SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ | શ્રી આવશ્યક સૂત્ર ભોજન ત્યાગ- વિકારજનક ગરિષ્ટ ભોજન કરવું નહીં, (૮) અતિમાત્ર ભોજનનો ત્યાગ– પ્રમાણથી અધિક આહાર કરવો નહીં, (૯) વિભૂષા પરિવર્જન- શરીર પર શોભા-વિભૂષા કરવી નહીં. કવિ સમયગ્ને– દશ પ્રકારના શ્રમણ ધર્મ. (૧) ક્ષાંતિ-ક્ષમા, (૨) માર્દવ-મૃદુતા, નિરહંકારીપણું, (૩) આર્જવ–સરળતા, (૪) મુક્તિ–નિર્લોભતા, (૫) તપ- બાર પ્રકારના તપ, (૬) સત્ય, (૭) સંયમ, (૮) શૌચ-પવિત્રતા, નિર્દોષ સંયમનું પાલન, (૯) અકિંચન્ય-નિષ્પરિગ્રહતા, (૧૦) બ્રહ્મચર્ય. સમUITM નો - શ્રમણ યોગ. ત્રણ ગુપ્તિથી લઈને દશ પ્રકારના શ્રમણ ધર્મનું પાલન કરવું, તે શ્રમણોના કર્તવ્યો છે. તે કર્તવ્યો યથાર્થ રૂપે જાણીને, સમજીને તેનું યથાર્થ પાલન કરવું, યોગ્ય સમયે તેની યથાર્થ પ્રરૂપણા કરવી, તે શ્રમણયોગ છે. = હિ = વિવાદિ- શ્રમણ યોગની ખંડના કે વિરાધના કરી હોય, સમ્યકત્વ- કાનપलक्षणानां यत् खण्डितं देशतो भग्नं यद्विराधितं सुतरां भग्नं, न पुनरेकान्ततोऽभावमापादित्तं । વ્રતની શ્રદ્ધા, પ્રરૂપણા અને સ્પર્શનાનો એક દેશથી ભંગ થાય તે ખંડના અને અનેકાંશથી ભંગ થાય, તે વિરાધના છે. વિરાધનામાં અનેકાંશથી વ્રતનો ભંગ થવા છતાં વ્રતનો સંપૂર્ણ અભાવ કે નાશ થતો નથી. જો વ્રતનો સંપૂર્ણ નાશ થયો હોય, અર્થાત્ જે દોષ અનાચાર કોટિનો કે વ્રતભંગરૂપ હોય, તે દોષની શુદ્ધિ પ્રતિક્રમણથી નહીં પરંતુ ગુરુ પ્રદત્ત પ્રાયશ્ચિત્તથી થાય છે. અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારની કોટિ સુધીના દોષોની શુદ્ધિ જ પ્રતિક્રમણથી થઈ શકે છે. તસ મિચ્છામિ દુહ- ઉપરોક્ત કોઈ પણ અતિચાર-દોષનું સેવન થયું હોય, તો તત્સંબંધી દોષનું હું આલોચના, નિંદા અને ગહ પૂર્વક પ્રતિક્રમણ કરું છું, તે પાપથી હું પાછો ફરું છું, તે પાપ મારું મિથ્યા થાઓ, નાશ પામો. હૃદયના શુદ્ધ ભાવથી દોષ સેવનના પશ્ચાતાપ પૂર્વક મિચ્છામિ દુક્કડમ્ બોલનાર સાધકના પાપ નાશ પામે છે. આ રીતે શ્રમણધર્મ અને શ્રમણ આચાર તથા તેના દોષરૂપ વિવિધ પ્રકારના અનાચારોના સંક્ષિપ્ત નિરૂપણ સાથે પાઠ પૂર્ણ થાય છે. પાઠ-૪ઃ ગમનાગમન પ્રતિક્રમણ સૂત્ર ઈરિયાવહિયં - | १ इच्छामि पडिक्कमिउं इरियावहियाओ विराहणाए गमणागमणे पाणक्कमणे बीयक्कमणे हरियक्कमणे ओसा उत्तिंग पणग दग मट्टी मक्कडा संताणा संकमणे जे मे जीवा विराहिया एगिंदिया बेइंदिया तेइंदिया चउरिंदिया पंचिंदिया अभिहया वत्तिया लेसिया संघाइया संघट्टिया परियाविया किलामिया उद्दविया ठाणाओठाणं संक्कामिया जीवियाओ ववरोविया तस्स मिच्छामि दुक्कडम् । શબ્દાર્થ :- છામિ - હું ઇચ્છું છું, પતિવમાં – પ્રતિક્રમણ કરવાને, ફરિયાવદિયાણ – ઐર્યાપથિકી ક્રિયા-ગમનાગમનથી થતી ક્રિયામાં, વિરા - વિરાધના કરી હોય, માન – રસ્તામાં જતાં આવતાં, પણ મને – બેઇન્દ્રિયાદિ ત્રસ પ્રાણી કચર્યા હોય, વીયfમને – બીજને
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy