SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૬ આપ્તવાણી-૬ પ્રશ્નકર્તા: અહીંથી કોઈ પણ સંજોગોમાં જવું જ નથી, એવું મહીંથી નક્કી થયા કરે અને પેલું પણ બતાડે કે જવું તો પડે ને ? દાદાશ્રી : કોનું વધારે જોર છે, એ જોઈ લેવું ! પ્રશ્નકર્તા : અહીં બેસી રહેવાનું જ જોર કરે ! દાદાશ્રી : તો પછી અહીંનું જોર કરતા હોય તો અહીં બેસી રહેવું. આ બેઠા સાહેબ, થોડાં ભજિયાં લઈ આવું', કહીએ. ઉતાવળે ધીમા ચાલો ! પ્રશ્નકર્તા : વ્યવહાર પહેલો કે નિશ્ચય પહેલો ? દાદાશ્રી : વ્યવહાર પહેલો પણ એનો અર્થ પાછો એવો નહીં કે વ્યવહારનો રાગ કરવો. પ્રશ્નકર્તા ત્યારે વ્યવહારના નિરાગી થઈ જવાનું ? દાદાશ્રી : રાગ કરે તો સિંગલ ગુનો છે ને નિરાગી થાય તો ડબલ ગુનો છે, નિરાગીય ના રહેવાય. પ્રશ્નકર્તા : નિરાગી એટલે કઈ રીતે ? દાદાશ્રી : વ્યવહારથી નિઃસ્પૃહ થઈ જાય છે. વ્યવહારથી નિઃસ્પૃહ એટલે પોતાની “મધર’ કહેશે કે “કેમ તું મારી વાત માનતો નથી ?” ત્યારે પુત્ર કહે, ‘હું આત્મા થઈ ગયો છું !(?)' આવું ના ચાલે. વ્યવહારમાં વિનય, વિવેક બધું જ હોવું જોઈએ. આપણા વ્યવહારમાં કોઈની બૂમાબૂમ ના પડવી જોઈએ. દાદાશ્રી : માટે વાતને સમજી જાવ. ઉતાવળ નહીં કરું તો ગાડી કંઈ તારી રાહ જોવાની છે ? અને ઉતાવળ કરીશ તો કારને અથાડી મારીશ ! એટલે ઉતાવળ કરે તેને સિંગલ ગુનો કહ્યો ને ઉતાવળ ના કરે તેને ડબલ ગુનો કહ્યો. મતતું લંગર પ્રશ્નકર્તા: મન કઈ રીતે સ્થિર રહે ? દાદાશ્રી : મન સ્થિર કરવામાં શું ફાયદો હશે એવો તમે હિસાબ કાઢ્યો છે ? પ્રશ્નકર્તા : એનાથી શાંતિ મળે. દાદાશ્રી : મનને અસ્થિર કોણે કર્યું ? પ્રશ્નકર્તા : આપણે. દાદાશ્રી : આપણે અસ્થિર શાથી કર્યું ? જાણી જોઈને તેમ કર્યું ? ‘પોતાનું હિત શેમાં ને અહિત શેમાં’ એ નહીં જાણવાથી, મનનો ગમે તેવો ઉપયોગ કર્યો. જો હિતાહિતની ખબર હોત તો તો તેનો પોતાના હિતમાં જ ઉપયોગ કરત. હવે મન ‘આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું છે. હવે નવેસરથી જ્ઞાન થાય, પોતાના હિતાહિતની સમજણ આવે, એવું જ્ઞાન પ્રાપ્ત કરે ત્યાર પછી જ મન ઠેકાણે પડે. એટલે આપણે અહીં જ્ઞાન આપીએ છીએ ત્યારે મન ઠેકાણે પડે. મન હંમેશાં જ્ઞાનથી બંધાય, બીજા કશાથી મન બંધાય એવું નથી. એકાગ્રતા કરવાથી મન જરા ઠેકાણે રહે, પણ તે કલાક-અરધો કલાક રહે, પછી પાછું તૂટી જાય. પ્રશ્નકર્તા : મન શું છે ? દાદાશ્રી : મન એ આપણો ‘સેંક' છે. આ દુકાનદારો બાર મહિને બધો સ્ટૉક કાઢે કે ના કાઢે ? કાઢે. એવું આ આખી લાઈફનો ઍક, તે મન છે. ગઈ લાઈફનો સ્ટક તે તમને આ ભવમાં ઉદયમાં આપે ને આગળ કોઈપણ વસ્તુમાં ઉતાવળ કરવી એ સિંગલ ગુનો છે અને ઉતાવળ ના કરવી એ ડબલ ગુનો છે. તમારે કયા ખાડામાં પડવું છે ? પ્રશ્નકર્તા : એકુંય નહીં.
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy