SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૪ ૧૮૯ ૧૯૦ આપ્તવાણી-૪ મુક્તિનો અનુભવ થાય છે કે નહીં ? આપણાં ક્રોધ, માન, માયા, લોભ ઘટ્યાં ?” એય ના જોયું. પૈણવું હોય તો તપાસ કરે કે કયું કુળ છે, મોસાળ કયાં છે ? બધું રીયલાઇઝ કરે. પણ આમાં “રીયલાઇઝ' નથી કરતા. કેવડી મોટી ‘બ્લેડર કહેવાય આ ? પ્રશ્નકર્તા : વીતરાગ દશા પામવા માટે સહુથી પ્રથમ પગથિયું ધર્મમાંય ભેળસેળ થઇ ગયું છે. સાચા ઘીમાં વેજીટેબલ ઘીની ભેળસેળનો જમાનો ગયો, હવે તો વેજીટેબલ ઘીની અંદરેય ભેળસેળ આવે છે ! કોઇ કહે કે, “તમારા ક્રોધ, માન, માયા, લોભ કાઢી નાખો.” ત્યારે આપણે કહીએ, ‘સાહેબ, એ તો હુંય જાણું છું. પણ એવું કંઈક કહો કે જેથી મારા ક્રોધ, માન, માયા, લોભ જાય.’ આમ ને આમ ચલાવ્યા કરીએ તેનો શો અર્થ ? વચનબળવાળા પુરુષની પાસે જઇએ, ચારિત્ર્યબળવાળા પુરુષની પાસે જઇએ એટલે ક્રોધ, માન, માયા, લોભને જવું પડે. નબળા માણસથી તેની નબળાઇઓ જાતે જતી હોય તો પછી જબરા માણસનું શું કામ છે? લોકો ધર્મનું સાંભળવા જાય છે અને શ્રુતજ્ઞાન કહે છે. પણ શ્રુતજ્ઞાન તો એનું નામ કહેવાય કે એ સાંભળ્યા પછી આપણો રોગ એની મેળે નીકળે. મોક્ષપ્રાપ્તિનો માર્ગ ! કયું? પ્રશ્નકર્તા : મોક્ષ કેવી રીતે મળે ? દાદાશ્રી : એની રીત ના હોય. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન જતાં રહે એટલે મોક્ષ મળે. પ્રશ્નકર્તા : તો પણ મોક્ષ મેળવવાનો રસ્તો કયો હશે ? કોની પાસેથી મોક્ષ મળી શકે ? દાદાશ્રી : મોક્ષ તો એકલા “જ્ઞાની પુરુષ' પાસેથી જ મળે. જે મુક્ત થયા હોય તે જ આપણને મુક્ત કરી શકે. પોતે બંધાયેલો બીજાને કઇ રીતે છોડી શકે ? એટલે આપણે જે દુકાને જવું હોય તે દુકાને જવાની છૂટ છે. પણ ત્યાં પૂછવું કે, “સાહેબ, મને મોક્ષ આપશો ?” ત્યારે કહે કે, “ના, મોક્ષ આપવાની અમારી તૈયારી નથી.’ તો આપણે બીજી દુકાન; ત્રીજી દુકાને જવું. કોઇ જગ્યાએ આપણને જોઇતો માલ મળી આવે. પણ એક જ દુકાને બેસી રહીએ તો ? તો પછી અથડાઇ મરવાનું. અનંત અવતારથી આવું ભટક ભટક કરવાનું કારણ જ આ છે કે આપણે એક જ દુકાને બેસી રહ્યા છીએ, તપાસેય ના કરી. ‘અહીં બેસવાથી આપણને દાદાશ્રી : સાચું તો મોક્ષે જવાનું છે. પ્રશ્નકર્તા : મોક્ષ તો પછી મળે ને ? દાદાશ્રી : અત્યારે દેહનો મોક્ષ નથી, પણ આત્માનો મોક્ષ તો છે ને ? આ કાળને લઈને આ ક્ષેત્રેથી દેહનો મોક્ષ અટક્યો છે, પણ આત્માનો મોક્ષ તો થાય ને ? પ્રશ્નકર્તા : હા, થાય. દાદાશ્રી : ત્યારે એટલું થઇ જાય તોય બહુ થઇ ગયું. પ્રશ્નકર્તા : મોક્ષ મેળવવા શું કરવું ? આપ ઉપાય બતાવો. દાદાશ્રી : ઉપાય હું તમને બતાવું, પણ તે તમારાથી થશે નહીં. ઘેર જઇને ભૂલી જશો. આ કાળમાં લોકોની એટલી સ્થિરતા ના હોય. એનાં કરતાં અમારી પાસે આવજો, એક કલાકમાં જ તમને રોકડો મોક્ષ આપી દઇશું. પછી તમારે કંઇ જ કરવાનું નહીં. ફક્ત અમારી આજ્ઞામાં રહેવાનું. મોક્ષ એટલે સનાતન સુખ .. પ્રશ્નકર્તા : માણસે મોક્ષને વિશે કંઇ આમ તો અનુભવ્યું નથી હોતું, છતાં મોક્ષને માટે પ્રયત્ન કરે છે. દાદાશ્રી : આ જગતમાં જે સુખ-દુ:ખનો અનુભવ થાય છે એ તો
SR No.008827
Book TitleAptavani 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy