SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૨ | શ્રી ભગવતી સૂત્ર-૪ મહાવીરના પરમ ભક્ત, આદર્શ શ્રમણોપાસક હતા. તેને અનેક રાણીઓ હતી. પ્રસ્તુત સૂત્રમાં પ્રમુખ રાણીરૂપે પદ્માવતીનું નામ છે અને પ્રાસંગિકરૂપે પ્રભાવતીનું નામ છે. કારણ કે અભીચિ કુમારની માતા પ્રભાવતી હતી. સિંધૂલોવીરેષ-સિંધુનદીની પાસે સિંધ દેશ છે અને તેની પાસે સૌવીર દેશ આવેલો છે. ઉદાયન રાજા આ બે દેશ પ્રમુખ સોળ દેશના રાજા હતા. વીતીમા જયરે -અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આદિ ઉપદ્રવને 'રિ' કહે છે. સ્વચક્રભય(પોતાના રાજા આદિ અધિકારીનો ભય) અને પરચક્રભ (બીજા રાજા આદિનો ભય)ને ' કહે છે. જ્યાં તિ' અને 'શક્તિ' રૂપ ભય નથી, તેને વીતિભય કહેવાય છે. ઉદાયન રાજાની નગરીનું નામ વીતિભય હતું. વાવીયા - ચમરી ગાયના વાળથી નિર્મિત ચામર. તાડપત્ર આદિથી નિર્મિત વીંજણાને પંખો, મોરના પીંછાથી નિર્મિત વીંજણાને મોરપીંછ અને વાળથી નિર્મિત વિજણાને ચામર કહેવાય છે. ઉદાયન રાજાનો સંકલ્પઃ ६ तएणं से उदायणे राया अण्णया कयाइ जेणेव पोसहसाला तेणेव उवागच्छइ । एवं जहा संखे जावपोसह पडिजागरमाणे विहरइ । तए णं तस्स उदायणस्स रण्णो पुव्वरत्तावरत्तकालसमयसि धम्मजागरियं जागरमाणस्स अयमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था-धण्णा णंतेगामागस्णयस्खेडकब्बङमडंबदोणमुहपट्टणा-समसंबाह सण्णिवेसा, जत्थ णं समणे भगवं महावीरे विहरइ, धण्णा णं ते राईसस्तलवर जाव सत्थवाहपभिईओ,जेणं समणं भगवं महावीरं वदति णमंसति जावपज्जुवासंति । जइ णंसमणे भगवंमहावीरे पुष्वाणुपुत्विं चरमाणेगामाणुगाम जावविहरमाणे इहमागच्छेज्जा, इह समोसरेज्जा, इहेववीतीभयस्स णयरस्स बहिया मियवणे उज्जाणे अहापडिरूवं उग्गह उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरेज्जा, तो णं अहं समणं भगवं महावीरं वंदेज्जा, णमंसेज्जा जावपज्जुवासेज्जा। ભાવાર્થ:- એક દિવસ ઉદાયન રાજા પોતાની પૌષધશાળામાં આવ્યા. શતક-૧૨/૧માં કથિત શંખ શ્રાવકની જેમ પૌષધ કરીને વાવત વિચરવા લાગ્યા. ત્યાર પછી રાત્રિના પાછલા પ્રહરમાં ધર્મજાગરણ કરતા ઉદાયન રાજાને આ પ્રકારનો અધ્યવસાય થાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો કે- તે ગામ, આકર(ખાણ પ્રદેશ), નગર, નિગમ, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પાટણ, મડબ, આશ્રમ, સંબધ અને સન્નિવેશ ધન્ય છે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિચરે છે. તે રાજા, શેઠ, તલવર યાવતુ સાર્થવાહ આદિ ધન્ય છે, જે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને તેમની પર્યાપાસના કરે છે. જો શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમે વિચરતાં, ગ્રામાનુગ્રામવિહાર કરતાં અહીં પધારે, અહીં સમોસરે, આ વીતિભય નગરની બહાર મૃગવન નામના ઉધાનમાં યથાયોગ્ય અવગ્રહ-સ્થાન ગ્રહણ કરીને, સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરે, તો હું શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર આદિ કરીને તેમની પર્યાપાસના કરું.
SR No.008761
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages706
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy