SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩ર | શ્રી આવશ્યક સૂત્ર વિરોહી રાં– વિશુદ્ધ કરણ વડે. આત્મભાવોની વિશુદ્ધિથી અશુભ ભાવોનો નાશ પામે છે. વિલી – શલ્ય રહિત થવા રૂપ કરણ વડે. સાધકની સાધનામાં કંટકની જેમ ખૂંચે, સાધનામાં બાધક બને, તેવા માયા, નિદાન અને મિથ્યાત્વ, આ ત્રણ ભાવશલ્ય છે. આત્મશુદ્ધિ માટે શલ્ય રહિત થવું પણ અત્યંત જરૂરી છે કારણ કે માયા-કપટનો ભાવ વ્રતને અસત્યથી મિશ્રિત કરે છે, નિદાન કરનારનું વ્રત વીતરાગતાને પ્રાપ્ત કરાવી શકતું નથી અને મિથ્યાત્વીનું વ્રત કેવળ દ્રવ્યક્રિયારૂપ જ રહે છે. આ રીતે ત્રણે શલ્ય વ્રતની આરાધનાને નિષ્ફળ બનાવે છે, તેથી શલ્ય રહિત બનવું, તે વ્રત ધારણ કરવાની પ્રથમ શરત છે. કાયોત્સર્ગમાં પાપનું પ્રાયશ્ચિત્ત થતું હોવાથી, કાર્યોત્સર્ગમાં માયા આદિ શલ્યનો પણ નાશ થઈ જાય છે, તેથી કાયોત્સર્ગ તે શલ્ય રહિત બનવાની પ્રક્રિયા છે. પાપ કર્મોનો પૂર્ણતઃ નાશ કરવો, તે જ કાયોત્સર્ગનું પ્રયોજન છે. તે પ્રયોજનની સિદ્ધિ માટે પૂર્વોક્ત ચાર કરણ સાધનભૂત છે. પાવામાં વમળ – ૧૮ પાપસ્થાન અને આઠ કર્મો. પાપસ્થાન કર્મબંધના કારણભૂત છે અને કર્મબંધ તેનું કાર્ય છે કાર્યોત્સર્ગ કર્મ અને કર્મોના કારણો બંનેનો સંપૂર્ણ નાશ કરે છે. fથાયછઠ્ઠા - પાપ કર્મોનો નિર્ધાત–નાશ કરવા માટે. સામાન્ય રીતે નાશ કરવો તે ઘાત અને ઉત્કૃષ્ટતાથી ઘાત કરવો તેને નિર્ધાતન કહે છે. કોઈપણ વસ્તુનો આત્યંતિક નાશ થાય, તે નિર્ધાતન છે. પાપકર્મનો આત્યંતિક નાશ થાય અર્થાત્ તે નિર્બેજ થાય, પુનઃ તે પાપ થવાનું કોઈ કારણ ન રહે તે સ્થિતિને નિશ્ચંતન કહે છે. (૧) ઉત્તર ક્રિયા રૂપ કરણ, (૨) પ્રાયશ્ચિત્ત કરણ, (૩) ભાવવિશુદ્ધિકરણ અને (૪) નિઃશલ્ય કરણ, આ ચાર કરણની આરાધનાથી પાપ કર્મોનો સંપૂર્ણ નાશ કરવા માટે હું કાયોત્સર્ગમાં સ્થિત થાઉં છું. કાયોત્સર્ગના આગાર: २ उससिएणं, पीससिएणं, खासिएणं, छीएणं, जंभाइएणं, उड्डुएणं, वायणिसग्गेणं, भमलीए, पित्तमुच्छाए, सुहुमेहिं अंगसंचालेहिं, सुहुमेहिं खेल संचालेहिं, सुहुमेहिं दिट्ठि संचालेहिं, एवमाइएहिं आगारेहिं, अभग्गो, अविराहिओ, हुज्ज मे काउस्सग्गो । શબ્દાર્થ :- અUત્વ - આગળ કહેવામાં આવેલા આગારો સિવાય કાયોત્સર્ગમાં શેષ કાય વ્યાપારોનો ત્યાગ કરું છું ડસિM - ઊંચો શ્વાસ લેવાથી, નીસિM -નીચો શ્વાસ મૂકવાથી, રસિM -ખાંસીથી, છીu - છીંકથી, માફu – બગાસું આવવાથી, સદુ૫ - ઓડકાર આવવાથી, વાસને – અધોવાયુ છૂટવાથી, મમતી – ચક્કર આવવાથી, પિત્તમુછાણ – પિત્તવિકારના કારણે મૂછ આવી જવાથી, સુદર્દ – સૂક્ષ્મ, સંવાર્દિ – અંગના સંચારથી, હેતસંવાદિં – કફના સંચારથી, લિફિસંવાર્દિ-દષ્ટિ, નેત્રના સંચારથી, શ્વમાફદં-ઇત્યાદિ, આદિં = આગારોથી, અપવાદોથી, મે - મારો, 13 સો – કાયોત્સર્ગ, અમો – અગ્નિ (ભાંગે નહિ), વિદિઓ – અવિરાધિત-અખંડિત, દુઝ – છે. ભાવાર્થ :- (મારો કાયોત્સર્ગથી નિમ્નોક્ત આગારો) ઉચ્છવાસ-ઊંચો શ્વાસ લેવાથી, નીચો શ્વાસ મૂકવાથી, ખાંસી, છીંક, બગાસું, ઓડકાર આવવાથી, અપાન વાયુ છૂટવાથી, ચક્કર, પિત્તવિકારજન્ય
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy