SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra છલ www.kobatirth.org ૮૧ સ્વાસ્થ્યલાભમાં ઘણો વિલંબ કરે છે. અર્થાત્ રોગની અવસ્થા લંબાય છે કે પછી નિદાન ખોટું કરે છે. માટે વૈદ્ય પાસે ઉપચાર માટે જાવ ત્યારે તેમના પ્રશ્નોના ઉત્તર સાચા આપવા જોઈએ. તેમનાથી દરદની કોઈ વાત છુપાવવી ન જોઈએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir જે વિદ્યાર્થી પોતાના આચાર્યની સાથે દગો કરે છે તે પરીક્ષામાં ઉત્તીર્ણ થતો નથી. પોતે સાચા શિક્ષણથી વંચિત રહે છે અને પોતાના અભ્યાસનો અમૂલ્ય સમય વ્યર્થ ગુમાવે છે. છાત્રાવસ્થામાં જે શિક્ષણ પ્રાપ્ત થાય છે તે જીવનભર કામ આવે છે. જો તે સમયમાં પ્રમાદ કર્યો તો તેવો અવસર જીવનમાં પછી પ્રાપ્ત થવો અસંભવ છે. કારણ કે અભ્યાસકાળ પૂર્ણ થયા પછી યુવાનવયમાં કુટુંબના નિર્વાહની તથા ધનોપાર્જનની જવાબદારી ઉપાડવાની હોય છે. આજ તો પરીક્ષા ભવનમાં પરિશ્રમ કરવાને બદલે નકલ કરવાની પ્રવૃત્તિ વિસ્તરતી જાય છે. સમાજના કોઈ ‘દાદા’ જેવા વિદ્યાર્થીઓ આ દુષ્ટ પ્રવૃત્તિ કરે છે તેવું નથી. કોઈ કોઈ જગા પર તો સામૂહિક પદ્ધતિથી નકલ કરવામાં આવે છે. આ પ્રમાણે પરીક્ષામાં નકલ કરવી કુટિલતા છે તેનું પરિણામ કેવું વિપરીત આવે છે તે છાપાઓમાં પ્રસિદ્ધ થાય છે. કદાચ નકલ કરીને અધિક ગુણ મેળવી પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર યુવાન નોકરી તો મેળવી લે છે પણ વાસ્તવિક કાર્ય કરવામાં ઉત્તીર્ણ થતો નથી. તેની દશા દયનીય બને છે. સરકારી ખાતાની વાત જુદી છે. ત્યાં લોકોની દશા દયનીય બને છે. અને કોઈવાર તેને પણ અપમાનિત થઈને દૂર દૂર બદલીઓ ભ૨વી પડે છે. તેને કોઈ રાખવા તૈયાર થતું નથી. અધિક ગુણને કારણે નોકરી મળવા છતાં તે ફૂટબોલની જેમ આમ તેમ અથડાયા કરે છે. તેનું પૂરું જીવન નિરાશા અને દુઃખમાં વ્યતીત થાય છે. જો તમે વકીલને તમારી સાચી હકીકત ન જણાવતાં પ્રપંચ સેવો છો તો તમે તમારા કામમાં નિષ્ફળતા પ્રાપ્ત કરો છો અને વકીલને આપેલાં નાણાં પણ વ્યર્થ જાય છે, અને તમે સજાને પાત્ર ઠરો છો. दगा किसीका सगा नहि, किया नहीं तो कर देखो ! पछताना जो नहीं चाहते किया उन्हींका घर देखो !! જે વ્યક્તિ અન્યની ગુપ્ત વાત પ્રકટ કરે છે તે પ્રપંચ છે. વિશ્વાસઘાત છે. તેવી પ્રપંચી વ્યક્તિથી હંમેશાં સાવધાન રહેવું. તેને કદિ ગુપ્ત વાત For Private And Personal Use Only
SR No.008721
Book TitleJivan Vikas Na Vis Sopan
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy