SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) મોક્ષનું તપ ૨૯૧ દાદાશ્રી : એય પ્રાપ્ત તપ કહેવાય. તમારું તપ શાથી વહેલું આવ્યું કે જલદી ઉકેલ આવવાનો છે, ચોખ્ખા થઈ જવાના છે, સ્વીડિલી ! ઉખાડતી વખતે નહીં તપ થાય છેને ! ચિત્તમાં દુઃખ થાય છે ? એ તપ કહેવાય. એ તપને જોયા કરવું. એને દુ:ખ નહીં માનવું. દુઃખ માનો તો તપ ઊડી જશે તે ઘડીએ. જ્ઞાત - દર્શન - ચાત્રિ - તપ ! ‘હું શુદ્ધાત્મા છું” એ દર્શન. એનો અનુભવ થાય એ જ્ઞાન. જેટલા પ્રમાણનો અનુભવ, એટલા પ્રમાણમાં વીતરાગતા, એટલું જ ચારિત્ર. એટલે આ જ્ઞાન-દર્શન ચારિત્ર ને તપ, એ ચોથા પાયાનો નિકાલ તો કરવો જ પડશેને ? તે અંદર હૃદય તપે, એને આપણે જોયા કરવાનું, એનું નામ તેમ કહેવાય. પ્રશ્નકર્તા : તપ એટલે શું, અંદર ઘર્ષણ થાય ? દાદાશ્રી : નહીં, મહીં અજંપો થાય ને અકળામણ થાય. મોઢે બહાર ના બોલીએ પણ અંદર ને અંદર અકળામણ થઈ જાય. તે તપ સહન કરવું પડે. બહાર તો ફાઈલોનો નિકાલ કરીએ સમભાવે, પણ મહીં અકળામણ થઈ જાય એ સહન કર્યું ને પેલાને સામાને દઝાડ્યા સિવાય શાંતિથી સહન કર્યું, એનું નામ તપ કહેવાય. એને અદીઠ તપ કહ્યું. અમને આપણા મહાત્માઓ કહે, આટલું બધું અમારું વર્તન ખરાબ થઈ જાય છે, તોય પણ તમને કશું થતું નથી ?” મેં કહ્યું, ‘મારે શું થાય છે ? એ તો અનુભવમાં આવી ગયેલું હોય, એમાં બીજું શું થવાનું હોય ? એ તો તમે કહો છો કે મને કહેજો તેથી કહું, નહીં તો મોઢે બોલુંય નહીં તમને.” પહેલું તપ કરે જબરજસ્ત, ત્યારે પેલો દર્શનમાંથી જ્ઞાન ભેગો થાય. પ્રશ્નકર્તા: તપ પણ પેલું ના છૂટકે કરે અને સમજણથી કરે, એમાં ફેર પડી જાયને, દાદા ? દાદાશ્રી : ના છૂટકે કરે તોય એમ કરતાં કરતાં તો એની ખોટ ઓછી થઈ જાય. પ્રાપ્ત તપમાં ચૂકે સમતા. એટલે અમે જે કરીએ છીએ એ જ તમને કહીએ છીએ. પ્રશ્નકર્તા : પ્રાપ્ત તપ કરવાનું એ પ્રસંગ પોતાના ઉપર આવે છે ત્યારે યાદ ન રહે, ત્યારે તો કષાય ઊભો થઈ જાય. દાદાશ્રી : એ થોડો વખત એવું થઈને પછી એડજસ્ટ થઈ જાય. આપણને એમ થાય કે આવું જ થયા કરે છે. પછી એ બધું બગડી જાય. એક મિનિટમાં કઢી ઊતારી લે તો ચાલે ? ઊભરો આવવા દેવો જોઈએ, ઊકાળીને દૂધપાકના જેવા અઢાર ઊભરા આવે ત્યારે કઢીપાક થાય. એવી રીતે આપણે એ મહેનત તો કરવી પડેને ! જાગૃતિ માટે ભાવના કરવી જોઈએ. ‘આમ કેમ થાય છે', કહીએ ! એ ચંદુભાઈને કહેવું પડે કે આવેલા પ્રાપ્ત તપ ભોગવો ને આમ કેમ કરો છો ?' પ્રશ્નકર્તા : પણ પેલી સ્થિરતા શાથી નથી રહેતી ? દાદાશ્રી : આવું બોલું એટલે એવું થઈ જાયને પછી ! ‘હું રાંડી છું’ એટલે રાંડી જાય. પ્રશ્નકર્તા : પેલું એક વખત હલી જાય બધું. પછી... દાદાશ્રી : હાલી જાય તે ઘડીએ પ્રતિક્રમણ કરીએ. હંમેશાં હાલી ગયા પછી પ્રતિક્રમણ કરીએ એટલે ફરીથી હાલી જવાનું ઓછું થાય. એમ કરતું કરતું સ્થિર થાય અને પછી આ શરૂ થાય. પ્રતિક્રમણ કર કર કર્યા કરવાનું. મોટામાં મોટો પુરુષાર્થ પ્રતિક્રમણ. સમજણ તપ સમયની ! પ્રશ્નકર્તા : તપ વખતે સમજણ કેવી હોવી જોઈએ ? દાદાશ્રી : મારા હિતનું આ થાય છે. દાદા કહે છે એ બધું મારું અને દાદા ના કહે છે એ મારું હોય, એવું જુદું પાડી દે મહીં. પ્રશ્નકર્તા : એટલું બધું સળગતું હોય ને આમ લાગે કે આ સહન
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy