SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ આપ્તવાણી-૧૧ ૧૫૧ અમારે હાંકવા કરવાનું કશું જરૂર પડે નહિ. એ કહેશે, ‘ના આવડ્યું.” ત્યારે અમે કહીએ, ‘ત્યારે કશો વાંધો નહિ. કાલથી કરી લાવજે હંડ.” અમે જ્ઞાનથી જાણીએ, કે “આ બધું વ્યવસ્થિત છે'. આ ‘વ્યવસ્થિત'ના જ્ઞાન આગળ લૌકિક જ્ઞાન બધાં જતાં રહે. એટલે પછી શું રહ્યું ? આ આખા જગતને લૌકિક જ્ઞાન પજવી રહ્યું છે, સાધુ મહારાજ બધાને, ફક્ત એમની કોઈ કાંણ કરનારું નહીં ને એમને કોઈની કાંણ કરવાની નહીં, એટલું ઓછું કામ. એ બધા વ્યવહારથી છૂટા થઈ ગયેલા. આપ્તવાણી-૧૧ હોય. નાટકીય તો ક્યારે ? પદ તમારું બદલાઈ ગયું હોય અને વ્યવસ્થિતનું જ્ઞાન હોય કે “આ કરે છે તે વ્યવસ્થિત કર્તા છે'. ક્રમિક માર્ગમાં અહંકાર સાથે હોય છઠ્ઠા ગુંઠાણામાં, અહંકાર ઘટ્યો હોય અને બીજું જ્ઞાને ય થયેલું હોય એટલે સાઠ ટકા જ્ઞાન થયું હોય અને ચાળીસ ટકા બાકી હોય તો ચાળીસ ટકા અહંકાર હોય. એટલે એ ઉપદેશક કહેવાયા, ઉપદેશ કરનારો, કર્તાભાવ કહેવાય અને એમાં ઠેઠ સુધી કર્તાભાવ હોય ! પ્રશ્નકર્તા : આ ઠેઠ એટલે બારમામાં આવતાં સુધી ? દાદાશ્રી : હા બારમામાં આવતાં સુધી આત્મા કર્મનો કર્તા છે. પ્રશ્નકર્તા : એ લોકોને કર્તાભાવ શેમાં વર્તે ? કંઈ બાબતમાં કર્તાભાવ હોય ? છતાં બધે જ્યાં જાય ત્યાં આનો આ જ ડખો. ગઈકાલે શિષ્ય લોટો ખોઈને આવ્યો હોય તે આજ લઈ જતાં પહેલાં “જો સાચવીને લઈ જજે, હં, તોડીને લાવ્યો તો હવે તને પેસવા નહીં દઉં,” કહેશે. ત્યારે શિષ્ય કહેશે, ‘મહારાજ, સાચવવું કે ના સાચવવું મારા હાથમાં ક્યાં છે ?” ત્યારે કહેશે, ‘જો પાછો, એવું બોલે છે ? તારા હાથમાં નથી તો કોના હાથમાં છે ? ભગવાનના હાથમાં છે ?” અલ્યા શિષ્ય ગાંડો હોયને, તો ય લોટો ફોડે નહીં. આપણે એને કહીએ ‘ફોડી નાખને !' ત્યારે કહે, ‘ફોડાતું હશે ?” તો એને શું કરવા ચેતવ ચેતવ કરે છે ? ઊલટો દ્વિધામાં પડી જાય ને. જેને ટકોર ના મારવાની હોય તેને ટકોર મારીએ તો શી દશા થાય ?' દાદાશ્રી : આ સંસારી બાબતોમાં. પ્રશ્નકર્તા : એટલે પેલું ત્યાગ કરવો છે, એટલું તપ કરવાનું છે, આ લીલોતરીનો ત્યાગ કરવો છે એ બધું અંદર હોય ? દાદાશ્રી : એ કર્તાભાવમાં આવે. આટલો ત્યાગ મારે કરવાનો છે. જેટલું થઈ ગયું પૂર્ણાહુતિ, એનો કર્તાભાવ ના રહે. પ્રશ્નકર્તા : એ વસ્તુ પણ છૂટી ગઈ હોય ત્યારે. દાદાશ્રી : છૂટી ગઈ હોય. અક્રમમાં ગયો દર્શનમોહ, રહ્યો ચારિત્રમોહ ! અને આ અક્રમમાં તો નિર્વિકલ્પ, બહુ ઊંચું પદ. ગજબનું પદ આ તો, સાંભળવામાં ય ના આવ્યું હોય, એવું પદ આ તો. ક્રમિક માર્ગના તો જ્ઞાનીઓને તો ઠેઠ સુધી વિકલ્પ થાય. ‘કર્તા છું, ત્યાગનો કર્તા છું, તે સર્વસંગ પરિત્યાગ મારે કરવાનો બાકી છે', એવું ભાન રહેલું હોય. એટલે કર્તાપદનું ભાન રહેલું, બહુ સુક્ષ્મ પ્રકારે. એ ક્રમિકમાર્ગમાં કેટલો બધો બોજો ને કેટલું બધું તોફાન ? ક્રમિક માર્ગ તો છોડ છોડ જ કરવાનું બધું અને છૂટે નહીં તેની ઉપાધિ રહ્યા કરે. આ છૂટતું નથી, તે છૂટતું નથી, તેનો વિકલ્પ થતો હોય અથવા તો બીજી કોઈ બાબત આવે તો કહેશે, ‘આમ કરવાની આવી ઇચ્છા છે'. જેટલું કરવાનું બોલે ને, તેમાં વિકલ્પ હોય જ. તદન નાટકીય ભાષા ન પ્રશ્નકર્તા : ક્રમિક માર્ગમાં તો વ્રત, તપ, સંયમ ચાલુ જ રાખવાના. દાદાશ્રી : હા, તો ય પોતે કર્તા છે, એટલે ત્યાં આત્મા નહીં અને અક્રમમાં વ્રત-તપ કરતાં હોય તો ય પોતે કર્તા નથી. એટલે આ ચારિત્ર મોહનીય છે. જે મોહનીયની ફિલમ પડી ગયેલી છે, એ મોહનીય અત્યારે
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy