SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ મૂર્ખતા કરતા નથી. પોતાના આચારમાં દંભ કે દેખાવ કરતા નથી, ખોટું બહાનું બતાવી અપવાદમાર્ગનું સેવન કરતા નથી, પરંતુ સરળતા તેમજ ખુલ્લા હૃદયે કહે છે કે– મુનિધર્મનો મૌલિક આચાર તો આ પ્રમાણે છે પરંતુ અમે તેવું પાળવામાં સમર્થ નથી. ૨૫૨ તેઓ એમ નથી કહેતા કે– અમે જેવું પાળીએ છીએ તેવો જ સાધ્વાચાર છે. અત્યારે દુઃષમકાળના પ્રભાવે બળ, વીર્ય આદિ ઘટી જવાના કારણે મધ્યમમાર્ગ જ શ્રેષ્ઠ છે. ઉત્કૃષ્ટ આચરણ થઈ શકે તેવો સમય નથી. જેમ સારથી ઘોડાની લગામ અતિ ઢીલી કે અત્યંત કડક ન ખેંચતા મધ્યમ રીતે ખેંચે તો ઘોડો બરાબર ચાલે છે, એ રીતે મુનિ જીવનમાં આચરણ મધ્યમ રીતે હોય તો પ્રશંસનીય બને છે. આ રીતની કોઈપણ ખોટી પ્રરૂપણા તેઓ કરતા નથી. તેની શ્રદ્ધા દઢ છે. તે જ તે સાધકોની ગુણવત્તા છે. બાળમદા સળલૂસિળો :- આ સૂત્રવાક્યથી સાધ્વાચારનું યથાર્થ પાલન કરનારાઓની મૂર્ખતા દર્શાવેલ છે. તે સાધક ગુરુજનો, તીર્થંકરો તથા તેમના દ્વારા ઉપદિષ્ટ જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રત્યે વિનીત હોય છે અર્થાત્ અર્પણતા સાથે ચારિત્રનું યથાર્થ પાલન કરે છે પરંતુ કેટલાક તત્ત્વોમાં કે આચારોમાં વિપરીત શ્રદ્ધા, પ્રરૂપણા કરે છે. ખરેખર તે જ્ઞાનભ્રષ્ટ અને સમ્યગ્દર્શનના નાશક સાધક પોતે તો શ્રદ્ધાથી ભ્રષ્ટ હોય છે અને બીજાને પણ આ દોષમાં ખેંચે છે, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનથી ભ્રષ્ટ કરીને સન્માર્ગથી ચલાયમાન કરે છે. આવી શ્રદ્ધા, પ્રરૂપણાથી ભ્રષ્ટ સાધુના જીવનનું પરિણામ શાસ્ત્રકારે બતાવ્યું છે કે તેઓ પોતાના સંયમ જીવનને બગાડે છે અર્થાત્ સંયમાચારનું પાલન કરવા છતાં વિરાધક બની જાય છે, શ્રમ કરીને પણ તેના ફળથી વંચિત રહે છે. આ તેઓની મૂર્ખતા કહેવાય છે. ચારિત્રભ્રષ્ટનો વક્ર વ્યવહાર : ३ पुट्ठा वेगे णियद्वंति जीवियस्सेव कारणा । णिक्खतं पि तेसिं दुण्णिक्खतं भवइ । बालवयणिज्जा हु ते णरा, पुणो पुणो जाई पकर्ष्णेति । अहे संभवंता विद्दायमाणा, अहमंसीति विउक्कसे । उदासीणे फरुसं वयंति, पलियं पकत्थ अदुवा पकत्थ अतहेहिं । तं मेहावी जाणेज्जा धम्मं । = શબ્દાર્થ :– પુદ્દા = પરીષહો આવવા પર,ળિયવૃત્તિ- સંયમથી દૂર થઈ જાય છે, નવિયસ્તેવ ધારણા - અસંયમજીવન માટે, બિવંત પિ=નિષ્ક્રમણ પણ, તેલિ - તેઓનું, પુષ્પિવર્ષાંત = દુર્નિષ્ક્રમણ, વાતવપિન્ગા=અજ્ઞાની દ્વારા પણ નિંદનીય થાય છે, પત્ત્પતિ= પ્રાપ્ત થાય છે, સમવંતા = રહેતાં પણ, વિદ્દાયમાળા = તેઓ પોતાને વિદ્વાન સમજે છે, અહમલી તિ- હું જ બહુશ્રુત છું એમ માનતા, વિલે = તેઓ અભિમાન કરે છે, વાસીને = રાગદ્વેષ રહિત પુરુષોને, સં = કઠોર વચન, વયંતિ = કહે છે, પતિયં = સાધુના પૂર્વાચરણને કહીને, પત્થ = નિંદા કરે છે, અતÈહિં - મિથ્યાદોષો દ્વારા. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy