SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ] શ્રી પન્નવણા સુa: ભાગ-૧ આંતરદ્વીપ | કુલ ક્ષેત્રો કુરુ વિદેહ અઢીલીપ–સમુદ્રમાં ૧૦૧ મનુષ્ય ક્ષેત્રો :| દ્વીપસમુદ્ર | કર્મભૂમિ અકર્મભૂમિ ભરત |ૌરવત| મહા-હિમવય હેરસ્થ| હરિ | રાક | દેવકર | ભરત રાવત | વય | વર્ષ | વર્ષ | જંબૂદ્વીપ લવણ સમુદ્ર ધાતકીખંડ દ્વીપ કાલોદધિ સમુદ્ર પુષ્કરાર્ધ દ્વીપ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | | | ન |x | | * ૪|૪| *| દ] || | * | | * | ૨ | | | ૧૮ ૧૦૧ ગર્ભજ મનુષ્યો – માતા-પિતાના સંયોગથી ગર્ભમાં ઉત્પન્ન થતાં મનુષ્યો ગર્ભજ કહેવાય છે. તેના ત્રણ ભેદ છે– (૧) કર્મભૂમિજ–૧૫ કર્મભૂમિમાં ઉત્પન્ન થતાં મનુષ્યો, (૨) અકર્મભૂમિજ–૩૦ અકર્મભૂમિમાં ઉત્પન્ન થતાં મનુષ્યો અને (૩) અંતરદ્વીપજ-પ૬ અંતરદ્વીપમાં ઉત્પન્ન થતાં મનુષ્યો. કર્મભૂમિજ મનુષ્યો- કર્મભૂમિમાં જન્મ ધારણ કરનારા મનુષ્યોને કર્મભૂમિજ મનુષ્યો કહેવાય છે. તત્ર વારિવાળિખ્યાવિ મોલાકિ મનુષ્ઠાને વા બધાના ભૂમિપી તે માદા કૃષિ-ખેતી અને વાણિજ્યાદિ ઉપલક્ષણથી અસિ-શસ્ત્રવિદ્યા અને મસિ-લેખન કળા, આ ત્રણ પ્રકારના વ્યાપાર તેમજ મોક્ષના અનુષ્ઠાન રૂપ ધર્મ-ક્રિયા જે ભૂમિમાં થાય તેને કર્મભૂમિ કહે છે. જ્યાં સામાજિક, રાજકીય અને ધાર્મિક વ્યવસ્થાઓ હોય તેને કર્મભૂમિ કહે છે. તેના પંદરક્ષેત્રો છે. પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહક્ષેત્ર. એક ભરતક્ષેત્ર, એક ઐરાવતક્ષેત્ર અને એક મહાવિદેહક્ષેત્ર, આ ત્રણ કર્મભૂમિના ક્ષેત્રો જંબુદ્વીપમાં છે. બે ભરતક્ષેત્ર, બે ઐરાવતક્ષેત્ર અને બે મહાવિદેહક્ષેત્ર, આ છ કર્મભૂમિના ક્ષેત્રો ધાતકીખંડમાં છે. બે ભરતક્ષેત્ર, બે ઐરવતક્ષેત્ર અને બે મહાવિદેહક્ષેત્ર, આ છ કર્મભૂમિના ક્ષેત્રો પુષ્કરાદ્ધ દ્વીપમાં છે. આ રીતે ૩+ + ૬ = ૧૫ કર્મભૂમિના ક્ષેત્રો થાય છે. અકર્મભૂમિજ મનુષ્યો- અકર્મભૂમિમાં ઉત્પન્ન થનારા મનુષ્યોને અકર્મભૂમિજ મનુષ્યો કહે છે. યોવેસ્તવિકતા પૂનર્વેષ તેમજૂમદ | અસિ, મસિ અને કૃષિરૂપ વ્યાપાર તથા મોક્ષાનુષ્ઠાનરૂપ ધર્મ જ્યાં ન હોય તેને અકર્મભૂમિ કહે છે. તેના ૩૦ ક્ષેત્રો છે. પાંચ હેમવય ક્ષેત્ર, પાંચ હરણ્યવય ક્ષેત્ર, પાંચ હરિવાસ ક્ષેત્ર, પાંચ રમ્યવાસ ક્ષેત્ર, પાંચ દેવકુરુ ક્ષેત્ર અને પાંચ ઉત્તરકુરુક્ષેત્ર. તેમાં એક હેમવતક્ષેત્ર, એક હરણ્યવયક્ષેત્ર, એક હરિવાસક્ષેત્ર, એક રમ્યવાસક્ષેત્ર, એક દેવકુરુક્ષેત્ર, એક ઉત્તરકુરુક્ષેત્ર તે છ અકર્મભૂમિના ક્ષેત્રો જેબૂદ્વીપમાં છે. બાર ક્ષેત્રો ધાતકીખંડમાં અને બારક્ષેત્રો પુષ્કરાદ્ધ દ્વીપમાં છે. આ રીતે ૬+ ૧૨ + ૧૨ = ૩૦ અકર્મભૂમિના ક્ષેત્રો થાય છે. ત્યાંના મનુષ્યો યુગલિક છે, દશ પ્રકારના કલ્પવૃક્ષથી જીવન વ્યવહાર કરે છે. (તેના વિસ્તૃત વિવેચન માટે જુઓ શ્રી જીવાભિગમ સૂત્ર). અંતરીપજ મનુષ્યો- લવણ સમુદ્રની અંદર દ્વીપરૂપે હોવાથી તે દ્વીપોને અંતર્લીપ કહે છે. તેમાં રહેનારા મનુષ્યોને “અન્નદ્નપજકહે છે. અંતર્લીપોનું લવણ સમુદ્રમાં સ્થાન :- જંબૂદ્વીપના ભરત ક્ષેત્ર અને હૈમવત ક્ષેત્રની મર્યાદા કરનાર
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy