SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ | ધૂત અધ્ય-૬, ૭ઃ ૪ ૨૫૧ ] થાય છે. સસ્થાનેવાં વરિ:- આચાર્યાદિ દ્વારા શાસ્ત્રના અભિપ્રાયપૂર્વક પ્રેરિત કરવા પર તે શાસ્તાને જ આ પ્રમાણે કઠોર વચનો કહેવા લાગે છે– 'આપ આ વિષયમાં કાંઈ પણ જાણતા નથી. સૂત્રોના અર્થ, શબ્દશાસ્ત્ર, ગણિત કે નિમિત્ત(જ્યોતિષ) હું જેટલું જાણું છું તેટલું બીજા કોણ જાણે છે?' આ પ્રમાણે આચાર્યાદિ શાસ્તાની અવજ્ઞા કરતા તે માર્મિક શબ્દો કહે છે. નિયા મસ્જિ વનવા :- તે અવિનીત સાધક બે પ્રકારની કે બમણી મૂર્ખતા કરે છે– (૧) અનુશાસ્તા પ્રત્યે અવિનીત થઈ તેની સામે પ્રતિવાદ કરે અને તેઓની અવહેલના કરે. આ તેની પહેલી મુર્ખતા છે. (૨) સમ્યક પુરુષાર્થ કરનારા શ્રમણો ઉપર દોષારોપણ કરે આ તેની બીજી મૂર્ખતા છે. આ પદનો બીજી રીતે અર્થ થાય છે કે પોતે ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય તે એક મુર્ખતા અને ઉત્કૃષ્ટ સંયમપાલકોની નિંદા કે બદનામી કરે તે તેની બીજી મૂર્ખતા છે. સંચમ પતિત સાધકો :| २ णियट्टमाणा वेगे आयारगोयरमाइक्खंति । णाणभट्ठा दसणलूसिणो णममाणा वेगे जीवियं विप्परिणामेंति । શબ્દાર્થ :-ળિયટ્ટમળT- સંયમથી નિવૃત્ત થતા, વે- કોઈએક, આયરોલર આચારના સ્વરૂપને યથાર્થ, આક્રતિ = કહે છે, બાહકુ = જ્ઞાનભ્રષ્ટ, સંતાકૂતિ = દર્શનનો નાશ કરનાર કોઈ એક, જમાન = વિનય કરતાં પણ, ચારિત્રનું પાલન કરતાં પણ, વિર્ય = સંયમ જીવનથી, વિાિતિ = પોતાને નીચે ઉતારે છે. ભાવાર્થ :- કોઈ સાધક સંયમ ભાવથી નિવૃત્ત થઈને પણ કે વેશ પરિત્યાગ કરીને પણ સંયમના આચાર-વિચારના વખાણ કરે છે. કોઈ સાધક સભ્ય જ્ઞાનથી ભ્રષ્ટ થઈને સમ્યગ્દર્શનથી રહિત થઈ જાય છે તેઓ તીર્થકરોક્ત સંયમમાર્ગનું પાલન કરવા છતાં દર્શન મોહોદયવશ સંયમી જીવનને નિસ્સાર કરી દે છે. વિવેચન : આ સૂત્રમાં બે પ્રકારના ધર્મભ્રષ્ટ સાધકોનું સ્વરૂપ બતાવ્યું છે– (૧) સંયમ આચારથી ભ્રષ્ટ થનારા (૨) શ્રદ્ધાથી ભ્રષ્ટ થનારા. વિમાન વેરો - આ સૂત્ર વાક્યમાં વ્યુત સાધકોની કંઈક ગુણવત્તા દર્શાવી છે. કોઈ સાધક સુખ સુવિધાના અભિલાષી બની સંયમ પથથી નિવૃત્ત થઈ જાય તોપણ તેઓ વિનયને છોડતા નથી, અન્ય સાધુ ઉપર દોષારોપણ કરતા નથી, કઠોર વચનો બોલતા નથી, ખોટા અભિમાનમાં આવી બીજા પ્રકારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy