SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-sધનપતિ ૧૭૯ o) છડું અધ્યયન ધનપતિ | 3 છક્ક્સ કહેવો. ભાવાર્થ : છઠ્ઠા અધ્યયનનો પ્રારંભ પ્રથમ અધ્યયનની જેમ જાણવો. | २ कणगपुरं णयरं । सेयासोयं उज्जाणं । वीरभद्दो जक्खो । पियचंदो राया। सुभद्दा देवी । वेसमणे कुमारे जुवराया। सिरीदेवी पामोक्खाणं पंचसयाणं रायवरकण्णगाण पाणिग्गहण । तित्थयरागमण । धणवई जुवरायपुत्ते । पुव्वभव पुच्छा । मणिव(च)इया णयरी । मित्तो राया। संभूतिविजए अणगारे पडिलाभिए जाव सिद्धे । णिक्खेवो जहा पढमस्स । | છઠ્ઠ સમત્ત IT. ભાવાર્થ : હે જંબૂ! કનકપુર નામનું નગર હતું, ત્યાં શ્વેતાશોક નામનું ઉધાન હતું. ત્યાં વીરભદ્ર નામનું યક્ષાયતન હતું. પ્રિયચંદ્ર રાજા ત્યાં રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ સુભદ્રાદેવી હતું. યુવરાજ પદ પર અલંકૃત કુમારનું નામ વૈશ્રમણ હતું. તેમના શ્રીદેવી પ્રમુખ ૫૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે વિવાહ થયા. એક વાર ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. યુવરાજના પુત્ર ધનપતિકુમારે ભગવાન પાસે શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યો. ગૌતમ સ્વામીએ તેના પૂર્વભવની પૃચ્છા કરી. ભગવાને ઉત્તર આપતાં કહ્યું ધનપતિકુમાર પૂર્વભવમાં મણિચયિકા નગરીનો રાજા હતો. તેનું નામ મિત્ર હતું. તેણે સંભૂતિવિજય અણગારને શુદ્ધ આહારનું દાન આપ્યું યાવતુ આ જ ભવમાં તે સિદ્ધગતિને પ્રાપ્ત થયા. નિક્ષેપ :- આ અધ્યયનનો ઉપસંહાર પ્રથમ અધ્યયનની જેમ જાણવો. વિવેચન : પ્રસ્તુત અધ્યયનમાં ધનપતિકુમારે પણ સુબાહુકુમારની જેમ જ પૂર્વભવમાં સુપાત્ર દાન આપી મનુષ્ય ભવ પ્રાપ્ત કર્યો. ભગવાન મહાવીર સ્વામીની પાસે શ્રાવકધર્મ સ્વીકાર્યો અને અંતમાં મુનિ ધર્મની દીક્ષા લઈને કર્મબંધનોને તોડીને મોક્ષ પામ્યા.
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy