SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ આપ્તવાણી-૧૧ જોયા કરો. એક કલાકમાં તો બધું વાવાઝોડું બધું જતું રહ્યું. સાફ થઈ ગયું ને સૂર્યનારાયણ ઊગ્યા. દાદાશ્રી : એવું છે ને એમાં અમે કર્તા નથી. અમારું ચલણ નથી, વાવાઝોડું આવે તો મને હઉ ઉડાડી મેલે. પ્રશ્નકર્તા : પણ તમને ક્યાં ઉડાડ્યા ? તમને ઉડાડ્યા નહોતા ? દાદાશ્રી : હાજરીથી બધું બને. હાજરી અમારી હોયને તે ફાયદો થાય. એટલું જ હકીકત સ્વરૂપ છે. અત્યારે અમારી જોડે તમે બધા બેઠાં હોય, અને કો'કનો ભારે દુમન અહીં આગળ મારવા નીકળ્યો હોય, ઘેર ના જડે એટલે અહીં આવે, માર માર કરતો આવે. પણ અહીં આવે એટલે પછી બંધ થઈ જાય, ભૂલી જાય. એમાં અમારું કર્તવ્યપણું નથી, હાજરી (૯) આજ્ઞાથી વ્યવસ્થિત ફરે? પ્રશ્નકર્તા : આપના રક્ષણની જવાબદારી વ્યવસ્થિત શક્તિ ઉપર ખરી ? દાદાશ્રી : રક્ષણની જવાબદારી ? વ્યવસ્થિત શક્તિ શું કરવા કરે ? એ વ્યવસ્થિત શક્તિ કોઈની સર્વન્ટ નથી. એ તો ઉદાસીન શક્તિ છે. કોઈના ઉપર રાગ નહીં, દ્વેષ નહીં, એવી ઉદાસીન શક્તિ છે, સહુ સહુનો હિસાબ હોય તેને ચૂકવી દે. દ્રષ્ટિ ફેર થયે ભોગવટો ટળે ! ત વર્ચસ્વ કશા પર ! પ્રશ્નકર્તા : વ્યવસ્થિત ઉપર જ્ઞાનીનું વર્ચસ્વ ખરું કે નહિ ? દાદાશ્રી : ના, ભગવાનનું, જ્ઞાનીનું કોઈનું ય વર્ચસ્વ વ્યવસ્થિત ઉપર નહિ. એનું નામ વ્યવસ્થિત. વર્ચસ્વ જ નહીં ને ! અને અમારું તો વ્યવસ્થિત ઉપર તો નહીં, પણ અહીંથી મુંબઈ જવું હોય તો ય અમારું વર્ચસ્વ નથી. તમારે તો મુંબઈ જવું હોય એ ય વર્ચસ્વ છે. અમારે તો મુંબઈ જવું તે ય વર્ચસ્વ નથી. પ્રશ્નકર્તા : કંઈ વર્ચસ્વ નથી, ત્યાં બધે જ વર્ચસ્વ છે. દાદાશ્રી : એ હોય નહીં. અમારામાં વર્ચસ્વ જ ના હોય ને ! કુદરત આગળ જ્ઞાની તિરાધાર ! પ્રશ્નકર્તા : ત્યાં અમેરિકામાં સાંજે સત્સંગમાં જવાનું હતું અને એકદમ વાવાઝોડું આવ્યું. પછી કહ્યું કે દાદા છે એટલે કશું નહીં થાય, પ્રશ્નકર્તા : તમે કહો એ પ્રમાણે જગત ચાલે કે ના ચાલે ? દાદાશ્રી : ના, જગત તો એના સંજોગો બધા ભેગા થઈ જાય અને જે કાર્ય થવાનું હોય તે થયા કરવાનું. એના નિયમથી જ થયા કરવાનું એટલે કોઈની જરૂર જ નથી. પ્રશ્નકર્તા : પણ તમે એમાં આઘુંપાછું કરી શકો ? દાદાશ્રી : ના, જરા ય નહીં. અમારાથી જરા ય આઘુંપાછું ના થાય. એક ફક્ત એને શાંતિ અમે કરી આપીએ, પણ પેલું જે ક્રિયા
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy