SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ આપ્તવાણી-૬ પ્રશ્નકર્તા: મહાત્માઓને પરાક્રમ ઊભું થયું નથી. એટલે એનો અર્થ એ કે એમને યથાર્થ પુરુષાર્થ નથી. દાદાશ્રી : પુરુષાર્થ છે જ બધા મહાત્માઓને, પણ તે હજી પરાક્રમ ભાવમાં નથી આવ્યા. કેટલાક સામાયિક કરીને પરાક્રમમાં આવે. પુરુષ થયા પછી પુરુષાર્થ હોય જ ને ? એ તો સ્વાભાવિક થાય. પ્રશ્નકર્તા ઃ આમાં કોઈ નિયમ નથી ને ? ઘણી વખત સામાયિકમાં બેઠા હોઈએ, ત્યારે બિલકુલ એકાકાર ના થવાય અને રસ્તામાં ઓચિંતું જ એકાકાર થઈ જવાય ને આનંદ આનંદ થઈ જાય. તો એ કેવી રીતે આવ્યું ? એ ઉદયથી આવ્યું ? દાદાશ્રી : આય ઉદયથી આવે છે ને પેલુંય ઉદયથી આવે છે. બંને ઉદયથી જ આવે છે. પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે પરાક્રમભાવ એકદમ જુદો છે ? દાદાશ્રી : હા, પરાક્રમભાવ જુદો જ છે. પરાક્રમમાં પોતાને કશું જ કરવાનું નથી. પોતાનો ભાવ પરાક્રમભાવ ઉત્પન્ન થાય છે. એટલે પછી પ્રજ્ઞા તે ભાવ પ્રમાણે બધું કરી આપે છે. પ્રશ્નકર્તા : પરાક્રમભાવ એટલે જ્ઞાતા-દ્રષ્ટા ભાવ ? દાદાશ્રી : પરાક્રમભાવ એટલે શું ? “મારે પરાક્રમભાવમાં આવવું છે” એવો ભાવ એમને હોતો નથી. મૂળ જે ભાવ હોય છે, તેનાથી આ પરાક્રમભાવ જુદી વસ્તુ છે. એ ‘એલર્ટનેસ’ છે. મારે “એલર્ટનેસ'માં જ રહેવું છે. એવું જેને નક્કી હોય, તેને પછી પ્રજ્ઞા બધી વ્યવસ્થા કરી આપે. પ્રશ્નકર્તા : પરાક્રમભાવ સ્ટ્રોંગ નિશ્ચયમાં આવે છે ? દાદાશ્રી : હાસ્તો ને, નિશ્ચય આપણો હોવો જ જોઈએ ને ? મારે સ્વભાવમાં જ રહેવું છે. પછી જે થાય છે, અને પછી કોણ રોકનાર છે ? પછી છે તે પ્રજ્ઞાશક્તિ એમાં જોર કરશે. તેની મહીં અજ્ઞાશક્તિ એનુંય જોર કરે. પણ છેવટે અજ્ઞાશક્તિ હારશે. કારણ કે ભગવાન આમના પક્ષમાં છે.
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy