SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ આપ્તવાણી-૬ આપ્તવાણી-૬ ૧૮૫ સ્વીકારે તો રોગ પેસે ને ? જે વાહવાહ સ્વીકારતા નથી, એને કશું જ હોતું નથી. વાહવાહને પોતે સ્વીકારતો નથી, એટલે એને કશી ખોટ ના જાય અને વખાણ કરે છે, એને પુણ્ય બંધાય છે. સત્કાર્યની અનુમોદનાનું પુણ્ય બંધાય છે. એટલે આવું બધું અંદરખાને છે. આ તો બધા કુદરતી નિયમો છે. જે વખાણ કરે અને એ કલ્યાણકારી થાય. વળી જે સાંભળે એના મનમાં સારા ભાવનાં બીજ પડે કે “આ પણ કરવા જેવું ખરું. આપણે તો આવું જાણતા જ નહોતા !' પ્રશ્નકર્તા : આપણે સારું કામ તન, મન ને ધનથી કરતા હોઈએ, પણ કોઈ આપણું ખરાબ જ બોલે, અપમાન કરે તો તેનું શું કરવું ? દાદાશ્રી : જે અપમાન કરે છે તે ભયંકર પાપ બાંધી રહ્યો છે. હવે આમાં આપણું કર્મ ધોવાઈ જાય છે ને અપમાન કરનારો તો નિમિત્ત બન્યો. વસ્તુ એક જ શબ્દમાં આપી છે. બીજો કોઈ રસ્તો જ નથી. હવે પોતે પ્રતિક્રમણ ક્યારે કરી શકે ? પોતાને જાગૃતિ હોય ત્યારે; જ્ઞાનીપુરુષ પાસે જ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે એ જાગૃતિ ઉત્પન્ન થાય. આપણે તો પ્રતિક્રમણ કરી લેવું, એટલે આપણે જવાબદારીમાંથી છૂટ્યા. મને શરૂ શરૂમાં બધા લોકો ‘એટેક’ કરતા હતા ને ? પણ પછી બધા થાકી ગયા !! આપણો જો સામો હલ્લો હોય તો સામા ના થાકે ! આ જગત કોઈનેય મોક્ષે જવા દે તેવું નથી. એવું બધું બુદ્ધિવાળું જગત છે. આમાંથી ચેતીને ચાલે, સમેટીને ચાલે તો મોક્ષે જાય ! શુદ્ધાત્મા તે પ્રકૃતિ પરિણામ ‘નિજ સ્વરૂપ'નું ભાન થયા પછી, ‘હું શુદ્ધાત્મા છું' એવું બોલ્યો ત્યારથી નિર્વિકલ્પ થવા માંડે અને તે સિવાય બીજું કંઈ બોલ્યો કે, “હું આમ છું, હું તેમ છું” એ બધું વિકલ્પ, એનાથી બધો સંસાર ઊભો થાય. અને પેલો નિર્વિકલ્પ પદમાં જાય. હવે તેમ છતાંય છે તે આ ‘ચંદુભાઈને તો બેઉ કાર્યો ચાલુ રહેવાનાં જ, સારાં ને ખોટાં બેઉ કાર્યો ચાલુ રહેવાનાં જ. આમ અવળુંય કરે ને સવળુંય કરે, એ પ્રકૃતિનો સ્વભાવ છે. એકલું અવળું કે એકલું સવળું કોઈ કરી શકે જ નહીં. કોઈ થોડું અવળું કરે, તો કોઈ વધારે અવળું કરે ! પ્રશ્નકર્તા : ના કરવું હોય તોય થઈ જવાનું ? દાદાશ્રી : હા, થઈ જ જવાનું એટલે ‘હું શુદ્ધાત્મા છું.’ એમ નક્કી કરીને આ બધું અવળું-સવળું ‘જો ! તને અવળું-સવળું નહીં આવે એટલે તારે મનમાં એમ કલ્પના નહીં કરવાની કે ‘મારે અવળું થયું. શુદ્ધાત્મા મારો બગડ્યો ” શુદ્ધાત્મા એટલે મૂળ તારું સ્વરૂપ જ છે. આ તો આ અવળું-સવળું થાય છે, એ તો પરિણામ આવેલાં છે. પહેલાં ભૂલ કરી હતી, તેનાં આ પરિણામ છે. તે પરિણામ ‘જોયા’ કરો. અને અવળું-સવળું તો અહીં આગળ લોકની ભાષામાં છે. ભગવાનની ભાષામાં અવળું-સવળું પ્રતિક્રમણની ગહનતા પ્રશ્નકર્તા : આમાં કોઈ વખત આપણને ઓછું આવી જાય કે હું આટલું બધું કરું છું, છતાં આ મારું અપમાન કરે છે ? દાદાશ્રી : આપણે તેનું પ્રતિક્રમણ કરવું પડે. આ તો વ્યવહાર છે. આમાં બધી જાતના લોક છે. તે મોક્ષે ના જવા દે. પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણ આપણે શાનું કરવાનું ? દાદાશ્રી : પ્રતિક્રમણ એટલા માટે કરવાનું કે આમાં મારા કર્મનો ઉદય હતો ને તમારે આવું કર્મ બાંધવું પડ્યું. એનું પ્રતિક્રમણ કરું છું ને ફરી એવું નહીં કરું કે જેથી કરીને કોઈને મારા નિમિત્તે કર્મ બાંધવું પડે! જગત કોઈને મોક્ષે જવા દે તેવું નથી. બધી રીતે આંકડા આમ ખેંચી જ લાવે. તેનાથી આપણે પ્રતિક્રમણ કરીએ તો આંકડો છૂટી જાય. એટલે મહાવીર ભગવાને આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખાન, આ ત્રણ
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy