SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ | १४० । શ્રી રાયપસણીય સૂત્ર દેવાનુપ્રિયો! તમે ભૂલે ચૂકે પણ આવું પાપકર્મ ન કરતા કે જેથી મારા જેવો દંડ તમારે ભોગવવો ન પડે. તો હે પ્રદેશી ! તે પુરુષના આવા કાકલુદી ભર્યા વચન સાંભળીને, શું તું થોડીવાર થોભી જઈશ ખરો? प्रशी- भगवान! तेम तो न ४ मनेने ! કેશીકુમાર શ્રમણ– શા માટે તું તે કામુક પુરુષની વાત ન સ્વીકારે ? પ્રદેશી- હે ભગવાન! તે પુરુષ મારો અપરાધી છે. તેથી જરાપણ ઢીલ કર્યા વિના તેને મારી નાખું. |५५ एवामेव पएसी ! तव वि अज्जए होत्था इहेव सेयवियाए णयरीए अधम्मिए जाव णो सम्म करभरवित्तिं पवत्तेइ । से णं अम्हं वत्तव्वयाए सुबहु जाव उववण्णे । तस्स णं अज्जगस्स तुमं णत्तुए होत्था- इडे कंते जाव पासणयाए । से णं इच्छइ माणुसं लोगं हव्वमागच्छित्तए, णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए । ભાવાર્થ :- કેશીકમાર શ્રમણ- હે પ્રદેશી ! તે જ પ્રમાણે તારા પિતામહ આ શ્વેતાંબિકા નગરીમાં અધાર્મિક જીવન જીવતા હતા યાવત કર લઈ પ્રજાનું સારી રીતે રક્ષણ કરતા ન હતા. મારા કથન અનુસાર તે ઘણા પાપ કર્મો ઉપાર્જન કરીને નરકમાં નારકીપણે ઉત્પન્ન થયા હોય. તે પિતામહનો તું ઇષ્ટ, કાંત તથા દુર્લભ એવો પૌત્ર છો. તારા તે દાદા મનુષ્ય લોકમાં આવવા ઇચ્છે છે પણ પરતંત્ર પણે ત્યાં દુઃખ ભોગવી રહ્યા હોવાથી તે આવી શકતા નથી. નૈરયિકોનાં મનુષ્યલોકમાં ન આવવાના ચાર કારણ:५६ चउहिं ठाणेहिं पएसी अहुणोववण्णए णरएसु णेरइए इच्छेज्ज माणुसं लोगं हव्वमागच्छित्तए णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए । तं जहा अहुणोववण्णए णरएसु णेरइए से णं तत्थ महब्भूयं वेयणं वेदेमाणे इच्छेज्जा माणुस्सं लोगं हव्वं आगच्छित्तए, णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए । अहुणोववण्णए णरएसु णेरइए णिरयपालेहिं भुज्जो-भुज्जो समहिट्ठिज्जमाणे इच्छइ माणुसं लोग हव्वमागच्छित्तए, णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए । __ अहुणोववण्णए णरएसु णेरइए णिरयवेयणिज्जसि कम्मसि अक्खीणसि अवेइयसि अणिज्जिण्णंसि इच्छइ माणुसं लोग हव्वमागच्छित्तए णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए । अहुणोववण्णए णरएसु णेरइए णिरयाउयंसि कम्मंसि अक्खीणंसि अवेइयंसि अणिज्जिण्णंसि इच्छइ माणुसं लोग हव्वमागच्छित्तए णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए। इच्चएहिं चउहिं ठाणेहिं पएसी अहुणोववण्णे णरएसु णेरइए इच्छइ माणुसं लोगं हव्वमागच्छित्तए णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए । तं सद्दहाहि णं पएसी ! जहा- अण्णो जीवो अण्णं सरीरं, णो तं जीवो तं सरीरं । ભાવાર્થ:- નરકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા નારકી ચાર કારણે શીધ્ર મનુષ્ય લોકમાં આવવા ઇચ્છે છે પરંતુ આવી શકતા નથી. તે ચાર કારણ આ પ્રમાણે છે
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy