SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) ‘હોય મારું પછી તો જવું જ પડશે મોક્ષે ! આપણું તો ક્ષાયક સમકિત છે. એટલે સમ્યક્ દર્શનથી યે ઘણું ઊંચું છે. હવે સમ્યક્ દર્શન એટલે શું કે જે દા'ડાથી જાણ્યું કે આ હું હોય, હું શુદ્ધાત્મા છું, ત્યારથી જે જે કચરો નીકળે તે મારું હોય. સમ્યક્ દર્શન જે દહાડે થાય, એક ગુંઠાણું જે સુખ ચાખ્યું તે હું, બીજું બધું આ કચરો, બીજું બધું ઉદયકર્મ છે. કો'ક ફેરો સારું નીકળે, કો'ક ખરાબ નીકળે, બગદો નીકળે પણ તે આપણી જાતને કહી દેવાનું, કે ભઈ આ બધુંય છે તે ‘ન્હોય હું.” તેથી સમ્યક્ દર્શન શું કહે છે કે મને પામ્યા પછી જો તારે મોક્ષે નહીં આવવું હોય તોય આવવું પડશે. માટે અહીં આવતાં પહેલાં વિચાર કરજે ! ‘હોય મારું', ત્યાં ન હોય રાગ-દ્વેષ ! પ્રશ્નકર્તા : મહીંથી જે પ્રેરણા થાય છે એ ફાઈલ કહેવાય એટલે એ ફાઈલનો સમભાવે નિકાલ કરવો પડે ? દાદાશ્રી : સમભાવે નિકાલ કરે અગર તો એવું બોલે કે “મારું જોય’ તોય છૂટે, નહીં તો ચોંટે. જુદું જોઈએ તોય છૂટી જાય. એ તો શું કહે છે, તમે રાગ-દ્વેષ કરો તો તમને ચોંટશે, નહીં તો નહીં ચોટે. એને જુદું જુઓ તે ઘડીએ રાગ-દ્વેષ ના હોય અગર ‘મારું હોય’ એમ કહે તે ઘડીએ રાગ-દ્વેષ ના હોય. મારી ચીજ ઉપર રાગ-દ્વેષ હોય ? હધે મૂંઝવે વ્યવહાર કષાયો ! કષાયો ધીમે ધીમે મોળા થઈ જાય. આ કષાયો, ખાલી વ્યવહાર કષાયો છે. ખરેખર નિશ્ચય કષાયો નથી આ. પણ તે મોળા થતાં જાય. છેવટે વ્યવહાર કષાયે ય ન હોવા જોઈએને ? પ્રશ્નકર્તા : આ જે વ્યવહાર કષાયો છે એ જ બહુ મૂંઝવે છેને ! દાદાશ્રી : ના, આપણા જ્ઞાન પછી કષાયો મૂંઝવતા હશે ? પ્રશ્નકર્તા : એ કષાયો થાય છે આ ફાઈલ નંબર એકમાં, એ બહુ મૂંઝવે છે. એટલે આકુળતા થાય, ક્લેશ થયા રાખે પછી. દાદાશ્રી : એ તમને થતો નથી ને પણ ? પ્રશ્નકર્તા: માન્યતામાં તો એમ છે જ કે મને નથી થતો. પણ તોય અનુભવ જે છે ને, એ અનુભવ ગમતો નથી. દાદાશ્રી : એ તમે એટલું જ કહો કે, આ ‘મારું હોય એટલે તમને અડે જ નહીં. જે માન્યતામાં છે એ જ તમે બોલો તો અડે નહીં કે આ મારું હોય'. એ તમે ‘મારું નહીં' નહીં બોલો તો મહીં પેસી જશે. પ્રશ્નકર્તા : પણ એ ઘડી ઘડી બોલવું પડે ? દાદાશ્રી : હા, એ તો બોલવું જ પડેને તે ઘડીએ. પેલાં મહીં પસવાની તૈયારી કરે તો આપણે ના સમજીએ કે, “એય, મારું નહીં. પારકા ઘરનું અહીં ક્યાં પેસવા આવ્યો છું ?” આવી રીતે બોલવું પડે. વ્યવહાર એનું નામ કે શબ્દેશબ્દ બોલવો પડે. પ્રશ્નકર્તા : કલાક પછી ખ્યાલ આવે કે આ ‘મારું નથી’. દાદાશ્રી : પણ એ બોલીએ તો ફરી આવે જ નહીંને ! ‘જતું રહ્યું છુંજ કહે. આપણને અડે નહીં આ તો. ‘હોય મારું' કહેતાં જ ઊડે ! એટલે આ બધા ખુલ્લાસા કરી લો ને ! આ તો બધું વિજ્ઞાન છે. અને તે પ્રમાણે રહે જ પાછું. આ જ્ઞાન આપેલું છે ને ત્યારથી જ બધું
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy