SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ આપ્તવાણી-૬ આપ્તવાણી-૬ ૨૨૧ આ તો ‘શું થઈ જશે, શું થઈ જશે ?” “અલ્યા, કશુંય નથી થવાનું, તું તો ભગવાન છું. શું થઈ જવાનું છે ભગવાનને ?” પોતાની જાતની એટલી હિંમત ના આવવી જોઈએ કે હું ભગવાન છું ? “દાદાએ મને ભગવાન પદ આપ્યું છે ! આવું જ્ઞાન છે, પછી ભગવાન થઈ ગયા છો. પણ હજુ એનો પૂરેપૂરો લાભ મળતો નથી ! એનું શું કારણ કે આપણે એને અખતરારૂપે લેતા જ નથી ને ! એ પદ વાપરતા જ નથી ને થોડું ઘણું એવું રહેતા હોય તો ? પ્રશ્નકર્તા : આપણે આ પાંચ ઇન્દ્રિયોના વિષયમાં અરુચિપણે રહેવું એટલે અભિપ્રાય વગર રહેવું એવું ? દાદાશ્રી : અભિપ્રાય તો આખોય છૂટી જવો જોઈએ. અભિપ્રાય તો બિલકુલ હોવો જ ના જોઈએ. કિંચિત્માત્ર અભિપ્રાય હોય, કોઈ જગ્યાએ ભરાઈ રહ્યો હોય, તો એ તોડી નાખવો ! ‘આ સંસારમાં સુખ છે, આ પાંચ ઇન્દ્રિયોમાં સુખ છે', એવો અભિપ્રાય તો રહેવો જ ના જોઈએ ! અને એ અભિપ્રાય, એ આપણા ન હોય ! એ અભિપ્રાય બધા ચંદુભાઈના ! ‘હું તો દાદાએ આપેલો એવો શુદ્ધાત્મા છું' અને શુદ્ધાત્મા તે જ પરમાત્મા છે ! એટલું સમજી જવાની જરૂર છે ! આ પાંચ આજ્ઞા આપી છે, એ ‘શુદ્ધાત્મા'ના ‘પ્રોટેક્શન’ માટે છે ! વેરનું કારખાનું આ સમભાવે નિકાલ કરવાનો કાયદો શું કહે છે, ગમે તે રસ્તે એની જોડે વેર ના બંધાય એવી રીતે નિકાલ કરી નાખ ! વેરથી મુક્ત થઈ જા ! આપણે અહીં તો એક જ કરવા જેવું છે, કે વેર ના વધે ! અને વેર વધારવાનું મુખ્ય કારખાનું કયું છે ? આ સ્ત્રી-વિષય અને પુરુષવિષય ! પ્રશ્નકર્તા એમાં વેર કેવી રીતે બંધાય ? અનંતકાળનું વેરબીજ પડે છે, એ કેવી રીતે ? દાદાશ્રી : એવું છે ને કે આ મરેલા પુરુષ કે મરેલી સ્ત્રી હોય, તો એમ માને ને કે એમાં કોઈ દવાઓ ભરીને પુરુષ પુરુષ જેવો જ રહેતો હોય ને સ્ત્રી સ્ત્રી જેવી જ રહેતી હોય, તો એની જોડે વાંધો નહીં. એની જોડે વેર નહીં બંધાય, કારણ એ જીવતું નથી અને આ તો જીવતું છે, ત્યાં વેર બંધાય છે. પ્રશ્નકર્તા : તે શાથી બંધાય છે ? દાદાશ્રી : અભિપ્રાય ડિફરન્ટ છે તેથી ! તમે કહો કે “મારે અત્યારે સિનેમા જોવા જવું છે.” ત્યારે એ કહેશે કે “ના, આજ તો મારે નાટક જોવા જવું છે !' એટલે ટાઈમિંગ નહીં મળી રહે ! જો એક્કેક્ટ ટાઈમિંગે ટાઈમિંગ મળી રહે, તો જ પૈણજે ! પ્રશ્નકર્તા : છતાં કો'ક એવો હોય કે એ કહે એવું થાય પણ ખરું. દાદાશ્રી : એ તો કોઈ ગજબના પુણ્યશાળી હોય તો, એની સ્ત્રી નિરંતર એને આધીન રહે ! એ સ્ત્રીને પછી બીજું કશું પોતાનું ના હોય, પોતાનો અભિપ્રાય જ ના હોય, એ નિરંતર આધીન જ રહે ! એવું છે, આ સંસારીઓને જ્ઞાન આપ્યું છે. કંઈ બાવા થવાનું મેં નથી કહ્યું, પણ જે ફાઈલો હોય એનો ‘સમભાવે નિકાલ' કરો, કહ્યું છે! અને પ્રતિક્રમણ કરો. આ બે ઉપાય બતાવ્યા છે ! આ બે કરશો તો તમારી દશાને કોઈ ગૂંચવનાર છે નહીં ! ઉપાય ના બતાવ્યા હોય તો કિનારા પર ઊભું રહેવાય જ નહીં ને ? કિનારા પર જોખમ છે ! તમારે વાઈફ જોડે મતભેદ પડતો હતો, તે ઘડીએ રાગ થતો હતો પ્રશ્નકર્તા : એ તો બંને વારાફરતી થાય. આપણને ‘સ્યુટેબલ’ હોય તો રાગ થાય ને ‘ઑપોઝિટ' હોય તો પ થાય. દાદાશ્રી : એટલે એ બધું રાગ-દ્વેષને આધીન છે, અભિપ્રાય એકાકાર થાય નહીં ને ? કો’ક જ એવો પુણ્યશાળી હોય કે જેની સ્ત્રી કહેશે કે “તમારા આધીન રહીશ, ગમે ત્યાં જશો, ચિતામાં જશો તોય આધીન તમને જ રહીશ ! એ તો ધનભાગ જ કહેવાય ને ? પણ એવું કો'કને હોય !! એટલે આમાં મજા નથી. આપણે કંઈ નવો સંસાર ઊભો
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy