SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ આપ્તવાણી-૧૧ બધું એ વ્યવસ્થિત છે ને છૂટકો જ ના હોય, આપણે તો જે તે રસ્તે મોક્ષ જવું છે. એક આપણો ધ્યેય એટલે ધ્યેયમાં અંતરાય ના આવવા જોઈએ. પહેલું વિજ્ઞાત, પછી જ્ઞાતી ! આપ્તવાણી-૧૧ ૧૧૫ અને કાઢી મૂકે તે વ્યવસ્થિત સમજે તો બહુ આનંદ થાય. પ્રશ્નકર્તા : દાદા, ‘વ્યવસ્થિત છે” એવું રહે, કાઢી મૂકે તેનો ય દોષ ના દેખાય. પણ પોતાને મહીં થાય કે કેવાં અંતરાય કર્મ લઈને આવ્યા છે તે નીકળી જવું પડે છે ? એટલે એ આધારે પછી પેલું મહીં એ થાય. દાદાશ્રી : પાંચ માણસોને વાત પૂછેને કે આમાં કોનો દોષ ? જેને કાઢી મૂક્યો છેને એનો જ દોષ. પછી આપણે વાત જ કરીએ તો મુર્ખ જ કહેવાઈએ ને ? હક્કનું તો મળ્યા વગર રહે જ નહીં. અણહક્કનું ખોળે તો ય ના મળે. માર ખાય તો ય ના મળે. એના કરતાં ડાહ્યા જ થઈ જઈએ, તે શું ખોટું ? તું ડાહ્યો થઈ ગયો ને ? ધાર્યું કરાવવાની અપેક્ષા એ તો આપણે ઘેરે ય ના થાય. અને તમને તો વળી સેવા જ ક્યાં કરતાં આવડે છે ? તમને આ બધા ટોળામાં, બધા લોકોને સેવા જ કરતાં નથી આવડતી ને ? જ્યારે સેવામાં નવરાશ હોય ત્યારે એ જ કયે ગામ ગયા હોય ! પછી કો'ક પેસી ગયો હોય ત્યારે એને કાઢવાની તૈયારી કરે. પ્રશ્નકર્તા : એટલે તે ઘડીએ ‘વ્યવસ્થિત' કહીને કેસ ઊંચો મૂકી દેવાનો? દાદાશ્રી : નહીં. ઊંચો મૂકી દેવાનો નહીં. વ્યવસ્થિતને ઊંચે મૂકવાની જરૂર જ નહીં. આપણે તો તે ઘડીએ જોઈને આનંદ થવો જોઈએ કે ઓહોહો ! વ્યવસ્થિત આમના તાબામાં આવી ગયું, કેવું આવ્યું છે ! તેવો આપણને આનંદ થવો જોઈએ તો હેલ્પ કરે અને આપણા તાબામાં ય આવે ! પેલાં બધાં ક્યાંય ખસી ગયાં અને આપણે ભાગે જ સેવા આવી જાય. જ્ઞાતીનો વિરહો ય વ્યવસ્થિતાધીત ! દાદાની પાછળ પડ્યા એટલે આ વિજ્ઞાન નાશ કરીને પાછળ પડવું, એ ગુનો છે. દાદા એવું નથી કહેતાં. “મેં વિજ્ઞાન આપ્યું છે, નાશ કરીને તમે આવો’. એનાં ફાધરે એને ના કહ્યું. પછી પોતે સમજાવી જોયું, છતાં ના કહે તો ‘વ્યવસ્થિત છે' એમ સમજી લેવું જોઈએ. એટલું બધું ઘેલું થઈ જવાનું દાદાની પાછળ એનો અર્થ જ નહીં. ઊર્દુ ઘરમાં કલેશ થાય. એવું ઘેલું ના હોય. આપણે ‘વ્યવસ્થિત શું છે ?” જુઓ. છેવટે એને તો આવવાનું તો થયું જ નહીં ને ? એણે ઝઘડો કર્યો તો ય આવવાનું થયું જ નહીં ને ? એવું છે વ્યવસ્થિત. નહીં આવવા દે તમને. તમે ગમે એટલાં માથા પટકશો તો ય નહીં આવવા દે. માટે એના કરતાં આપણે જોઈ લેવું કે વ્યવસ્થિતમાં શું છે ? ખબર પડે કે ના પડે ? હવે વ્યવસ્થિતની આજ્ઞા તમે પાળોને તો મને મળ્યા બરોબર છે. એમને ના પાડી છતાં આપણે ફરી વિનંતી કરી જોઈએ કે મારે આવું કારણ છે. પછી પાંચ દહાડા જઈ આવ્યા પછી હું જબરજસ્ત આટલું તમારું મહિનાનું કામ કરી આપીશ. એવું તેવું કરીને જો માન્યું હોય તો જાણવું કે વ્યવસ્થિત છે. અને ના માને તો પણ વ્યવસ્થિત છે. કષાય કરવા માટેનો આ ધર્મ નથી. આ રિયલ ધર્મ છે. કષાયનો અભાવ કરવાનાં માટેનો આ ધર્મ છે. કષાયનો અભાવ એ વીતરાગ ધર્મ કહેવાય છે. અને કષાયની જ્યાં હાજરી હોય, જ્યાં કષાયનું વાતાવરણ હોય ત્યાં રીલેટીવ ધર્મ કહેવાય. એટલે ભૌતિક સુખો આપે એ ધર્મમાં, પણ મોક્ષ સુખ ન મળે. પોતાનો આનંદ ના મળે. જ્ઞાતી માટે ય ખેંચાખેંચ ! પ્રશ્નકર્તા: દાદાથી દૂર થવાનો સંયોગ થાય તો વિરહ ખૂબ લાગે, સહન ના થાય. દાદાશ્રી : એ તો બધાને લાગે જ ને. સ્વભાવિક રીતે લાગે ને પણ પ્રશ્નકર્તા : મોટા પ્રોગ્રામમાં બધા સાથે હોયને તો અમૂક ગામવાળા હોય તે પોતાના ગામવાળાને મદદ વધારે કરે, ગરમ પાણી વહેલું આપે, ચા આપી દે, પેલો હોય તે પોતાના ગામવાળાને હેલ્પ કરે ને આ છે તે
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy