SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ આપ્તવાણી-૯ ૪૩૭ દાદાશ્રી : છૂટી જાય ને ! ‘વ્યવસ્થિત’ એ પોતાપણું છોડવા માટે જ મેં આપેલું છે, ને એઝેક્ટ' છે એ. ‘વ્યવસ્થિત’ એટલે ‘સાયન્ટિફિક' વસ્તુ છે. એ કંઈ તમને અડસટ્ટે આપેલી વસ્તુ નથી. અવલંબન ખોટું આપ્યું નથી, ‘એકઝેક્ટ’ છે. પ્રશ્નકર્તા : આ તો પોતાપણું છોડવું નથી અને પોતાપણું છોડ્યા વગર વસ્તુ પ્રાપ્ત કરવાની જે વાત રાખે છે, એ કેવું ? - દાદાશ્રી : હા, એટલે અમે શું કહીએ છીએ કે પોતાપણું છૂટી જાય તો એની મેળે ચાલ્યા કરે એવું છે. વગર કામનો શું કરવા પકડી રાખે છે ! છોડી દે ને, અહીંથી. પણ તે છોડે નહીં ને ! કહેશે, ‘આમ થઈ જશે ને આમ થઈ જશે.’ આ ‘જ્ઞાન' લીધું એટલે ‘પોતે’ આત્મા થઈ ગયો. ‘પ્રકૃતિ મારી જોય’ એમ કહે છે, પણ પછી પાછો શું કરે ? પ્રકૃતિનું રક્ષણ કરે. પ્રકૃતિનું રક્ષણ કરવામાં શૂરો, કરે કે ? કોઈ ના કરે ? કોઈ રક્ષણ કરતાં હશે ખરાં ? આપ્તવાણી-૯ આ પોતાપણાના શોખ છૂટી જાય એટલે પોતાપણું છૂટી જાય. જ્યાં સુધી શોખ હોય ત્યાં સુધી છૂટે કે ? પ્રશ્નકર્તા : આ ના સમજાયું. બધા શોખ છૂટે ત્યારે કે પોતાપણાનો શોખ છૂટે ત્યારે ? દાદાશ્રી : એકલો પોતાપણાનો જ શોખ છુટે ત્યારે. બીજા બધા શોખ ના છૂટે તો વાંધો નહીં. પોતાપણાનો શોખ બહુ ભારે હોય છે. ‘મારું કહેલું જ કરવું પડશે” કહેશે. એટલે બીજાં બધા શોખ ના છૂટે તો કશો વાંધો નહીં. પ્રશ્નકર્તા : પોતાપણાનો શોખ એટલે એમાં પોતાનું ધાર્યું કરાવવું એ ? દાદાશ્રી : એવું નહીં. પાછું ધાર્યું કરાવવા ઉપરય શોખ, એવું નહીં. પ્રશ્નકર્તા: તો ? દાદાશ્રી : પોતાપણું ! આખા જગતમાં બધાને હોય. એ પોતાપણું જાય એટલે ભગવાન થઈ ગયા કહેવાય. જેને પોતાપણું નહીં, એ ભગવાન ! આ તમને બધાને “જ્ઞાન” આપ્યું છે, પણ તમારી પાસે પોતાપણું છે જ. જ્યારે તમારું પોતાપણું નહીં હોય તે દહાડે તમે ભગવાન જ થઈ ગયા. અત્યારે ય ભગવાન જ છો, પણ થઈ ગયા નથી. કારણ કે તમને પોતાપણું છે. પણ જ્યારે પોતાપણું નહીં રહે ત્યારે તમે ભગવાન થઈ ગયા હશો. ભાવ” થકી આદરવો પુરુષાર્થ ! ‘જ્ઞાન’ હોય તો પોતાપણું જાય. નહીં તો પોતાપણું જાય નહીં. પ્રશ્નકર્તા : પણ અમે બધાએ જ્ઞાન મેળવ્યું તો પછી જ્ઞાનથી એ આપોપું વધતું જાય. કારણ કે પછી આપણને ભાન આવે કે આ તો આપોપું ઘટવાને બદલે વધવા માંડ્યું. દાદાશ્રી : એ આપોપું નથી. આપોપું તો જ્યારે જવાનું થાય છે પ્રશ્નકર્તા : એ જ કરે છે ને ! દાદાશ્રી : શું વાત કરો છો ?! રક્ષણ કરે ! આ રક્ષણ થઈ જાય એ જ જાણવાનું છે. આ જાણે એટલે એની મેળે ધીમે ધીમે બધું છૂટ્યા કરે. એકદમ છૂટે એવું કરવાની જરૂર નથી. એકદમ કશું થાય નહીં. નહીં તો તાવ ચઢી જાય. એ તો આ જાણવાથી ધીમે ધીમે છૂટ્યા કરે. છોડવો શોખ પોતાપણાતો જ ! પ્રશ્નકર્તા : પોતાપણું સામાન્ય રીતે બીજી કઈ કઈ બાબતોમાં કહેવાય, એ દાખલો આપીને સમજાવો ને ! દાદાશ્રી : તમારે આઈસક્રીમ ખાવો હોય અને આઈસક્રીમ આપ્યા પછી એ લઈ લે તો તમારું પોતાપણું દેખાય તમને. તમારું ઘડિયાળ પડાવી લે ને, તો તે ઘડીએ પોતાપણું તમારું દેખાય. એવું બધું દરેક વસ્તુમાં તમારું પોતાપણું તમને ઊઘાડું દેખાય.
SR No.008831
Book TitleAptavani 09
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size99 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy