SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૬ પ્રશ્નકર્તા : પણ દાદા, એ ખાલી તો થશે જ ને ? દાદાશ્રી : ખાલી થશે. ખાલી થશે એમ માનીને આપણે ચાલ્યા કરવાનું, પણ ફરી એવી ભૂલ થવી ના જોઈએ. નહીં તો એ પાઈપ બંધ થઈ જશે. ફરી જો ભૂલ થવાની હોય તો ત્રણ ઉપવાસ કરવા. પણ વિરાધના ના થવા દેવી ! જ્ઞાતીના રાજીપાતી ચાવી પ્રશ્નકર્તા : દાદા ભગવાન, આપની સાચી ઓળખાણ કરવા અમારે શું કરવું જોઈએ ? અને આપનો રાજીપો મેળવવા માટે અમારે કઈ રીતે પાત્રતા કેળવવી જોઈએ ? [૧૩] ઘર્ષણથી ઘડતર દાદાશ્રી : રાજીપો મેળવવા માટે તો “પરમ વિનયની જ જરૂર છે. બીજી કશી જરૂર નથી. “પરમ વિનયથી જ રાજીપો થાય છે. પગ દબાવવાથી રાજીપો થાય છે એવું કશું છે જ નહીં. મને ગાડીઓમાં ફેરવો તોય રાજીપો ના મળે. “પરમ વિનયથી જ મળે. આપણે બ્રહ્માંડના માલિક છીએ. એટલે કોઈ જીવને ડખલ ના કરવી. બને તો હેલ્પ કરો ને ના બને તો કંઈ હરકત નથી. પણ કોઈને ડખલ ના જ થવી જોઈએ. પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એવો કે પર આત્માને પરમાત્મા ગણવો ? પ્રશ્નકર્તા : ‘પરમ વિનય’ સમજાવો. દાદાશ્રી : જેમાં ‘સિન્સિયારિટી” ને “મોરાલિટી’ વિશેષ હોય અને અમારી જોડે એકતા હોય, જુદાઈ ના લાગે. ‘હું ને દાદા એક જ છીએ? એવું લાગ્યા કરે, ત્યાં બધી શક્તિઓ ઉત્પન્ન થઈ જાય. ‘પરમ વિનય'નો અર્થ તો બહુ મોટો થાય. આપણે અહીં સત્સંગમાં આટલા બધા માણસો આવે, પણ અહીં ‘પરમ વિનયને લઈને કાયદા વગર બધું ચાલે. “પરમ વિનય’ છે, માટે કાયદાની જરૂર પડી નથી. અમારી આજ્ઞામાં જેમ વિશેષ રહે, તેને પરિણામ સારું રહે. એને અમારો રાજીપો પ્રાપ્ત થઈ જાય. તમે એવું પરિણામ બતાડો કે મને તમને મારી જોડે બેસાડવાનું મન થાય. દાદાશ્રી : ના. ગણવાનું નહીં, એ છે જ પરમાત્મા. ગણવાનું તો ગપ્યું કહેવાય. ગમ્યું તો યાદ રહે કે ના પણ રહે, આ તો ખરેખર પરમાત્મા જ છે. પણ આ પરમાત્મા વિભૂતિ સ્વરૂપે આવેલા છે. બીજું કશું છે જ નહીં. પછી ભલેને કોઈ ભીખ માંગતો હોય, પણ તેય વિભૂતિ છે અને રાજા હોય તેય વિભૂતિ છે. આપણે અહીં રાજા હોય તેને વિભૂતિ સ્વરૂપ કહે છે; ભીખ માંગતાને નથી કહેતા. મૂળ સ્વરૂપ છે, તેમાંથી વિશેષતા ઉત્પન્ન થઈ છે, વિશેષ રૂપ થયેલો છે. એટલે વિભૂતિ કહેવાય અને વિભૂતિ તે ભગવાન જ ગણાય ને ! એટલે કોઈનામાંય ડખલ તો ના જ કરવી જોઈએ. સામો ડખલ કરે તો એને આપણે સહન કરી લેવી જોઈએ, કારણ કે ભગવાન ડખલ કરે તો આપણે એને સહન કરવી જ જોઈએ. આપણે ખરેખર આ ‘વ્યવહાર સ્વરૂપ” નથી. ‘આ’ બધું ખાલી
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy