SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ ૧૯૩ ૧૯૪ આપ્તવાણી-૪ ભગવાનમાં ભળી જવું, તે શું ? દાદાશ્રી : સ્વર્ગ-બર્ગ કશું ના હોય ત્યાં તો. સ્વર્ગ એટલે તો ભૌતિક સુખો ભોગવવાનું સ્થાન, અને નર્કમાં ભૌતિક દુઃખો ભોગવવાનાં હોય. અને આ મધ્યલોકમાં ભૌતિક સુખો અને દુ:ખો બંનેનું “મીસ્ચર’ હોય. સ્વર્ગમાંય બંધન છે, ત્યાંય ના ગમે તોય રહેવું પડે. ત્યાંય બાઇસાહેબ જોડે ના ફાવતું હોય તોય જીવવું પડે. કારણ કે આયુષ્ય એમનું ઓછું થાય નહીં. લાખો અવતારથી આમાંથી છૂટવાની કામના દરેકને બુદ્ધિનાં આશયમાં હોય જ પણ છૂટાતું નથી, બાઘોડિયાં બહુ મારે છે. તરફડિયાં મારે છે તોય મળે નહીં એવું છે. બૈરી છોકરાં વગર રહી જુએ છે, ત્યાંય કશું વળતું નથી, એટલે પાછો બીજા અવતારે સંસારી થાય છે. બધી જાતના વિકલ્પો કરી જોયા. નિર્વિકલ્પ પ્રાપ્ત કરવા માટે જે કરે તે બધા જ વિકલ્પના વિકલ્પ છે. આ જંજાળ છૂટે એવી નથી. ગૃહસ્થીની જંજાળ છૂટે, તો ત્યાગીની જંજાળ વળગે, ત્યાંય સંસાર ખરો જ ને ? જ કરવાનો છે. બીજું કશું જ કરવાનું નથી. મહીં બુદ્ધિ ડખો કરે કે વિચારમાં ભળીને ગૂંચાય તોય તે ‘આપણે’ નથી કરતાં. ‘તમે’ ‘તમારો’ જુદો ભાગ રાખો. ‘તમે” ને “ચંદુલાલ’ પાડોશીની પેઠ રહો તો કશું અડતું નથી ! એટલે ‘તમે” જો તમારી “જાત’ને ‘સીન્સિયર’ રહો તો આ એવું વિજ્ઞાન છે કે ‘તમને’ નિર્લેપ જ રાખે ! તમે કારખાનામાં નોકરી કરો છો ત્યાં “સીન્સિયર’ રહો છો કે નથી રહેતા ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એમાં ‘સન્સિયર' રહેવાનું તો માથાકૂટવાળું છે, અને આમાં એટલી બધી માથાકૂટ નથી. અને કોઇને એમ રહેતું હોય કે કોઇ રસનો સ્વાદ અને રહી જતો હોય અને ‘સીન્સિયારિટી’ ના રહેતી હોય તો તે પ્રમાણે મને કહી દેવું. તો અમે એનો રસ્તો કાઢી આપીએ. પણ મહીં લોચા વળે ને મનમાં ગૂંચાયા કરે કે ‘કર્મ બંધાશે કે કેમ', તો એમ ઉકેલ ના આવે. કર્મ બંધાવાની થીયરી જુદી જ છે. તે અમારી પાસે સમજી જવાનું છે. વિનાશી ચીજ ના ખપે ! જગતની સત્તા કયાં મૂકે ? મુક્તિ માટે શું કરવું જોઇએ ? ‘જ્ઞાની’ સિવાય આપણને બીજું કંઇ જ જોઇએ નહીં, એ ભાવ રાખવાનો. ‘આ જગતમાં કોઇ પણ વિનાશી ચીજ મને ખપતી નથી.” એવું પાંચ વખત સવારમાં બોલીને ઊઠવું અને એને “સીન્સિયર' રહે તેને કોઇ કર્મ બંધાતું નથી. પણ “મને’ એટલે કોણ ? એ નક્કી કરીને બોલવું જોઇએ. ‘હું શુદ્ધાત્મા છું’ અને જે ખપે છે એ આ દેહને ખપે છે, ‘ચંદુલાલ’ને ખપે છે. અને એ તો વધારે હોય જ નહીં ને ? ‘વ્યવસ્થિત’માં જે હોય તે ખરું ને ના હોય તો તે નહીં, પણ ‘કંઇ જ મને ખપતું નથી.’ એ ભાવ નક્કી હોવો ઘટે. અને એને ‘સીન્સિયર’ રહે તો કશો જ ડખો થાય તેમ નથી. ‘વ્યવસ્થિત’માં જે મળવાનું છે એટલું જ મળવાનું છે, એમાં કશો ફેરફાર નથી પડતો. ઊલટી ચિંતા, અકળામણ ઓછી થાય એ લાભમાં છે. આ બે દ્રવ્ય જુદાં છે. એનો જુદો અનુભવ જેની આ જગતમાં સર્વસ્વ પ્રકારની ભીખ ગઇ હોય તેને આ જગતમાં તમામ સૂત્રો હાથમાં આપવામાં આવે છે. ભીખ કેટલા પ્રકારની હશે ? માનની ભીખ, લક્ષ્મીની ભીખ, વિષયોની ભીખ, શિષ્યોની ભીખ, દેરાં બાંધવાની ભીખ, અપમાનની ભીખ. બધી જાતની ભીખ, ભીખ ને ભીખ ! ત્યાં આપણું દળદર શું ફીટે ? તમામ પ્રકારની ભીખ છૂટે તેને આ જગતની સત્તા હાથમાં આવી જાય. અત્યારે મારા હાથમાં આવી ગઇ છે. કારણ કે મારી સર્વસ્વ ભીખ છૂટી ગઇ છે. જયાં સુધી નિર્વાસનિક પુરુષ ના મળે ત્યાં સુધી સાચો ધર્મ પ્રાપ્ત થાય નહીં. નિર્વાસનિક પુરુષ તો જગતમાં કોઇક ફેરો મળે. ત્યારે
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy