SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૭. [ ૨૯ ] સાતમું અધ્યયન પરિચય 95002 09 શ્રીશ્રા આ અધ્યયનનું નામ કુશીલ–પરિભાષિત' અથવા કુશીલ પરિભાષા છે. "શીલ" શબ્દ સ્વભાવ, ઉપશમ પ્રધાન ચારિત્ર, સદાચાર, બ્રહ્મચર્ય, આચારવિચાર આદિ અર્થોમાં પ્રયુક્ત થયો છે. દ્રવ્યશીલ ચેતન અથવા અચેતન જે દ્રવ્યનો જે સ્વભાવ હોય અથવા વસ્ત્ર, ભોજનાદિના વિષયમાં જેની જે પ્રકૃતિ હોય, તેને દ્રવ્ય શીલ કહે છે. ભાવશીલ બે પ્રકારનું છે– ઓઘશીલ અને અભણ્ય શીલ. સામાન્યરીતે જે શીલ–આચારનું પાલન કરવામાં આવે છે, તેને ઓધ ભાવશીલ કહે છે પરંતુ તે જ શીલ નિરંતર ક્રિયાન્વિત રહે ત્યારે તે અભણ્ય ભાવશીલ કહેવાય છે. ક્રોધાદિ કષાય, ચોરી, પરનિંદા, કલહ અથવા અધર્મમાં પ્રવૃત્તિ અપ્રશસ્ત ભાવશીલ છે અને અહિંસાદિ ધર્મના વિષયમાં, સમ્યકજ્ઞાન, વિશિષ્ટતપ, સમ્યક્દર્શન આદિના વિષયમાં પ્રવૃત્તિ પ્રશસ્ત ભાવશીલ છે. આ અધ્યયનમાં આચાર-વિચારના અર્થમાં ભાવશીલને લઈને સુશીલ અને કુશીલ શબ્દ વિવક્ષિત છે. જેનું શીલ પ્રશંસનીય છે, શુદ્ધ છે, ધર્મ અને અહિંસાદિથી અવિરુદ્ધ છે, લોકનિંધ નથી, તે સુશીલ છે અને તેનાથી વિપરીત કુશીલ છે. કુશીલના અગણિત પ્રકારો સંભવિત છે, પરંતુ અહીં તે સર્વની વિવક્ષા(કથન) નથી. આ અધ્યયનમાં તો મુખ્યરૂપે સાધુઓની સુશીલતા અને કુશીલતાનો જ વિચાર કરવામાં આવ્યો છે. ધ્યાન, સ્વાધ્યાય આદિ તથા ધર્મપાલનના આધારરૂપ શરીર રક્ષણ માટે કરાવાતી આહાર પ્રવૃત્તિને છોડીને સાધુએ બીજી કોઈ બાહ્ય પ્રવૃત્તિ કરવાની જ નથી. આહાર કરવામાં પણ અપ્રાસુક તેમજ ઉગમાદિ દોષયુક્ત આહારસેવન કરવું તે અહિંસા અને સાધુ ધર્મની દૃષ્ટિથી વિરુદ્ધ છે. તેથી જે સચિત્તપાણી, અગ્નિ, વનસ્પતિ આદિનું સેવન કરે છે, એટલું જ નહીં, પોતાના ધર્મ વિરુદ્ધ આચારને સ્વર્ગ–મોક્ષાદિનું કારણ બતાવે છે, તેઓ કુશીલ છે. જે પ્રાસુક તેમજ અચિત્તસેવી છે, અપ્રાસુક તેમજ દોષયુક્ત આહાર સેવન નથી કરતા, તેઓ સુશીલ નિર્યુક્તિકાર પરતીર્થિકોની તથા સ્વયુથિક જે પાર્શ્વસ્થ, અવસત્ત, સ્વચ્છંદાચારી છે તેની ગણના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy