SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૬ ૧૬૩ ૧૬૪ આપ્તવાણી-૬ આગળની વાત છે. આ ‘પરપોટો ફૂટે નહીં, ત્યાં સુધી કામ નીકળશે. ફૂટી ગયો તો ખલાસ થઈ ગયું !!! સહી વિતા મરણાંય નથી !! મહીં દુઃખ થાય તે સહન ના થાય ત્યારે માણસ ભાવ કરી નાખે કે બળ્યું, છૂટાય તો સારું. તે સહી કરી આપે. પ્રશ્નકર્તા : બેભાનમાં સહી કરી આપી.. દાદાશ્રી : બેભાનમાં નહીં, ભાનમાં સહી કરી આપે. પછી બીજે દહાડે સવારમાં પૂછીએ કે ‘તમારે અહીંથી જવાનો વિચાર થયો છે કે શું? ત્યારે કહે, “ના, બા મારું શરીર સારું છે.' પ્રશ્નકર્તા : જન્મીને તરત મરી જાય છે તે શું ? જાત્રામાં જવાના હતા, ચાર વાગે ગાડીમાં બેસવાના હતા, તે બધાં ચાર-ચાર મહિના અગાઉથી જાણતા હતા ને ? અને મરતી વખતે કેમ નથી કહેતા કે મારે જવું છે ? એ તો ઠેઠ સુધી એમ કહે નહીં. મનમાં આશા જ રાખે કે હજી કંઈ... દવા કંઈ એવી આવશે ને તાલ બેસી જશે! અને રાત્રે પાછું મહીં બહુ દુઃખ પડે ત્યારે પાછો એ જ કહે કે આનાં કરતાં છૂટાય તો સારું ! આ મરવાનું છે, તેય સહી કર્યા વગર નથી આવતું !!! આ ઇન્કમટેક્સવાળા દરેક બાબતમાં સહી પહેલી કરાવડાવે છે. તેમ આ મરવામાં સહી પહેલી થાય પછી જ મરાય ! પ્રશ્નકર્તા: સહી ના કરે તો મોત નહીં આવે ને ? દાદાશ્રી : સહી ના કરે તો મોત ના આવે. આ બધાં સહી કરી આપતાં હશે કે નહીં ? પ્રશ્નકર્તા : એક્સિડંટથી જે મરી જાય, તે તો ક્યાંથી સહી કરે ? દાદાશ્રી : એય સહી કરેલી હોય. સહી કર્યા વગર તો કોઈ દહાડો મરાય જ નહીં. એ વગર તો મરવાનો અધિકાર જ નહીં. મરણ તો તમારી માલિકીનું છે, એમાં બીજા કોઈની ડખલ હોય નહીં. અને એક વાર તમારી સહી થઈ ગઈ પછી તમારું ના ચાલે. દાદાશ્રી : એ બધાના ભાવ તો અંદર થઈ જ જાય, મહીં એનો હિસાબ થઈ જ જાય. હિસાબ થયા વગર કશું આ મરણ ના આવે. ઓચિંતુ કશું આવતું નથી. બધાં ‘ઇન્સિડન્ટ’ છે, ‘એક્સિડન્ટ’ હોતાં નથી. હાર્ટ એટેક આવે ત્યારે બહુ દુ:ખાવો થાય છે, તે ઘડીએ આ છૂટાય તો સારું એવો એક સહેજ ભાવ થઈ જાય છે અને પછી મહીં જરા શાંત પડે એટલે બોલે, “ડૉકટર મને મટાડજો, હો ! ડૉકટર મને મટાડજો !” અરે, પણ સહી કરી આપીને ત્યાં આગળ તો ? મરણ પહેલાં કેમ વિચારતો નથી. પ્રશ્નકર્તા : આ ભવમાં સહી કરેલી કે ગયા ભવમાં ? ‘મારે કાલે અમદાવાદ જવું છે” એવું નક્કી કરે છે અથવા તો ‘મારે જાત્રાએ જવું છે' એવું ચાર મહિના પહેલાંથી જ નક્કી કરે છે, પણ આ મરણમાં તો કોઈ નક્કી જ નથી કરતું ને ? એનો વિચાર આવે તોય માંડવાળ કરી નાખે કે “ના, ના, એવું કશું નથી. એ તો ખાલી વિચાર આવે છે, મારું શરીર તો બહુ સરસ છે. હજી પચાસ વર્ષ જીવે એવું છે.' બાકી જે નિષ્પક્ષપાતી હોય તેને તો બધી ખબર પડી જાય. બિસ્તરા-પોટલાં બાંધતાં હોય તો ના ખબર પડે કે આ જવાની તૈયારી કરે છે ! મહીં બિસ્તરા-પોટલાં બંધાતાં હોય તે આપણને દેખાય હઉ તોય મહીં જોઈએ નહીં, તો આપણી જ ભૂલ છે ને ? અને પહેલાં તો કેટલાક માણસો એવા સરળકર્મી હતા કે તે કહેતા ય ખરા કે ‘પાંચ દહાડા પછી અગિયારસને દહાડે મારો છૂટકારો છે અને તે પ્રમાણે બનતુંય ખરું ! દાદાશ્રી : આ ભવમાં જ સહી કરી આપેલી હોય. ગયા ભવમાં તો એનું યોજનારૂપે હોય, પણ રૂપકમાં આ ભવમાં જ આવે. હું અને મારા મામાના દીકરા રાવજીભાઈ એક દા'ડો બહાર સૂતા હતા. અંદરથી મારા બા બોલ્યા, “હે ભગવાન ! હવે છૂટાય તો સારું !” મેં રાવજીભાઈને કહ્યું, ‘જુઓ, આ બાએ સહી કરી આપી !' કારણ કે
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy