SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ જશે. ૧૭૩૦ આત્મા પરમાત્મ-સ્વરૂપ છે. તે ખોટું ય સૂઝાડતો નથી ને સાચું ય સૂઝાડતો નથી. એ તો પાપનો ઉદય આવે ત્યારે ખોટું સૂઝે ને પુણ્યનો ઉદય આવે ત્યારે સાચું દેખાડે. આમાં આત્મા કશું જ કરતો નથી, એ તો માત્ર સ્પંદનોને “જોયા જ કરે છે ગુણવાન હો, પણ “ઈગોઈઝમ હોય તો “યુઝલેસ’ (નકામું). ગુણવાન તો નમ્રતાવાળો હોય તો જ કામનો. ૧૭૩૯ અહંકાર કેવો હોવો જોઈએ ? લોકો ‘એક્સેપ્ટ કરે એવો. ૧૭૪૦ ઈગોઈઝમ' હોય તેનો વાંધો નથી. પણ એ “નોર્મલ' હોવો જોઈએ. “નોર્મલ' ‘ઈગોઈઝમ' એટલે સામાને દુઃખ ના થાય. ૧૭૪૧ ભૂતકાળ શાથી વાગોળે છે? અહંકાર ઘવાયેલો છે તેની દવા ૧૭૩૧ આ સંસારમાં આ મન-વચન-કાયાનાં ત્રણ ભૂત વળગ્યાં છે. ૧૭૩૨ પૌદગલિક ક્રિયા માત્ર સંસાર ફળ આપનારી છે. નકામી નહીં જાય. તમે શેરડી વાવશો તો મીઠું ખાશો ને કારેલી વાવશો તો કડવું ખાશો. જે રસ તમને ગમતો હોય તે વાવજો, ને મોક્ષ જવું હોય તો વાવવાનું બંધ કરી દો. બીજ જ નાખવાનાં બંધ કરી દો. ૧૭૩૩ અજ્ઞાનભાવથી જે કરવામાં આવે છે તે બધું બંધન છે. જ્ઞાનભાવે જે કરવામાં આવે છે તે બધું મુક્તિ આપનારું છે. ૧૭૩૪ કોઈનો ય અહંકાર ભગ્ન કરીને આપણે સુખી થઈએ જ નહીં, અહંકાર તો એનું જીવન છે ! ૧૭૩૫ જે “ઈગોઈઝમ' બીજાને દુઃખ આપવા માટે વપરાય છે, તે પોતાને જ દુઃખ આપે છે. જે ઈગોઈઝમ” બીજાને સુખ આપવા માટે વપરાય છે તે પોતાને જ સુખનું કારણ થઈ પડે ૧૭૪૨ અહંકારને ને લક્ષ્મીને બહુ વેર છે. જે કામ કરવાનું છે એટલાં પૂરતો જ અહંકાર હોવો જોઈએ. એથી વધારાનો અહંકાર હોય, ફેલાયેલો અહંકાર હોય, તેને ને લક્ષ્મીને બહુ વેર. લક્ષ્મી ત્યાંથી છેટી રહે. ૧૭૪૩ ખાલી અહંકાર કરીને ફરે છે ને છેવટે પેલાં લાકડાંમાં જાય છે એવી દયાજનક સ્થિતિ છે ! અને બહુ સારો માણસ હોય, તેને ચંદનનાં લાકડાં મળે. પણ લાકડાં જ ને ?! જે મરે જ નહીં એ ખરો શૂરવીર. ૧૭૪૪ એક “જ્ઞાન” એકલું જ મુક્તિ આપનારું છે. સર્વ સાધન બંધનરૂપ છે ! ૧૭૪૫ જગતમાં કોઈ વસ્તુની “વેલ્યુ' નથી, તેમ કોઈ વસ્તુની | ‘ડીવેલ્યુ' કરવાની જરૂર નથી. ૧૭૪૬ આ દુનિયામાં કિંમત કોની વધારે ? જેની અછત હોય તેની. ૧૭૪૭ કળાની કિંમત નથી, કળાધર ઓછાં છે કે વધારે એની પર કિંમત છે. ૧૭૪૮ “મારી કિંમત ના કરી' એવું કેટલાંક કહે છે ને ? તારી કિંમત હતી જ કંઈ ? તું આ દરિયાને પૂછી આવ કે તારી કિંમત કેટલી? એક મોજું આવશે ને તણાઈ જશે ! કેટલાંય ૧૭૩૬ અભિમાન નિવૃત્ત ના થાય ત્યાં સુધી નર્યું દુઃખ, દુઃખ ને દુઃખ જ હોય ! ૧૭૩૭ અહંકારનો અર્થ શો ? આંધળું થવું, પોતાની દ્રષ્ટિથી. ‘જ્ઞાની' અહંકાર કાઢી આપે. ૧૭૩૮ મોટામાં મોટી નબળાઈ કઈ ? ઈગોઈઝમ'. ગમે તેટલાં
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy