SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ . ૪૦૯ | સાધક ઘણું ખરુંપાછળ જ રહી જાય છે. સામાન્ય રીતે આપણે પતન શબ્દનો જ્યાં ને ત્યાં ઉપયોગ કરીએ છીએ પરંતુ પતનના પણ અનેક પ્રકારો હોય છે. જગતની દષ્ટિએ ડાહ્યા ગણાતા માનવોની દષ્ટિએ જે પતનો મહાન હોય છે, તેમાંના ઘણાંખરાં જ્ઞાનીઓની દષ્ટિએ સામાન્ય હોય છે અને જે સામાન્ય હોય છે તે જ ઘણી વાર મહાન હોય છે. કારણ કે જગતની દષ્ટિ બહાર તરફ હોય છે, જ્ઞાનીઓની દષ્ટિ અંતઃકરણ તરફ હોય છે. જ્ઞાનીઓ તો પતનનો પણ વિકાસનું પૂર્વરૂપ માને છે, એને એ બનવા યોગ્ય હોય છે એમ પણ કહે છે, એટલે જ એ જ્ઞાની પુરુષો પુનઃપુનઃ પોકારીને ભાખે છે કે, સત્યાર્થી સાધકે પ્રત્યેક સ્થળે સમભાવી રહેવું અને બનવું એ જ ઉત્તમ માર્ગ છે. આ પરથી પંડિત અને મોક્ષાર્થી સાધક આટલું ખાસ અવધારે કે સમતાયોગની પરાકાષ્ઠાએ પહોંચવું એ જ સફળ સાધનાની સંપૂર્ણ સિદ્ધિ છે. સમતામાં વ્યક્તિની દષ્ટિએ કોઈ ઊંચા કે નીચ નથી. (ઉદ્દેશક ૫, સૂત્ર ૧) મુનિ સાધકને માટે જ ભિક્ષા ક્ષમ્ય છે, એમ અહીં ફલિત થાય છે. જે મુનિ સાધકે પ્રાપ્ત થયેલા કે થનારા પ્રત્યેક પદાર્થ પરથી પોતાની માલિકી ઉતારી હોય, એટલું જ નહિ પણ પોતાનું શરીર સુદ્ધાં વિશ્વના ચરણે ધરી દીધું હોય અને જે સંયમના સાધનરૂપ જે દેહ તથા તેને લગતાં સાધનોનો ઉપયોગ કરતો હોય એને જ ભિક્ષાનો હક છે. અર્થાત્ આટલી હદનો જેણે ત્યાગ કર્યો છે, એ જ ભિક્ષા લઈ શકે. આટલા ત્યાગ પછી યે ભિક્ષા કે વસ્ત્રાદિ સાધનો ન મળો, કોઈનિંદો કે પ્રશંસો, કોઈ પૂજો કે તિરસ્કારો, તોયે ત્યાગીની દષ્ટિમાં નવિષમતા આવે કે ન મન પર સારી કે માઠી અસર થાય. એની દષ્ટિ કેવળ દિવ્ય અને સત્યમય હોય. એ સત્ય અને દિવ્ય અંશો જ ગ્રહણ કરે, બીજા છોડી દે, અસત્ય અને અનિષ્ટને વરજે; કારણ કે મહાપુરુષો એમ સમજે છે કે જગતના માનવો જે કંઈ કરી નાખે છે એ વૃત્તિની અધીનતાને લઈને કરે છે અને એથી એમને કોઈ કષ્ટ આપે ત્યારે એ માને છે કે એમાં એમનો નહિ પણ એમની વૃત્તિનો દોષ છે અને એ વૃત્તિને પણ અમારુંનિમિત્ત મળે જ વેગ આવ્યો, એટલે અમારી આંતરિક વૃત્તિ પણ એમાં કારણભૂત હોવી જ જોઈએ; કારણ કે પૂર્વકાળે કે વર્તમાન કાળે જે જે જીવાત્માઓના પ્રસંગમાં આવી જેવા જેવા સંસ્કારોથી સારું કે બૂરું જે કર્મ કર્યું હોય તે કર્મ જ તેવાં નિમિત્તો મેળવી આવું પરિણામ લાવે. આવી રીતે આવા જ્ઞાનીઓ અને ત્યાગી પુરુષો કર્મના અચળ કાયદાને અતઃકરણપૂર્વક સમજતા હોઈ વિવેકબુદ્ધિથી આ બધું સમભાવપૂર્વક વેદી શકે છે. સહેજ પણ હર્ષ કે શોકની લાગણી તેમને સ્પર્શવા પામતી નથી અને આ રીતે વૃત્તિના નિર્બળ સંસ્કારોને નિર્મળ કરતાં કરતાં તેઓ વધુને વધુ સાત્વિક જીવન ઘડ્યું જાય છે. આનું જ નામ ચારિત્રનું ઘડતર. (ઉદ્દેશક ૫, સૂત્ર ૨) સૌ કોઈ ઉપદેશક બનવાનું સાહસ ન કરે ! ઉપદેશ તો જ્ઞાની, અનુભવી, માનસશાસ્ત્રનો અભ્યાસી, સ્વપર શાસ્ત્રો તથા દેશકાળનો જાણકાર, વિવેકી અને વિચારશીલ હોવો જોઈએ તેમ અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે. આટલી ઉચ્ચ યોગ્યતાવાળો જ ઉપદેશ આપે એમ કહેવાનો આશય એ છે કે, ઉપદેશ ઉપર જ શાસ્ત્રનો મોટો આધાર હોઈ લોકો તેના ઉપદેશ પર રખે ખોટે માર્ગે દોરવાઈ જાય એ ભય રહે જ. એટલે ઉપદેશની પૂર્ણ યોગ્યતા પછી જ એ કાર્ય એમને સોંપવું જોઈએ એવો ભાવ સૂત્રમાં પ્રધાનરૂપે દેખાઈ આવે છે. સૂત્રમાં ચારે દિશાઓનો નિર્દેશ કરવાનું કારણ એ છે કે ધર્મ તો સૂર્યના પ્રકાશ જેવો વ્યાપક છે. અમુક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy