SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૨ | શ્રી વિવાઈસૂત્ર बाई वासाइं सामण्णपरियागं पाउणंति, पाउणित्ता तस्स ठाणस्स अणालोइयअप्पडिक्कंता कालमासे कालं किच्चा उक्कोसेणं लंतए कप्पे देवकिव्विसिएसु देवकिव्विसियत्ताए उववत्तारो भवंति । तहि तेसिं गई जाव तेरस सागरोवमाई ठिई, अणाराहगा, सेसं तं चेव । ભાવાર્થ :- ગ્રામ આકર યાવત સન્નિવેશ આદિમાં પ્રવર્જિત જે શ્રમણો હોય છે, તેમાંથી જે શ્રમણો આચાર્યના વિરોધી, ઉપાધ્યાયના વિરોધી, કુલના(એક આચાર્યના શિષ્યોના) વિરોધી, ગણના(અનેક આચાર્યોના શિષ્યોના) વિરોધી, આચાર્ય-ઉપાધ્યાયની નિંદા અને અપયશ કરનારા, અવર્ણવાદ-અપકીર્તિ કરનારા, ખોટા દોષો પ્રગટ કરનારા, આશાતના જનિત મિથ્યાગ્રહોથી પોતાને તથા બીજાને, સ્વ-પર ઉભયને આશાતનાના પાપમાં નિયોજિત કરતા આ રીતે આશાતનાનું પાપ કરતા હોય છે તે અનેક વર્ષોની શ્રમણ પર્યાયનું પાલન કરીને તે પાપસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુના સમયે મૃત્યુ પામીને ઉત્કૃષ્ટ છઠ્ઠા લાંતક દેવલોકમાં કિલ્વીષી જાતિના દેવોમાં કિલ્વીષી દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે સ્થાનાનુસાર તેની ગતિ આદિ થાય છે યાવત તેની સ્થિતિ તેર સાગરોપમની છે. તે પરલોકના આરાધક થતાં નથી. શેષ કથન પૂર્વવત્ જાણવું. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં ગુરુથી વિપરીત પણે પ્રવર્તનારા શ્રમણોની ઉત્પત્તિનું નિરૂપણ છે. પ્રત્યનીક- શત્રની જેમ પ્રતિકુળ-વિરુદ્ધ વર્તન કરનાર. આચાર્ય, ઉપાધ્યાય કે અન્ય કોઈ પણ સાધુથી વિરુદ્ધ આચરણ કરવું તે પ્રત્યનીકપણું છે. પ્રત્યેનીક પોતાનો વિરોધભાવ નિંદા આદિ વચનોથી તેમ જ તથા પ્રકારના આચરણથી કાયા દ્વારા પ્રગટ કરે છે. તેવા જીવો નિગ્રંથ શ્રમણ પર્યાયનું પાલન કરે, પરંતુ કોઈક તત્ત્વના વિષયમાં વિપરીત શ્રદ્ધા પ્રરૂપણા કરે છે. તેઓ તપ-સંયમ આદિના પ્રભાવે વૈમાનિક જાતિમાં છઠ્ઠા દેવલોકના દેવ થાય છે અને પોતાના પ્રત્યેનીક આચરણથી તેમજ ખોટી પ્રરૂપણાથી કિલ્વીષી જાતિના મિથ્યાત્વી દેવ થાય છે. દિલ્લીષીદેવ– જે દેવ ચાંડાલની સમાન તુચ્છ અને નિમ્નકોટિના હોય તેને કિલ્વીષી દેવ કહે છે. તે દેવો એકાંત મિથ્યાત્વી હોય છે. પ્રત્યેનીકો તેના પાપની આલોચનાદિ કર્યા વિના જ કાળધર્મ પામ્યા હોવાથી પરલોકના આરાધક થતા નથી. તે જીવ દીર્ઘકાલીન સંસારમાં પરિભ્રમણ કરે છે. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની દેવોમાં ઉત્પત્તિ - | ४९ से जे इमे सण्णि-पंचिंदियतिरिक्खजोणिया पज्जत्तया भवंति, तं जहा- जलयरा, थलयरा, खहयरा, तेसि णं अत्थेगइयाणं सुभेणं परिणामेणं, पसत्थेहिं अज्झवसाणेहिं, लेस्साहिं विसुज्झमाणीहिं तयावरणिज्जाणं कम्माणं खओवसमेणं ईहावूहमग्गणगवेसणं करेमाणाणं सण्णीपुव्व जाईसरणे समुप्पज्जइ ।। तए णं ते समुप्पण्णजाईसरणा समाणा सयमेव पंचाणुव्वयाई पडिवज्जति, पडिवज्जित्ता बहूहिंसीलव्वयगुण वेरमणपच्चक्खाणपोसहोववासेहि अप्पाणं भावमाणा
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy