SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ શ્રી ઠાણાગ સૂત્ર-૨ ભાવાર્થ - ઇન્દ્રિયના વર્તમાનકાલીન વિષય દશ છે, તે આ પ્રમાણે છે– કેટલીક વ્યક્તિઓ એક દેશથી શબ્દ સાંભળે છે, કેટલીક વ્યક્તિઓ સર્વ દેશથી શબ્દ સાંભળે છે યાવત કેટલીક વ્યક્તિઓ સર્વ દેશથી સ્પર્શનું વેદન કરે છે, ત્યાં સુધીના દસ બોલ જાણવા. | ५ दस इदियत्था अणागया पण्णत्ता,तं जहा-देसेण वि एगेसद्दाइंसुणिस्सति। सव्वेण वि एगे सद्दाइं सुणिस्संति जाव सव्वेण वि एगे फासाई पडिसंवेदेस्सति । ભાવાર્થ:- ઇન્દ્રિયોના ભવિષ્યકાલીન વિષય દશ છે, તે આ પ્રમાણે છે– કેટલીક વ્યક્તિઓ એક દેશથી શબ્દ સાંભળશે, કેટલીક વ્યક્તિઓ સર્વ દેશથી શબ્દ સાંભળશે યાવતુ કેટલીક વ્યક્તિઓ સર્વ દેશથી સ્પર્શનું વેદન કરશે, ત્યાં સુધીના દસ બોલ જાણવા. વિવેચન : પ્રસ્તુત સુત્રમાં ઇન્દ્રિયવિષયોનું કથન છે. ઇન્દ્રિયો બે રીતે પોતાના વિષયને ગ્રહણ કરે છે. વિષય ગ્રહણ કરવાની રીતને જ અહીં વિષયરૂપે રજૂ કરેલ છે. સ્થાન-ર, ઉ. ૨, સૂત્ર-૧૫માં આત્મા દેશથી અને સર્વથી એમ બે પ્રકારે શબ્દાદિને ગ્રહણ કરે છે તે પ્રમાણે કથન છે. જ વિ સારું સુખતિ :- ઘણા શબ્દોમાંથી થોડા શબ્દ સાંભળવા, એક કાનથી સાંભળવું, શ્રોતેન્દ્રિયથી જ સાંભળવું, તેને દેશથી સાંભળવું કહે છે. સબ્બળ વિ સારું કુતિ:- એક સાથે ઘણા શબ્દ સાંભળવા, બે કાનથી સાંભળવું અને સંભિન શ્રોતોપલબ્ધિના કારણે સર્વ ઇન્દ્રિયોથી શબ્દ સાંભળવા, તેને સર્વથી સાંભળવું કહે છે. આ રીતે પાંચે ઇન્દ્રિયવિષયો વિષે સમજી લેવું જોઈએ. પ્રસ્તુતમાં ત્રણે કાળ આશ્રી બે પ્રકારે વિષયગ્રહણનું કથન છે. અચ્છિન્ન પુદ્ગલ ચલિત થવાના કારણો - |६ दसहि ठाणेहिं अच्छिण्णे पोग्गले चलेज्जा, तं जहा- आहारिज्जमाणे वा चलेज्जा । परिणामेज्जमाणे वा चलेज्जा । उस्ससिज्जमाणे वा चलेज्जा । णिस्ससिज्जमाणे वा चलेज्जा । वेएज्जमाणे वा चलेज्जा । णिज्जरिज्जमाणे वा चलेज्जा । विउव्विज्जमाणे वा चलेज्जा । परियारिज्जमाणे वा चलेज्जा । जक्खाइटे वा चलेज्जा । वायपरिगए वा चलेज्जा । ભાવાર્થ - દસ સ્થાનથી અચ્છિન્ન-શરીર કે સ્કંધથી સંબદ્ધ પુદ્ગલ ચલિત થાય છે– સ્થાનાંતરને પ્રાપ્ત થાય છે, તે આ પ્રમાણે છે (૧) આહારરૂપે ગ્રહણ કરાતા પુગલ ચલિત થાય છે અર્થાત્ એક સ્થાનેથી બીજા સ્થાને જાય
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy