SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ | ૨૦૮ | શ્રી ભગવતી સૂત્ર-૩ અસંખ્યાત પ્રદેશિક અને અનંત પ્રદેશિક પુદ્ગલ સ્કંધોનો વિમાત્ર સ્નિગ્ધતા અને વિમાત્ર રૂક્ષતા દ્વારા, વિમાત્ર સ્નિગ્ધતા-રૂક્ષતા દ્વારા બંધન પ્રત્યયિક સાદિ વિસસા બંધ થાય છે. તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાલ પર્યત રહે છે. આ રીતે બંધન પ્રત્યયિક બંધ કહ્યો છે. ८ से किं तं भायणपच्चइए? भायणपच्चइए- जण्णं जुण्णसुरा-जुण्णगुल-जुण्णतंदुलाणं भायणपच्चइए णं बंधे समुप्पज्जइ, जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्ज कालं । सेत्तं भायण- पच्चइए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભાજન પ્રત્યયિક વિસસા બંધ કોને કહેવાય છે? ઉત્તર- હે ગૌતમ! જૂની મદિરા, જૂનો ગોળ, જૂના ચોખા આદિનો ભાજન પ્રત્યયિક સાદિ વિસસા બંધ થાય છે. તે જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ પર્યત રહે છે. આ ભાજન પ્રત્યયિક બંધ છે. | ९ से किं तं परिणामपच्चइए? परिणामपच्चइए- जणं अब्भाणं, अब्भरुक्खाणं जहा तइयसए जाव अमोहाणं परिणामपच्चइए णं बंधे समुप्पज्जइ । जहण्णेणं एक्कं समयं उक्कोसेणं छम्मासा। से तं परिणामपच्चइए । से तं साईयवीससाबंधे । से तं वीससाबंधे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પરિણામ પ્રત્યયિક સાદિ વિસસા બંધ કોને કહેવાય છે? ઉત્તર-હે ગૌતમ! વાદળો, અભ્રવૃક્ષો વાવતું અમોઘો(સૂર્યના ઉદય-અસ્ત સમયે સૂર્યના કિરણોનો એક પ્રકારનો જે આકાર થાય છે તે અમોઘ) આદિના નામ શતક-૩/૭માં કહ્યા છે. તે સર્વનો પરિણામ પ્રત્યયિક બંધ હોય છે. તે બંધ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ પર્યત રહે છે. આ પરિણામ પ્રત્યયિક બંધ કહ્યો છે. આ સાદિ વિસસા બંધ છે અને આ વિસસા બંધનું વર્ણન પૂર્ણ થાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં બંધના બે ભેદ વિસસા અને પ્રયોગ બંધનું કથન કરીને વિસસા બંધનું સ્વરૂપ અને તેના ભેદ સમજાવ્યા છે. વિસસાબંધ -વિસાવંધે ૧ ત્તિ સ્વભાવસંપન્નતા –વૃિત્તિ).જે બંધ જીવના કોઈ પણ પ્રયોગ વિના સ્વાભાવિક રૂપે થાય તેને વિસસા બંધ કહે છે. તેના બે ભેદ છે. અનાદિ વિસસા બંધ અને સાદિ વિસસાબંધ. (૧) અનાદિ વિસસાબંધઃ- જે વિસસા બંધની કોઈ આદિ ન હોય તેને અનાદિ વિસસાબંધ કહે છે. તેના ત્રણ ભેદ છે. ધર્માસ્તિકાય અન્યોન્ય વિસસાબંધ, અધર્માસ્તિકાય અન્યોન્યવિસસાબંધ અને આકાશાસ્તિકાય
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy