SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાન ૨૦૯ | પદાર્થોને જે હસ્તામલકવતું જાણે છે, જેના જ્ઞાનરૂપી દર્પણમાં દરેક દ્રવ્ય અને પર્યાય પ્રતિબિંબિત થાય છે, જેનું જ્ઞાન નિઃસીમ છે, તેના માટે આ વિશેષણનો પ્રયોગ કર્યો છે. (૭) ધ્વરિતહિં :- જે સર્વ દ્રવ્ય અને એની પર્યાયોનો સાક્ષાત્કાર કરે છે. જે આ સાત વિશેષણોથી સંપન્ન હોય છે, વસ્તુતઃ તે જ સર્વોત્તમ આપ્યું છે. તે જ દ્વાદશાંગ ગણિપિટકના પ્રણેતા છે અને તે જ સમ્યકકૃતના રચયિતા છે. ઉક્ત સાતે યાવિશેષણો તેરમા ગુણસ્થાનવર્તી તીર્થકર દેવોના છે. ગણિપિટક - ગણિ એટલે આચાર્ય અને તેમની બાર અંગ સૂત્રરૂપ જ્ઞાનની પેટી એમ ગણિપિટકનો શબ્દાર્થ થાય છે. જેમાં રાજા-મહારાજાઓ અને ધનાઢય શ્રીમંતોને ત્યાં પેટીઓમાં હીરા, પન્ના, મણિ, માણેક, વૈર્યરત્ન આદિ વિભિન્ન પદાર્થો અને સર્વોત્તમ આભૂષણ હોય છે, તેમ આત્મકલ્યાણ માટે વિવિધ પ્રકારની શિક્ષાઓ, નવતત્ત્વ નિરૂપણ, દ્રવ્યોનું વિવેચન, ધર્મની વ્યાખ્યા, આત્મવાદ, ક્રિયાવાદ, કર્મવાદ, લોકવાદ, પ્રમાણવાદ, નયવાદ, સ્યાદ્વાદ, અનેકાંતવાદ, પંચમહાવ્રત, તીર્થકર બનવાના ઉપાયો, સિદ્ધ ભગવંતોનું નિરૂપણ, તપ વિષેનું વિવેચન, કર્મગ્રંથી ભેદવાના ઉપાયો, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવનો ઈતિહાસ, રત્નત્રયનું વિશ્લેષણ આદિ અનેક વિષયોનું જેમાં યથાર્થ નિરૂપણ છે, તે પેટીનું જેવું નામ છે એવા જ સમ્યકશ્રુતરત્નો એમાં નિહિત છે. પ્રશ્ન થાય કે અરિહંત ભગવંત સિવાય જે અન્ય શ્રુતજ્ઞાની છે તેઓ પણ શું સમ્યકશ્રુત જ્ઞાન પ્રરૂપક થઈ શકે છે? સંપૂર્ણ દશ પૂર્વધરથી લઈને ચૌદ પૂર્વધર સુધીના જેટલા પણ જ્ઞાની છે તેઓનું કથન નિયમથી સમ્યક્ષુત જ હોય છે. કિંચિત્ ન્યૂન દશ પૂર્વધરોમાં સમ્યફ્યુતની ભજના છે અર્થાત્ તેઓનું શ્રુત સમ્યકશ્રુત પણ હોઈ શકે છે અને મિથ્યાશ્રુત પણ હોઈ શકે છે કારણ કે મિથ્યાદષ્ટિ જીવો પણ પૂર્વોનું અધ્યયન કરી શકે છે પરંતુ તેઓ વધારેમાં વધારે કંઈક ન્યૂન દશ પૂર્વનું જ અધ્યયન કરી શકે છે કેમ કે તેનો સ્વભાવ જ એવો છે. સારાંશ એ છે– ચૌદ પૂર્વથી લઈને પરિપૂર્ણ દશ પૂર્વના જ્ઞાની નિશ્ચય સમ્યદૃષ્ટિ જ હોય છે. માટે તેમનું શ્રુત સમ્યકશ્રુત જ હોય છે. શેષ અંગધરો અથવા પૂર્વધરોમાં સમ્યફ્યુત નિયમથી ન હોય. સમ્યદૃષ્ટિનું પ્રવચન જ સમ્યક્રુત બની શકે છે. ૬. મિથ્યાશ્રુત :| ६ से किं तं मिच्छासुयं ? मिच्छासुयं, जं इमं अण्णाणिएहि मिच्छादिट्ठिएहिं, सच्छंदबुद्धि मइविगप्पियं, तं जहा- भारहं, रामायणं, भीमासुरक्खं, कोडिल्लयं, सगड भद्दियाओ, खोडग(घोडग)मुहं, कप्पासियं, णागसुहुमं, कणगसत्तरी, वइसेसिय, बुद्धवयणं, तेरासियं, काविलियं, लोगाययं, सद्वितंतं, माढरं,
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy