SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ોય મારું ૨૬૫ ૨૬૬ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) ઘેર.' તો કહે, ‘મારાથી એમ ના બોલાય’. આંકડો નહીં, છૂટો. એટલે મમત્વ રહિતની માલિકી. એ જ્ઞાની પુરુષ પોતે મમત્વ રહિતની માલિકીમાં રહે. બધી માલિકી હોય પણ મમત્વ ના હોય અને તમારે એ શીખવાનું એમને જોઈને. પેલી પાછલી ટેવો છેને, પાછલી ટેવોના આધારે જરા ઢીલો થઈ જાય. ચા પીવાની ટેવ ભલેને રહી. એ ચા પીને. એનો વાંધો નથી પણ ચાને તું જાણીને પી. આ તો એટલો બધો તન્મયાકાર થયો, બેભાન થઈ જઉં છું, તે નડે છે. માલિકીનો વાંધો નહીં પણ આ તો મમત્વવાળી માલિકી. અને પાછી ત્યાં આગળ ગુરુણી થાય ત્યાંયે મમત્વવાળી માલિકી. કારણ કે મમતા છે ઠેઠ સુધી રહેવાની. આ મારો ઉપાશ્રય ને મારું એ છે ને મારી શિષ્યા ને મારી ચેલી. અને એ માલિકી વગરની હોયને, મમત્વ વગરની માલિકી તો વાંધો નહીં. ઉપાશ્રય ‘અમારો બોલે અને પછી ઉપાશ્રયમાંથી કાઢી મેલે તો કશુંય નહીં. આ કંઈ બહુ અઘરું નથી. લોકો માલિકી રાખે ફક્ત. આ મમતાનો આંકડો કાઢી નાખવાનો પછી માલિકી રાખોને ! પ્રશ્નકર્તા ઃ આ મમત્વ જે છે ને એ જ્ઞાની પુરુષ વગર નીકળે નહીં. દાદાશ્રી : ના નીકળે. પણ કોઈનું મમત્વ નીકળી ગયેલું જુઓ ત્યારે તમને હિંમત આવે. નહીં તો હિમ્મત આવતી હશે કે ? કોઈનું મમત્વ ગયેલું દેખીએ ત્યારે હિમ્મત આવે કે ઓહોહો ! આમને નથી આ ! તમને શ્રદ્ધા બેઠી કે અમને મમતામાંથી બહાર કાઢી નાખ્યા છે એ શ્રદ્ધા જ તમને મમતા કાઢી આપે. કશું કરવું ના પડે ! જ્ઞાની પુરુષને મળ્યા પછી કશું કરવું ન પડે. શાતા-અશાતા ‘હોય મારું' ! પ્રશ્નકર્તા : આ જે આયુષ્ય, અશાતા વેદનીય, નામ, ગોત્ર એ ચાર અઘાતી કર્મો પોતે એનાલીસીસ કરી કરીને ઘટાડી શકે ? દાદાશ્રી : ઘટાડી શકે એટલે અડે નહીં એવું કરી શકે. શાતા શાતારૂપે ના અડ, અશાતા અશાતારૂપે ના અડે. અમને શાતા વેદનીય હોયને, તો અમે એ ભૂત પેસી ના જાય, એટલા માટે કહીએ, અમે જ્ઞાનમાં હાજર રાખીએ, કે આ સુખ મારું હોય અને સખત તડકામાં હોય, તો આ યે હોય અમારું પરિણામ. શાતાવાળું અને અશાતાવાળું કે અમારું પરિણામ હોય, એવું અમારા જ્ઞાનમાં હાજર થઈ જાય. કેરીનો રસ ખાતા હોય, તે ઘડીએ આ પરિણામ અમારું હોય. એનો જે સ્વાદ આવે છે અને સ્વાદમાં એને શાતા વેદનીય થાય. તીર્થંકરો એકાકાર બિલકુલેય ના થાય, કશામાંય ના થાય. એટલે આત્મા અવ્યાબાધ સ્વરૂપે છે. એના અવ્યાબાધને સહેજ પણ હરકત કરે એ બધું પરભાયું. સહેજ હરકત થાય તો “આ પરભાયું છે, મારું હોય, મારું હોય', બોલે તો તરત એને છૂટું પડી જશે. કારણ કે આત્મા તદન જુદો પાડેલો છે. વખતે એટલી જ્ઞાતા-દ્રષ્ટા રહેવાની કેટલાકમાં શક્તિ નથી હોતી, તો એવું ના આવડે તો ‘મારું ન્હોય’ એમ કહી દીધું, કે છૂટું. પણ એ ના બોલે તો વળગે એ, એનો બોજો લાગ્યા કરે, ખૂંચ્યા કરે. પ્રશ્નકર્તા અને વ્યવહારમાંય કેટલીક વખત કે મારે કંઈ લાગતુંવળગતું નથી એવું બોલવાથી એ ફેર પડી જાય છે. દાદાશ્રી : હા, લાગતું-વળગતું નથી એ બોલ્યો કે તરત છૂટા થાય. તે એવું આ. આપણને પરભાયું કહેતાં ના આવડે તો ‘મારું ન્હોય” એમ કહીએ તો એ પરભાયું થઈ ગયુંને ! “મારું હોય’ કહે એટલે પતી ગયું. અવ્યાબાધ સ્વરૂપને સહેજ હરકત થાય તો “મારું હોય’ એમ કહી દેવું. એનું અવ્યાબાધ સ્વરૂપ જતું જ નથી એક ક્ષણવારેય. હે દેહ, તારે જવું હોય તો જા ! આત્મા સિવાય બધી સડેલી વસ્તુ છે. આત્મા એકલો જ સડે નહીં. એને કશું થાય નહીં એવો છે. તે આપણે આત્મસ્વરૂપ થઈ ગયા તો કામ થઈ જશે. નહીં તો કામ બધું નકામું. આત્મસ્વરૂપ થવાની જરૂર છે, બીજું કશું નહીં. આ દેહ કપાય કે ગમે તે થાય, આપણે દેહસ્વરૂપ થવું નહીં. પરક્ષેત્રમાં પેસે તો સંસાર કડવો ઝેર જેવો લાગે. હવે દેહને આપણે કહેવું, ‘તારે જવું હોય તો જા, અમે અમારા
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy