SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ આપ્તવાણી-૧૧ આપ્તવાણી-૧૧ ૧૪૩ તો કહેશે, ‘હું આવો છું, એવું તું જાણું છું ને હાથ ઘાલું છું. એમાં હું શું કરું !' પ્રશ્નકર્તા: હાથ ઘાલીશ, તો ઇફેક્ટ થવાની જ છે. દાદાશ્રી : તેમાં ય લખ્યું છે ને, કે એક વ્યવસ્થિત સમજમાં આવ્યું હોત તો અમે તરીને પાર ઉતરી જાત. દાદાનું વ્યવસ્થિત સમજણપૂર્વક આવ્યું હોત તો. દ્રષ્ટિપૂર્વક, પણ દ્રષ્ટિ હોય ક્યાંથી ! તપ કર્યા સિવાય દ્રષ્ટિ ઉત્પન્ન થાય નહીં અને દ્રષ્ટિ કાયમ રહે નહીં. પ્રશ્નકર્તા : વ્યવસ્થિતમાં રહે તો જ્ઞાનની સમજણ ઓટોમેટિકલી આવતી જ જાય એને. દાદાશ્રી : હા. ખરું કહ્યું. પ્રશ્નકર્તા: આ ‘વ્યવસ્થિત’ અને ‘ભોગવે તેની ભૂલ'થી આખો બોજો ઓછો થઈ ગયો. પહેલી આપ્તવાણી વાંચીને, તે આખો બોજો ઓછો થઈ ગયો. દાદાશ્રી : હં. તારો હાથ બળી જાય છે એવું તું જાણું છું, છતાં ય તું પાછો હાથ ઘાલું છું. પણ એમ કરતાં કરતાં જ્ઞાન ફીટ થાય. આ ભગવાને તપનો પાયો મૂક્યો છે, તે ખોટો નથી મૂક્યો આ. ભોગવે જ છૂટકો. એ તપ થાય છે જ માણસને. પ્રશ્નકર્તા : તે વગર છૂટકો નથી તપ કર્યા વિના. એ એનું પોતાનો જ હિસાબ છે ને, બીજાનું નથી. દાદાશ્રી : હા. પણ તપ કરવું જ પડે છે, તપવું જ પડે છે. હવે દાદા છેટા રહ્યા તો તપવું ના પડે. ત્યારે એટલું આપણી પ્રગતિ ય ના થાય. તપવાનું આવે ત્યારે જ પ્રગતિ થાય. અમને લોકો કહે ને, કે તમારી જોડે રહેવું બહુ ભારે હોય છે. કારણ કે આખો દિવસ હું તો જાગ્રત ને ! પ્રશ્નકર્તા : હા, નિરંતર આખો દિવસ સંપૂર્ણ જાગૃતિ ! વ્યવસ્થિત જો મગજમાં ઊતરી ગયું તો કંઈ દુ:ખ છે જ નહીં. દાદાશ્રી : પણ તે ય જોવા જેવું હોય છે. પ્રશ્નકર્તા : હા, જોવા જેવું. આપણને વ્યવસ્થિત કેવું શીખવાડી જાય છે ! અનુભવ આપી જાય છે. સુંદર સુંદર અનુભવ આપે છે. સમજણ આપે છે બધી. દાદાશ્રી : બોજો લાંબો રહે નહીં ને, બોજો જ સામો ના રહે એવું આ વિજ્ઞાન છે. બોજો ઊભો થાય જ નહીં ને, એવું વિજ્ઞાન ! પ્રશ્નકર્તા : આખો ફોડ પડી ગયો. કોયડાનો જવાબ આવી ગયો આખો. દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : નહીં તો જબરજસ્ત કોયડો હતો, શું કરવું ? શું કરવું? શું કરવું ? દાદાશ્રી : તે ઉકેલ આવી જાય ! વધે ધંધો તો ય ત વાંધો ! દાદાશ્રી : વ્યવસ્થિત શું કહેવા માંગે છે કે ડખોડખલ કરશો નહીં. વ્યવસ્થિત જ છે, આમ જ છે. એ જ ખરું છે. તમે માનો છો એ ખોટું છે એવું કહેવા માંગે છે. પ્રશ્નકર્તા : ખરી વાત છે. તમારે દવાખાનું બંધ કરવાની જરૂર જ નથી. દવાખાનું બીજું થાય તો ય વાંધો નથી. એ બધું વ્યવસ્થિતના તાબામાં છે. એમાં આપણને શું ? પહેલા કર્તા માનીને આપણે દવાખાનું બાંધ્યું હતું. પણ હવે આપણને એ છૂટી ગયું કે આ તો આપણે કર્તા જ નથી. બાકી ઉદયકર્મ જ દવાખાનું બાંધે છે.
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy