SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ | શસ્ત્ર પરિક્ષા અધ્ય–૧, :૨ ( ૧૧ | શબ્દાર્થ :- તત્થ = ત્યાં, આ વિષયમાં, હા = ખરેખર, ભાવથ = ભગવાને, પરિણT = પરિજ્ઞા, બોધ, પા = ફરમાવેલ છે, આપેલ છે, ફક્સ = આ, નવિયર્સ = જીવન માટે, વેવ = અને, પરિવા -માણ પણ પૂણા = પ્રશંસા, માન, પૂજા, પ્રતિષ્ઠા માટે, નાના-મોયણા = જન્મ મરણથી છૂટવા માટે, કુપડવા દેવું = દુઃખોનો નાશ કરવા માટે, યમેવ સ્વય, પુલિત્થ = પૃથ્વીરૂપ શસ્ત્રનો, સમારંભ = આરંભ કરે છે, અહિં = બીજા દ્વારા, પુદ્ધવિસë = પૃથ્વીરૂપ શસ્ત્રનો, સમારંભાવેç આરંભ કરાવતાં, અને બીજા, યુવકલ્થ = પૃથ્વીરૂપ શસ્ત્રનો, સાતે = આરંભ કરનારની, સમજુગાબડું = અનુમોદના કરે છે, તે = તે પુરુષને, તેના માટે, તે = તે આરંભ, દિયા = અહિત માટે હોય છે, નવદિપ = અબોધિ માટે હોય છે, બોધ થવામાં અંતરાયરૂપ થાય છે. ભાવાર્થ :- આ વિષયમાં ભગવાન મહાવીર સ્વામીએ પરિજ્ઞા-વિવેકનો ઉપદેશ આપ્યો છે. કોઇ વ્યક્તિ (૧) આ જીવન માટે (૨) વંદના-પ્રશંસા, સન્માન અને પૂજા માટે (૩) જન્મ મરણથી મુક્ત થવા માટે (૪) દુઃખનો પ્રતિકાર કરવા માટે, પોતે પૃથ્વીકાયિક જીવોની હિંસા કરે છે, બીજા પાસે હિંસા કરાવે અથવા હિંસા કરનારનું અનુમોદન કરે છે. આ બધી હિંસાની પ્રવૃત્તિઓ તેના અહિત માટે છે અને અબોધિ અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ બોધિના અભાવનું કારણ બને છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં પૃથ્વીકાયની હિંસાના વિવિધ પ્રયોજનોનું કથન છે. તેના બે વિભાગ થાય છે(૧) સંસાર રૂચિને કારણે (૨) ધર્મ માટે. આ બધા કારણો કહેવાનું શાસ્ત્રકારનું તાત્પર્ય એ છે કે કોઈ પણ લક્ષ્યથી હિંસા થાય, પરંતુ તેનું પરિણામ તો દુઃખ અને ધર્મની બોધિમાં અંતરાયરૂપ જ થાય છે. તાત્પર્ય એ છે કે સુખ માટે હિંસા થાય, તો તેના પરિણામે ભવિષ્યમાં દુઃખની પ્રાપ્તિ થાય અને ધર્મ કે મોક્ષને માટે ખોટી સમજણથી હિંસા થાય, તોપણ તેના પરિણામે ધર્મ પ્રાપ્તિનો અભાવ થાય છે. હિંસાનું પરિણામ :| ४ से तं संबुज्झमाणे आयाणीयं समुट्ठाए । सोच्चा भगवओ अणगाराणं वा अंतिए इहमेगेसिं णायं भवइ- एस खलु गंथे, एस खलु मोहे, एस खलु મારે, પણ વધુ ખરા ! इच्चत्थं गढिए लोए । जमिणं विरूवरूवेहिं सत्थेहिं पुढविकम्मसमारंभेणं पुढविसत्थं समारंभमाणे अण्णे अणेगरूवे पाणे विहिंसइ । શબ્દાર્થ – સં = પૃથ્વીકાયના આરંભને, સંજુફાન = સમજનાર, આયાળીયું = ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શનાદિને, સમુદા = સ્વીકાર કરીને વિચરે છે, સોન્ગ = સાંભળીને, માવો = ભગવાન પાસેથી, અપIRખ વ ત = સાધુઓ પાસેથી, ૬ = આ, કિં = કોઈ જીવોને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy