાસ રખાય નહીં એનો. સાપ પાળ્યો હોય તો એનો વિશ્વાસ રખાય નહીં. ક્યારે એના સ્વભાવમાં જતો રહે એ કહેવાય નહીં. એ તો આ સત્સંગ સારો આપણો, ગમે તેવો ગાંડોઘેલો હોયને, આમની જોડે પડી રહેવાનું થાય તોય વાંધો રાખવો નહીં. કારણ દાદાશ્રી : ના, પ્રજ્ઞા ત્યાં આગળ આવતી જ નથી. ત્યાં તો એવું કંઈક પુણ્ય કર્યું હોય, તે પુણ્ય તે ઘડીએ જોર કરે. બાકી, મૂળ આત્મા તો કોઈ પણ સંગનો સંગી થતો નથી. અસંગ જ છે, સ્વભાવથી જ અસંગ છે. તેને લોક અસંગ થવા માટે દોડધામ કરે છે. વ્યવહારિક રીતે સત્સંગ હોવો જોઈએ. કારણ કે કુસંગ અને સત્સંગ બે પ્રકારના જે ભાવ હોય છે, તેમાં જે અહીં સત્સંગની અંદર પડેલો હશે. તેનો કો'ક દહાડો નિવેડો આવશે. કુસંગમાં પડેલાનો નિવેડો ના આવે. વસો મહાત્માઓતા વાસમાં ! પ્રશ્નકર્તા : એટલે દાદાના મહાત્માઓને આ પ્રશ્ન પણ ગોઠવવો પડશે. વ્યવહાર કેવી રીતે રાખવો? અને જેનું લાંબું આયુષ્ય હોય તો કઈ
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy