SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ શતક—૧૪ : ઉદ્દેશક-૧ ૧૨૧ ११ परंपरणिग्गया णं भंते ! णेरइया किं णेरइयाउयं पकरेंति, पुच्छा ? गोयमा ! रइयाउयं पिपकरेंति जाव देवाउयं पि पकरेंति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પરંપર નિર્ગત નૈરયિકો શું નરકાયુ બાંધે છે ? ઇત્યાદિ પૂર્વવત્ પ્રશ્ન કરવા. ઉત્તર– હે ગૌતમ ! તે નરકાયુ પણ બાંધે છે, યાવત્ દેવાયુષ્ય પણ બાંધે છે. १२ अणंतरपरंपरअणिग्गया णं भंते ! णेरड्या, पुच्छा ? गोयमा ! णो णेरइयाउयं पकरेंति जाव णो देवाउयं पकरेंति एवं णिरवसेसं जाव वेमाणिया । ભાવાર્થ: [ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનંતર-પરંપર અનિર્ગત નૈરયિકો શું નરકાયુ બાંધે છે ? ઇત્યાદિ પ્રશ્ન ઉત્તર– હે ગૌતમ ! તે નરકાયુ બાંધતા નથી યાવત્ દેવાયુ બાંધતા નથી, આ રીતે શેષ સર્વ કથન વૈમાનિકો સુધી કરવું જોઈએ. વિવેચનઃ અનંતર નિર્ગત :– જે જીવોને એક ભવમાંથી નીકળીને બીજા ભવને પ્રાપ્ત થયાને પ્રથમ સમય જ હોય તેવા જીવો અનંતર નિર્ગત કહેવાય છે. પરંપર નિર્ગત :– જે જીવોને એક ભવમાંથી નીકળીને ભવાન્તરને પ્રાપ્ત થયાને બે, ત્રણ આદિ સમય વ્યતીત થઈ ગયા હોય તેવા જીવો પરંપર નિર્ગત કહેવાય છે. અનંતર-પરંપર અનિર્ગત :– એક ભવમાંથી નીકળીને ભવાન્તરમાં ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત નહીં થયેલા વિગ્રહગતિમાં સ્થિત છે, તેવા જીવો અનંતર-પરંપર અનિર્ગત કહેવાય છે. આયુષ્ય બંધ :– અનંતર નિર્ગત અને અનંતર-પરંપર અનિર્ગત જીવો કોઈ પણ પ્રકારના આયુષ્યનો બંધ કરતા નથી. કારણ કે તે સમયે આયુષ્યના બંધ યોગ્ય અધ્યવસાય હોતા નથી. પરંપર નિર્ગત (દ્વિતીય સમયથી લઈને સંપૂર્ણ ભવપર્યંતના) જીવો સર્વ ગતિના આયુષ્યનો બંધ કરે છે. કારણ કે પરંપર નિર્ગત નૈરયિક કે દેવ(એટલે નારક-દેવથી નીકળેલા જીવ) મનુષ્ય અથવા તિર્યંચ પંચેન્દ્રિય હોય છે(તે દેવ-ના૨ક રહેતા નથી માટે) તે ચારે ગતિનું આયુષ્ય બાંધી શકે છે. આ જ રીતે પરંપર નિર્ગત તિર્યંચ અને મનુષ્ય, ચારે ય ગતિના જીવ હોય છે. તે પણ સર્વાયુષ્ય બંધક હોય છે. તેથી પરંપર નિર્ગત સર્વ જીવો, સર્વ ગતિનું આયુષ્ય બાંધે છે. અનંતર-ખેદોપપત્રક આદિ અને આયુષ્યબંધ : १३ राणं भंते! किं अणंतरखेदोववण्णगा, परंपरखेदोववण्णगा, अणंतरपरंपरदावणगा? गोयमा ! णेरइया अणंतरखेदोववण्णागा वि परंपरखेदोववण्णगा वि, अणंतरपरंपरखेदाणुववण्णगा वि । एवं एएणं अभिलावेणं तं चेव चत्तारि दंडगा भाणियव्वा ॥ सेव મતે ! સેવ મતે ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરિયકો શું અનંતર-ખેદોપપન્નક છે, પરંપર ખેદોપપન્નક છે કે અનંતર
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy