SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૬ ૫૩ ૫૪ આપ્તવાણી-૬ દાદાશ્રી : એમાં અડે તેને આપણે ‘જોવાનું'!. પ્રશ્નકર્તા : પણ તેની આપણા પર અસર આવે, તેનું શું ? દાદાશ્રી : એને પણ “આપણે” જોવાનું ! લાઈટનો કામધંધો શો ? ‘જોવાનું.” એમાં ટેકરી આવે, કાદવ આવે, પાણી આવે, ગંધ આવે તો ગંધ, ઝાંખરાં આવે તો ઝાંખરાંમાંય પેસીને નીકળી જાય. પણ એને ઝાંખરું લાગે કરે નહીં. આ લાઈટ જો આવું છે, તો પેલું લાઈટ કેવું સરસ હોય !!! તમે અંધારામાં ડ્રાઈવિંગ કરો તો તમને ખબર ના પડે કે કેટલાં જીવડાં વટાઈ જાય છે અને લાઈટ કરો કે તરત ખબર પડે કે આટલાં બધાં જીવડાં અથડાય છે ! અલ્યા, આ તો લાઈટને લીધે દેખાયું. તો શું પહેલાં એ નહોતાં અથડાતાં ? અથડાતાં હતાં જ. તે “ફોરેનર્સ’ને દેખાતા નથી ને આપણને ‘લાઈટ' છે એટલે દેખાય છે. આપણને દેખાય એટલે આપણે ઉપાધિમાં હોઈએ ને એ લોકોને ઉપાધિ ના હોય એવું આ જગત ચાલે છે ! પ્રશ્નકર્તા : પણ ઉપાધિમાં તો આવવું જ પડે ને બધાંને ? ભેંસો કેવી રળિયામણી દેખાય છે ! પણ આ મનુષ્યોનો સંગ કરે છે એટલે ગાયો-ભેંસોનામાં હરકત આવે છે. પ્રશ્નકર્તા : આ ગાયો-ભેંસોને ખબર પડતી હશે કે મનુષ્યો આવા આડા છે ? દાદાશ્રી : ના, એ મનુષ્યોમાંથી જ થયેલી છે. મનુષ્યોની જોડે ને જોડે ‘ટચમાં’ રહે બિચારી. આ ગાયો-ભેંસો તો આપણા સંબંધીની જ છોડીઓ આવેલી હોય છે ! અને કૂતરું ઘરમાં બેસીને ભસે છે તેય સંબંધી જ આવ્યા હોય છે. પ્રશ્નકર્તા: આ જીવ મરી જાય, પછી તરત જન્મ લઈ લે છે ? દાદાશ્રી : તરત જ, એને વાર કેટલી ! આમાં જન્મ કોઈ આપનાર નથી કે કોઈ લેનાર નથી ! પ્રશ્નકર્તા : એટલે આ બધું સ્વયંસંચાલિત છે? દાદાશ્રી : હા, આ બધું સ્વયંસંચાલિત છે. સ્વભાવથી જ સંચાલિત છે. જેમ પાણીનો સ્વભાવ નીચે જવાનો છે તે નીચે જ જવાનું. તેને ગમે તેટલું કરે તોય સ્વભાવ બદલાય નહીં. પ્રશ્નકર્તા : અમારી પ્રકૃતિ છે તે કેટલીક પ્રકૃતિ ઊંચે જતી હોય છે ને કેટલીક નીચે જતી હોય છે. દાદાશ્રી : તે બધી પ્રકૃતિને જોવાની જ છે. આ મોટરની લાઈટ છે તે વાંદરાની ખાડીના કાદવને અડે, ખાડીના પાણીને અડે, ખાડીની ગંધને અડે, પણ લાઈટને કશું અડે નહીં ! એ લાઈટ કાદવને અડીને જાય પણ કાદવ એને ના અડે, ગંધ ના એડે. કશું જ ના અડે. આપણે ભય રાખવાનું કોઈ કારણ જ નથી કે લાઈટ કાદવવાળું થઈ જશે, ગંધવાળું થઈ જશે કે પાણીવાળું થઈ જશે. આ લાઈટ જો આવું છે, તો આત્માનું લાઈટ કેવું સરસ હોય ! આત્મા લાઈટ સ્વરૂપ જ છે ! પ્રશ્નકર્તા ઃ અમે પ્રકૃતિ જોડે તન્મયાકાર થયા છીએ, તો અમારું જે મિશ્ર ચેતન છે, એમાં તો ગંદવાડો અડે છે ને ? દાદાશ્રી : ઉપાધિમાં આવ્યા, એટલે આપણે નિઉપાધિનો રસ્તો ખોળી કાઢીએ. પણ જે ઉપાધિમાં આવ્યો જ નથી, તે નિઉપાધિનો રસ્તો શી રીતે ખોળી કાઢે ? એને તો ઉપાધિમાં હજુ આવવાનું છે. એક જ ફેરો વાતને સમજવાની છે. આ બહારનું લાઈટ કશાને અડતું નથી અને આ લાઈટથી જીવડાં અથડાતાં દેખાય છે, નહીં તો કશું દેખાતું ન હતું. એટલે સમજાય પછી કશી ચિંતાય નથી ને ઉપાધિય નથી ! પણ ‘આપણે’ ‘જાણીએ કે આ લાઈટ થયું, તેને લીધે આ જીવડાં વટાતાં દેખાય છે. આમાં આપણે કશાના કર્તા નથી. પ્રશ્નકર્તા : વ્યવહારમાં અમુક ભાગમાં નૈમિત્તિક કર્તાપણું આવે છે. તેમાં આપણે જ્યારે વધારે તન્મયાકાર થઈએ છીએ, ત્યારે વધારે કરીએક્શન’ આવે છે. દાદાશ્રી : તેનેય “આપણે” જોવાનું. નહીં જુઓ તો કંઈ ફેરફાર થવાનો નથી. આપણે કામ કર્યું જવાનું છે. સવારના પહોરમાં ચા પીઓ છો
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy