SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૬ ૨૩૩ ૨૩૪ આપ્તવાણી-૬ પ્રશ્નકર્તા : તમે માયાને મારો ને ? દાદાશ્રી : હું મારવા આવું કે તમારે મારવાનું હોય ? મારે તો તમારું અમુક જ સાચવવાનું હોય. બીજું બધું તમારે સાચવવાનું. હવે તમે પુરુષ થયા અને પુરુષ થયા પછી તમે પુરુષાર્થમાં આવ્યા. પુરુષ થયા પછી માયા આવે કેમ ? એક કલાકનો યોગ માંડ્યો હોય તો જગત ઊંચુંનીચું થઈ જાય, એવો તો યોગ મેં તમને આપ્યો છે ! આખું બ્રહ્માંડ ઊંચુંનીચું થઈ જાય એવો યોગ મેં તમને આપ્યો છે !!! પણ એવા યોગનો તમે ઉપયોગ ના કરો તો શું થાય ? પ્રશ્નકર્તા બ્રહ્માંડ ઊંચુંનીચું નથી થતું, પણ હું ઊંચો-નીચો થઉં ‘તું’ બરોબર ‘જોઉં” નહીં એટલે બધું તૂટી જાય. બધું જો પદ્ધતિસર થતું હોય તો કશું ના થાય. પ્રશ્નકર્તા: ‘જોઉં’ નહીં એટલે શું ? દાદાશ્રી : તું એને ‘જાણે’ છે ખરો, પણ ‘જોતો’ નથી ને ? પ્રશ્નકર્તા : આપણે જોઈએ ને જાણીએ તો શું થઈ જાય પછી ? દાદાશ્રી : ‘જાણવું’ અને ‘જોવું', એ બે ભેગું થાય ત્યારે પરમાનંદ થાય. પ્રશ્નકર્તા: ‘જાણવું’ અને ‘જોવું', એ કઈ રીતે હોય ? દાદાશ્રી : તને આખા ચંદુભાઈ દેખાય. ‘ચંદુભાઈ શું કરે છે” તે બધું જ દેખાય. ચંદુભાઈ ચા પીતો હોય તો દેખાય, દૂધ પીતો હોય તો દેખાય, રડતો હોય તો દેખાય. ગુસ્સે થયો હોય તેય દેખાય, ચિડાતો હોય તો તેય દેખાય, ના દેખાય ? આત્મા બધું જ જોઈ શકે. આ તો “જાણવું અને ‘જોવું' બેઉ સાથે થતું નથી, તેથી પરમાનંદ તને ઊભો થતો નથી. પ્રશ્નકર્તા : ‘જાણવું' ને ‘જોવું', એ બેઉ કેવી રીતે થઈ શકે ? દાદાશ્રી : એનો આપણે અભ્યાસ પાડીએ એટલે થાય. દરેક બાબતમાં ઉપયોગ રાખીએ, ઉતાવળ કે ધાંધલ ના કરીએ વખતે ગાડીમાં ચડતી વખતે, ભીડ હોય તો ભૂલચૂક થઈ જાય ને ‘જોવાનું' રહી જાય, તો તેને ‘લેટ ગો’ કરીએ. પણ બીજે બધે તો રહી શકે ને ? પરમાત્માયોગની પ્રાપ્તિ પ્રશ્નકર્તા : દાદા, આપનું ‘જ્ઞાન’ પ્રાપ્ત કર્યા પછી માયા મૂંઝવે છે, એને કાઢો ને ? દાદાશ્રી : “સ્વરૂપનું જ્ઞાન’ પ્રાપ્ત કર્યા પછી માયા કોઈ દહાડોય આવે નહીં. માયા પછી ઊભી જ ના રહે. પણ તમે તો તેને બોલાવો છો ને, “માસી, અહીં આવજો. માસી, અહીં આવજો !' દાદાશ્રી : આ યોગ હાથમાં આવે તો કોઈ છોડે નહીં. એક કલાકમાં તો કંઈનું કંઈ ઉડાડી મૂકે ! પ્રશ્નકર્તા: આજ સુધી મને એમ હતું કે દાદા મને કોઈ દહાડો જાતે જ કહેશે, એટલે હું કશું કહેતો જ ન હતો. દાદાશ્રી : દાદા બધું જ કંઈ કરે, પણ એ તો કો'ક સાવ ગળિયો થઈ ગયો હોય તો ત્યાં રક્ષણ મુકવું પડે, એમ તો પાર પણ ના આવે ને ? દાદાને બહુ કામ કરવાનું હોય છે. દાદાને આખો દહાડો યોગ કરવાનો હોય છે. અમેરિકામાં ફરવું પડે છે. ઈંગ્લેન્ડમાં ફરવું પડે છે, દહાડે-રાત્રે ફરવું પડે છે. આખા વર્લ્ડ ઉપર યોગ ચાલી રહ્યો છે. આખા વર્લ્ડમાં શાંતિ થવી જોઈએ. ધર્મની વાત તો જવા દો, પણ શાંતિ તો થવી જોઈએ. પ્રશ્નકર્તા : અમારે તો જ્યાં નથી કરવાનું ત્યાં થાય છે અને જે કરવાનું છે તે થતું નથી. દાદાશ્રી : ત્યાં જ પુરુષાર્થ છે, પુરુષ થયા પછી પુરુષાર્થ કેમ થતો નથી ? હવે દિશામૂઢ ના થવાય. હવે તો એક જ દિશા, બસ પુરુષાર્થ, પુરુષાર્થ ને પુરુષાર્થ ! અનંતશક્તિ વ્યક્ત થાય એવો આ યોગ આપ્યો છે. માટે
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy