SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નંદી સૂત્ર ભવિય-નળ-દિયયવÇ = ભવ્યજનોના હૃદયમાં વસેલા, વાળુળવિસારણ્ = ક્રૂરહૃદયી લોકોના મનમાં દયાગુણ ઉત્પન્ન કરાવવામાં વિશારદ, ધીરે - વિશિષ્ટ બુદ્ધિ વડે સુશોભિત. ३० અઠ્ઠમહપ્નહાળે = દક્ષિણાર્દ્ર ભરતના યુગપ્રધાન, વર્તુવિદ્દ સન્નાય-સુમુખિયપાળે - વિવિધ પ્રકારના સ્વાધ્યાયમાં શ્રેષ્ઠ વિજ્ઞાતા, અનુગોળિય વવસમે – અનુયોગધરોમાં વૃષભ સમાન શ્રેષ્ઠ, ગાલીલવંસળલિવરે = નાગેન્દ્રકુળ તથા વંશને પ્રસન્ન કરનારા, નગમૂદિયપ્પન્થે = સંસારના પ્રાણીમાત્રને હિતોપદેશ આપવામા સમર્થ, મવમયનુષ્લેયરે = સંસારના ભયને નષ્ટ કરનારા, સીસે નખ્ખુરસીĪ = નાગાર્જુન ઋષિના સુશિષ્ય, વવેä મૂલલિળમાRિણ = ભૂતન્નિ આચાર્યને હું વંદન કરું છું. ભાવાર્થ :- ત્યાર બાદ તપ અને સંયમની આરાધના તેમજ તેના પાલનમાં પ્રાણાંત કષ્ટ અથવા ઉપસર્ગ આવવા છતાં સદા ખેદ રહિત-પ્રસન્ન રહેનાર, પંડિતજનોથી સન્માનીય, સંયમની ઉત્સર્ગ અને અપવાદ વિધિના વિશેષ જ્ઞાતા ઈત્યાદિ ગુણ યુક્ત આચાર્ય ભૂતદિશને હું વંદન કરું છું. જેના શરીરનો વર્ણ તપાવેલ ઉત્તમ સોના જેવો, સોના જેવા વર્ણવાળા ચંપક પુષ્પ જેવો અથવા ખીલેલા ઉત્તમ કમળની પરાગ જેવો પીત વર્ણ હતો. જે ભવ્ય પ્રાણીઓના હૃદયમાં વસી ગયા હતા. જે જનસમૂહમાં દયાનો ગુણ ઉત્પન્ન કરાવવામાં વિશારદ, ધૈર્યગુણયુક્ત હતા. દક્ષિણાÁ ભરતક્ષેત્રના યુગપ્રધાન, વિવિધ પ્રકારના સ્વાધ્યાયના પરમ વિજ્ઞાતા, સુયોગ્ય સાધુઓને યથોચિત્ત સ્વાધ્યાય, ધ્યાન અને વૈયાવૃત્ય આદિ શુભકાર્યોમાં નિયુક્ત કરનારા અને નાગેન્દ્ર કુળની પરંપરાને વધારનારા હતા. દરેક પ્રાણીને ઉપદેશ આપવામાં નિપુણ, ભવરૂપ ભીતિને નષ્ટ કરનારા અર્થાત્ શીઘ્ર મુક્તિગામી આચાર્યશ્રી નાગાર્જુન ઋષિના શિષ્ય ભૂતદિન્ન આચાર્યને હું વંદન કરું છું. વિવેચન : ઉપર્યુક્ત ચાર ગાથાઓમાંથી પહેલી ગાથામાં દેવવાચકજીએ આચાર્ય ભૂતદિન્નના ચારિત્રગુણોનું અને પછીની ત્રણે ય ગાથાઓમાં શરીરના ગુણોનું, લોકપ્રિયતાનું, ગુરુનું, કુળનું અને વંશનું વર્ણન કર્યું છે. તેથી એમ પ્રતીત થાય છે કે દેવવાચકજી તેમના પ્રત્યે પરમ શ્રદ્ધાવાન અને અત્યંત નિકટના પરિચિત હતા. તેઓશ્રી પરીષહ અને ઉપસર્ગ સહન કરવામાં ધૈર્યવાન હતા, તેઓએ અહિંસાનો પ્રચાર કેવળ શબ્દોથી નહીં પણ ભવ્ય જીવોના હૃદય સુધી પહોંચાડ્યો હતો. તેઓશ્રી અંગશાસ્ત્ર અને અંગબાહ્ય શાસ્ત્રની સ્વાધ્યાય કરવામાં અગ્રગણ્ય યુગપ્રવર્તક આચાર્ય હતા. તેઓશ્રીની આજ્ઞાને ચતુર્વિધ શ્રી સંઘ શિરોમાન્ય કરતો હતો. તેઓશ્રી નાગેન્દ્ર કુળવંશીય હતા. તેઓશ્રીએ સર્વપ્રકારના ભયનો ઉચ્છેદ કર્યો
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy