SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ ૨૬૩ ૨૬૪ આપ્તવાણી-૪ ને ? હું તમને રસ્તો કરી આપીશ એનો. પ્રશ્નકર્તા : માણસ સમજે છે કે મૃત્યુ પછી બીજો જન્મ છે તેમ છતાં ખોટાં કર્મો કેમ કરે છે ? સાચાં કર્મ કરવાનો રસ્તો શો ? દાદાશ્રી : પોતાની ઇચ્છા વિરુદ્ધ ખોટાં કર્મો કરવાં પડે છે. સવારે ઊઠયા ત્યારથી તમારી સત્તામાં કંઇ જ નથી. બધું પરસત્તાના હાથમાં છે. એ પરસત્તા એક શક્તિના હાથમાં છે, જેને અમે ‘વ્યવસ્થિત’ કહીએ છીએ. આ ‘વ્યવસ્થિત’ શક્તિ શું કરે છે ? તમારા પુણ્યનો ઉદય આવે તો બધા અનુકુળ સંયોગ ભેગા કરી આપે ને પાપનો ઉદય આવે તો તે બધા અનુકૂળ સંયોગ વિખેરી નાખે. એટલે બધું પરસત્તામાં ચાલી રહ્યું છે, પછી સારા કર્મો હોય કે ખોટાં કર્મો ! જયાં સુધી પરમાર્થ સમ્યકદર્શન ના થાય ત્યાં સુધી જીવ પરસત્તામાં જ રહેલો છે. કર્મો, પાપ-પુણ્યતાં ! પ્રશ્નકર્તા : પાપ અને કર્મ એક જ કે જુદા ? દાદાશ્રી : પુણ્ય અને પાપ બન્નેય કર્મ કહેવાય. પણ પુણ્યનું કર્મ કેડે નહીં ને પાપનું કર્મ આપણા ધાર્યા પ્રમાણે થવા ના દે ને કેડે. પ્રશ્નકર્તા : ભૌતિક સુખો મળે છે તેમણે કઇ જાતનાં કર્મો કર્યા હોય તો તે મળે ? દાદાશ્રી : આ કોઇ દુ:ખી થતું હોય એમને સુખ આપે, તેનાથી પુણ્ય બંધાય અને પરિણામે એવું સુખ આપણને મળે. કોઈને દુઃખ આપો તો તમને દુ:ખ મળે. તમને પસંદ આવે તે આપજો. બે જાતની પુણ્ય. એક પુર્થ્યથી ભૌતિક સુખ મળે અને બીજી એક એવા પ્રકારની પુણ્ય છે કે જે આપણને સચ્ચી આઝાદી પ્રાપ્ત કરાવે. નિંદાતું કર્મબંધત ! પરમહંસની સભામાં તો કોઇનીય સહેજ પણ વાતચીત ના કરાય. એક જરીક અવળી કલ્પનાથી જ્ઞાન ઉપર કેવું મોટું આવરણ આવી જાય છે. તો પછી આ ‘મહાત્મા’ઓની ટીકા, નિંદા કરે તો કેવું ભારે આવરણ આવે ? સત્સંગમાં તો દૂધમાં સાકર ભળી જાય તેમ ભળી જવું જોઇએ. આ બુદ્ધિ જ મહીં ડખો કરે. અમે બધાનું બધું જાણીએ છતાંય કોઇનું એક અક્ષરેય ના બોલીએ. એક અક્ષરેય ઊંધું બોલવાથી જ્ઞાન ઉપર મોટું આવરણ આવી જાય. ‘આ મને છેતરી ગયો’ તેમ બોલ્યો તે ભયંકર કર્મ બાંધે. એના કરતાં બે ધોલ મારી લે તો ઓછું કર્મ બંધાય. એ તો જયારે છેતરાવાનો કાળ ઉત્પન્ન થાય, આપણા કર્મનો ઉદય થાય ત્યારે જ છેતરાઇએ. એમાં સામાનો શો દોષ ? એણે તો ઊલટું આપણું કર્મ ખપાવી આપ્યું. એ તો નિમિત્ત છે. કર્મ છેદતની સત્તા ! પ્રશ્નકર્તા: કર્મનું ફળ તો ભોગવવું જ પડે ને ? દાદાશ્રી : હા. કર્મનો નિયમ જ એવો છે. પ્રશ્નકર્તા : ‘જ્ઞાની’ એમાંથી છોડાવી શકે ? દાદાશ્રી : ‘જ્ઞાની પુરુષ' તો તમારા કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. પણ તેમાં બે જાતનાં કર્મો હોય છે. એક બરફ રૂપે જામી ગયેલાં ને બીજાં પાણી ને વરાળ રૂપે રહેલાં. ‘જ્ઞાની” પાણી ને વરાળ રૂપે રહેલાં કર્મો ઉડાડી મૂકે, પણ બરફ રૂપે થઇ ગયેલાને ભોગવ્યે જ છૂટકો ! પણ સ્વરૂપ જ્ઞાન આપ્યા પછી એ કર્મોના ભોગવટામાં ફેર પડી જાય છે. શૂળીનો ઘા સોય જેવો લાગે. ‘જ્ઞાની પુરુષ' કારણસ્વરૂપે રહેલાં કર્મનો નાશ કરી આપે. પણ આજે જે કાર્ય સ્વરૂપે કર્મો છે, બરફ રૂપે થઇ ગયેલાં છે, તેને તો ભોગવવાં જ પડે. પ્રભુસ્મરણની હેલ્પ ? પ્રશ્નકર્તા : આપણા કર્મ આપણને તારે અને ડૂબાડે, એમાં કોઇ માણસની નિંદા ના કરાય. અરે, સહેજ વાતચીત પણ ના કરાય. એમાંથી ભયંકર દોષ બેસી જાય. એમાંય અહીં સત્સંગમાં,
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy