SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સમભાવે નિકાલ, ફાઈલોનો ! વર્લ્ડમાં કોઈ અડચણ આવે તેની જોખમદારી અમારી અને એક ચિંતા થાય તો બે લાખનો દાવો જો માંડો તો મળશે એમ કહ્યું બધે. ગેરન્ટી આપું છું. કોહવાયેલું કાપવું એ જ સમભાવે તિકાલ ! ૧૩૧ પ્રશ્નકર્તા : આપણા હાથ નીચેના માણસને કાઢી મૂક્યો, તો ત્યાં સમભાવે નિકાલ કેવી રીતે કરવો ? કોઈને ફાયર કરીએ તો એને તો દુઃખ થાય ને ? દાદાશ્રી : ના. તે તો તમારે સમભાવે નિકાલ કરવાનો. એ દુઃખ થતું હોય એવું તમને એમ લાગે, શંકા પડે કે આને દુઃખ થશે તો ? તો તમારે એનું નામ યાદ કરીને એનું પ્રતિક્રમણ કરવાનું કે ભઈ, મારે તો ના છૂટકે કરવું પડે છે. એવાં પ્રતિક્રમણ કરવાના. પણ જે જે દુનિયામાં ફરજો છે એ તો બજાવવાની. પ્રશ્નકર્તા : વ્યવહારનો પ્રિન્સિપલ છે કે, પેલું પપૈયું આખું હોય, પણ અમુક ભાગ સડી ગયો હોય તો એ કાપીને બાજુએ મૂકી દેવું. એ બરોબર છે પ્રિન્સિપલ ? દાદાશ્રી : હા, બરોબર છે. પ્રશ્નકર્તા : એને સમભાવે નિકાલ કહેવાય ? દાદાશ્રી : હા. ભેંસતી ભાષામાં તિકાલ ! ભેંસ છે ને આ બારણા આગળ આવી અને આમ જોતી હોય, એટલે તમે સમભાવે નિકાલ કરો કે, “એય જતી રહે અહીંથી, જતી રહે અહીંથી’. એ મહીં પેસે તો ઊલટી ગૂંચાય બિચારી. ગૂંચાય તો ફાયદો કે બહાર રહે તો ફાયદો ? પ્રશ્નકર્તા : બહાર રહે તો ફાયદો. દાદાશ્રી : હવે એ એને બિચારીને ભાન નથી, મહીં પેઠી એટલે આપણે શું કરવું પડે ? બેન, તમે બહાર જાવ, તમે બહાર જાવ' એમ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) સમભાવે નિકાલ નહીં કરવાનો. એક લાકડી લઈને પગમાં ધીમે રહીને ઠોકી દેવી. કારણ કે આપણે ‘બેન’ કહીએ તો એ સમજે નહીં. એની ભાષામાં વાત કરીએ, આપણે મારીએને, એટલે એ સમજે કે અહીં આગળ આ ના કહે છે પેસવાનું. એટલે વધુ નુકસાન થતું અટકાવ્યું, એનું નામ અહિંસા. ૧૩૨ અહિંસા કોનું નામ કહેવાય ? વધુ નુકસાન થતું અટકાવ્યું, ભેંસને અને આપણને, બન્નેને નુકસાન થતું અટકાવ્યું, એનું નામ અહિંસા. અને નહીં તો પછી પેલી અહિંસા પાળીને મહીં પેસવા દીધી અને પછી આ પેલું મૂંઝાયા કરે બિચારી અને આપણેય મૂંઝાયા કરીએ, એમાં શું સ્વાદ કાઢવાનો ? અને સમભાવે નિકાલ કરવામાં વાંધો ના રાખશો. બધું થઈ શકે. વિજ્ઞાન છે આ, ધર્મ નથી આ. ધર્મમાં બધા વાંધા હોય. વ્યક્તિગત અભિપ્રાય ! પ્રશ્નકર્તા : દાદા, આપનું જ્ઞાન લીધા પછી તમે કહ્યું સમભાવે નિકાલ કરવો, તો કોઈ નાલાયક માણસ હોય તો એની આગળ આપણે સમભાવે નિકાલ કરવો ? દાદાશ્રી : આપણે શું ? નાલાયક છે તે એને ઘેર. આપણે એની જોડે બહુ નવો હિસાબ ગોઠવવો નહીં. પ્રશ્નકર્તા : આ તો અમારી ચોખ્ખી દાનત છે, પણ સામો જે પ્રતિભાવ આવ્યો તેની વાત છે આ. દાદાશ્રી : એ આવે તો આપણે સમભાવે નિકાલ જ કર્યા કરવો. અને એ માણસને માટે ખરાબ વિચાર આવે તો મહીં પ્રતિક્રમણ કરવું કે, ‘આમ ખરાબ વિચાર શું કરવા કરો છો એના માટે ?!' આપણામાં એને માટે ખરાબ વિચાર આવે, એનો પછી પડઘો સામાને પડે. પ્રશ્નકર્તા : એવી એને પ્રતીતિ થાય ખરી ? દાદાશ્રી : પ્રતીતિ એટલે સારી રીતે. તેથી તો આ જગત ઊભું રહ્યું છે. આ એક જ વસ્તુથી જગત ઊભું રહ્યું છે. ખરાબ વિચાર આવ્યો કે
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy