SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Ad જીવન વિકાસનાં વીસ સોપાન सरलजनोंकी सरल गति वक्र जनोंकी वक्र । सीधा जाता तीर ज्यो चक्क खाता चक्र॥ મન, વચન અને કાયાના વ્યવહારની એકતા દુષ્ટો તથા શિષ્યની વચમાં ભેદ દર્શાવે છે. मनस्येकं वचस्येकम्, कर्मण्येकं महात्मनाम् । मनस्यन्यद्वचस्यन्यत्, कर्मण्यन्यद् दुरात्मनाम ॥ મહાત્માઓના મનમાં જેવી સરળતા છે તેવી વચનમાં હોય છે. તેઓ મનમાં સમ્ય૫ણે જે વિચારે છે તેવું બોલે છે, અને વાણીમાં જેવું સમ્ય૫ણું છે તેવું વર્તનમાં દેખાય છે. દુરાત્માઓનો સ્વભાવ તેથી વિપરીત હોય છે. તે વિચારે એક પ્રકારે, બોલે છે બીજા પ્રકારે અને વર્તન વળી કંઈ જુદું હોય છે. માયા - છળ સહિતના વર્તનથી વિશ્વાસ તૂટી જાય છે, મિત્રો છૂટી જાય છે. અને માયાથી હંમેશાં એકલો ચલો થઈ જાય છે. વળી માયાને કારણે ભાવિ જન્મમાં પશુપક્ષીરૂપે ઉત્પન્ન થઈ દુખ ભોગવવું પડે છે. આ પ્રકારે બંને ભવ બગડે છે. કરું મારા પ્રપન્ટેન, તોય વિધિના 1 શ્રી શુભચંદ્રાચાર્ય વિચારવાન માનવે મામા-કપટ સહિત વ્યવહાર કરવો ઉચિત નથી. કેટલીક અપેક્ષાએ નીતિકારોએ કહ્યું છે કે : आचये च नटे थुर्त, વૈવ-વેશ્ય-હુશ્રુતે ! कौटिल्यं नैव कर्तव्यम् कौटिल्यं तैविनिर्मितम् ॥ આચાર્ય, નટ. ધૂર્ત, વૈદ્ય, વેશ્યા, વિદ્વાન, એમની સાથે કુટિલતા-માયા ન કરવી. કારણ કે કુટિલતાના નિર્માતા જ તેઓ પોતે છે. ઉપર કહી તેવી વ્યક્તિઓ ઉપર કુટિલતાનો કોઈ પ્રભાવ પડતો નથી, વળી તેમની સાથે કુટિલતા કરવાથી જેમ ઈટનો જવાબ પત્થરથી મળે છે તેમ નુકસાન થાય છે. જો તમે કોઈ વૈદ્ય સાથે પ્રપંચ કરો છો તો તે તમને તમારા For Private And Personal Use Only
SR No.008721
Book TitleJivan Vikas Na Vis Sopan
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy